SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્યાત નિ ૧૭૩,૧૭૪ ૧૩૧ ૧૩૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ નિરોગી કર્યા. પહેલાં પ્રક્ષણ કર્યું. પછી ગોશીષ ચંદનથી આલેપન કર્યું, ફરી માણ કર્યું. એ પ્રમાણે આ પરિપાટીથી પહેલા અત્યંગને ચામડીના કૃમિ નીકળ્યા, બીજામાં માંસમાં રહેલા કૃમિ નીકળ્યા. ત્રીજામાં હાડકામાં રહેલાં બેઈન્દ્રિયો નીકળ્યા. પચી સૌહણી ઔષધિથી કનકવર્ણના કરી દીધા. ત્યારપછી મુનિને ખમાવીને પાછા ફર્યા. પછીથી તે મિત્રો સાધુ થઈ ગયા. આયુષ્ય હતું. તે પાળીને તે પાંચે જણાં અશ્રુત દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને આ જ જંબૂદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં વજસેન રાજાની ધારિણી દેવીની કુક્ષિમાં વૈધપુત્ર વજનાભ નામે રાજા થયો. જે ચક્રવર્તી થયો. બાકીના ક્રમથી બાહુ, સુબાહ, પીઠ, મહાપીઠ નામે ભાઈઓ થયા. સજા વજસેને દીક્ષા લીધી, તેઓ તીર્થકર થયા. બાકીના મોટા થઈ પાંચ પ્રકારની ભોગોને ભોગવે છે. - જે દિવસે વજસેન ઋષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ દિવસે વજનાભને ચકરા ઉત્પન્ન થયું. તે વજનાભ ચક્રવર્તી થયો. તેણે સાધુની વૈયાવચ્ચેથી ચકવર્તીના ભોગ પ્રાપ્ત કરેલા હતા. બાકીના ચારે માંડલિક રાજાઓ થયા. ત્યાં વજનાભ ચકવર્તીએ ૮૪ લાખ પૂર્વનું સર્વાયુ પાળ્યું. કુમારપણે ૩૦, માંડલિકપણે-૧૬, ચકવર્તીપણે૨૪ અને શ્રામાણ્ય પર્યાયમાં ૧૪ લાખ પૂર્વ, એ પ્રમાણે ૮૪-લાખ પૂર્વો સવયુિ પાળેલ, તેમાં ભોગોને ભોગવતા વિચારતો હતો ત્યારે – આ તરફ તીર્થકરનું સમોસરણ રચાયું. વજનાભે પિતાના ચરણ કમળમાં ચારે પણ સહોદરો સહિત દીક્ષા લીધી. તેમાં વજનાભ ચૌદ પૂર્વે ભણ્યા. બાકીના ચારે ૧૧-ચાંગ ભણ્યા. તેમાં બાહુ વૈયાવચ્ચ કરે છે, સુબાહુ સાધુની વિશ્રામણા કરે છે. એ પ્રમાણે તે બંનેને કરતા જોઈ વજનાભ સ્વામી તેની ઉપબૃહણા કરે છે - અહો ! આમણે જન્મ-જીવિતનું ફળ પ્રાપ્ત કરેલ છે. એ પ્રમાણે તે બંનેની વૈયાવચ્ચ અને વિશ્રામણાની પ્રશંસા કરે છે. એ પ્રમાણે પ્રશંસા કરતાં તેની પછીના બંને [પીઠ અને મહાપીઠ ને અપતિ થાય છે. આપણે બંને સ્વાધાયવાન છીએ, તો પ્રશંસા થતી નથી, જે (કામ) કરે છે તે જ પ્રશંસા પામે છે, ખરેખર ! લોક વ્યવહાર જ સત્ય છે વજનાભસ્વામીએ વિશુદ્ધ પરિણામથી તીર્થકર નામગોબ કર્મ બાંધ્યું. આ જ અર્થના ઉપસંહારને માટે આ ચાર ગાથા કહે છે – • નિયુક્તિ-૧૫ થી ૧૭૮ - સાધુની ચિકિત્સા કરી શ્રમય પામીને દેવલોકે ગયા, ત્યાંથી રવીને પૌડરીકિણી નગરીમાં વજસેનના પુત્રો થયા. તેમાં પહેલો વ્રજનાભ, પછી બાહુ, સુબાહ, પીઠ, મહાપીઠ થયા. તેમના પિતા તીથર થયા, નિષ્ક્રિમણ કર્યું, ત્યાં જ પિતા પાસે દીક્ષા લીધી. પહેલો ચૌદપૂર્ણ થયો, બાકીના ચાર ૧૧-ચાંગોના જ્ઞાતા થયા. બાહુ આદિ ચારમાં બીજો 'બાહ વૈયાવચકારી, ત્રીજે વિશ્રામણાકારી થયો. તે બંનેએ અનુક્રમે ભોગફળ અને બાહુબળ ઉપાર્જન કર્યા મોટા પ્રશંસા કરતાં, બંને નાના ભાઈઓને આપીત થઈ. પહેલાં વીસ નકની આિરાધના કરી તીકરd કંપા.. • વિવેચન-૧૩૫ થી ૧૦૮ : ગાથાર્થ ઉપર મુજબ છે. - x - જે કહ્યું કે – પહેલાં તીર્થકરવ વીસ સ્થાનો વડે આરાધ્ય, તે સ્થાનોને જણાવવા આ ત્રણ ગાથા છે - • નિયુક્તિ-૧૬ થી ૧૮૧ - [૧ થી ) અરિહંત સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવીટ, બહુત, તપસ્વી. આ સાતે પરત્વેની વત્સલતા. [૮] અભિસ્મ જ્ઞાનોપયોગ... [૯ થી ૧] અતિચાર રહિત એવા દર્શન, વિનય, આવશ્યક, શીલ-qત, [૧૩ થી ૧૭] ક્ષણ લવ, તપ, ચણ, વૈયાવચ્ચ અને સમાધિ, [૧૮ થી ૨૦] પૂર્વ જ્ઞાન ગ્રહણ, [૧૯] શ્રુતભક્તિ, પ્રવચનપભાવના. આ કારણોથી જીવ તીથરત્વ પામે છે. વિવેચન-૧૩૯ થી ૧૮૧ - (૧) અરહંત - અશોકાદિ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને યોગ્ય છે તે. (૨) સિદ્ધ - સંપૂર્ણ નિષ્ઠિત કમશ, પરમસુખી કે કૃતકૃત્ય. (3) પ્રવચન-શ્રુતજ્ઞાન અથવા તેના અનન્ય ઉપયોગથી સંઘ, (૪) શાસ્ત્રાર્થને ગુંથે માટે ગુરુ અર્થાત્ ધમપદેશાદિ દાતા. (૫) સ્થવિર - તેમાં જાતિ સ્થવિર-૬૦ વર્ષના, શ્રુતસ્થવિરસમવાયાંગધર, પર્યાયસ્થવિર - ૨૦ વર્ષનો પર્યાય. (૬) બહુશ્રુત - ઘણાં શ્રુતવાળા કે અપેક્ષિક બહુશ્રુતત્વ, તેમાં સૂગધરી અર્થઘર પ્રધાન છે, તેનાથી ઉભયધર પ્રધાન છે. (૩) તપસ્વી-વિચિત્ર અનશનાદિ રૂપ તપવાળા અથવા સામાન્ય સાધુ. આ અરહંત, સિદ્ધ, પ્રવચન, ગુ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વીનો વાત્સલ્ય ભાવને વત્સલતા. તે અનુયોગ યથાવસ્થિત ગુણ કીર્તન રૂપ છે. (૮) અભીણ - સતત જ્ઞાનોપયોગ, (૬) દર્શન-સમ્યકત્વ, (૧૦) વિનયજ્ઞાનાદિ, તે દશવૈકાલિકથી જાણવો. આ દર્શન અને વિનયમાં અતિયાર રહિતતા. (૧૧) આવશ્યક - અવશ્ય કર્તવ્ય સંયમ વ્યાપાર નિષ્પક્ષ તેમાં નિરતિચાપણું, (૧૨) શીલ-ઉત્તરગુણ, વ્રત-મૂલગુણ. આ શીલ અને વ્રતમાં નિતિચારતા. (૧૩) ક્ષણલવ • કાળ લક્ષણરૂપ છે. ક્ષણલવાદિમાં સંવેગ ભાવના ધ્યાન અને આસેવનથી. (૧૪) તપ થાશક્તિ તપનું સેવન, (૧૫) ભાગ-ચતિજન વડે વિધિપૂર્વક કરાય છે. (૧૬) વૈયાવચ્ચ-દશ ભેદે છે. (૧૩) સમાધિ - ગુર આદિના કાર્ય કરવાથી સ્વસ્થતા અને સમાધિમાં બંધાય છે. (૧૮) અપૂર્વ જ્ઞાન ગ્રહણ (૧૯) શ્રતભક્તિ - શ્રુતબહમાન, (૨૦) પ્રવચન પ્રભાવના - તે યથાશક્તિ માગદિશનામી થાય. આ ૨૦ કારણોથી તીર્થકરત્વ પ્રાપ્ત થાય. [નોંધ:- ઉજા ર૦ કારણોના નામ અને કમમાં ઘણાં તફાવતો જોવા મળેલ છે. મૂર્ણિમાં પણ શીલ અને વ્રત જુદા સ્થાનક છે અને સમાધિને પૂર્વના તપ આદિ કણ સાથે જોડેલ છે. વૈવસ્ત્રનું વર્ણન મૂર્ણિમાં વધુ સારું કરેલ છે.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy