SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧ ૨૨૫ નિવહિ ચલાવતા હતા. નદીના કિનારે આતાપના લેતા, તેમના પ્રભાવથી નદી બીજી તરફ વહેવા લાગી. તેણે નદીના કુલ કિનાસ ને પલટી દીધો. હોવાથી તેનું કૂલવાલક નામ પડ્યું - ત્યાં રહેલા છે એમ જાણીને કોણિક ત્યાં આવ્યો. તેણે માગધિકા ગણિકાને બોલાવી, કૂલવાલક મુનિને લાવવા કહ્યું. એક ગણિકા બોલી કે - હું તેને અહીં લાવી આપીશ. તેણીએ કપટી શ્રાવિકાનો ઢોંગ રમ્યો. સાર્થની સાથે જઈને મુનિને વંદન કરે છે. મુનિને કહે છે કે હું વિધવા થઈ હોવાથી ચૈત્યોની વંદના કરવા નીકળી છું, આપના વિશે સાંભળ્યું એટલે આપની વંદનાર્થે આવી છું. તો હે મુનિપવર ! આપ મારે ત્યાં ભિક્ષા ગ્રહણ કરવાની કૃપા કરો. પારણામાં લાડવા વહોરાવ્યા. તેમાં કોઈ પદાર્થોની ભેળસેળ કરેલી હતી, જેના પરિણામે મુનિને અતિસારનો રોગ થયો. પ્રયોગ દ્વારા મુનિને નિરોગી કર્યા. પરંતુ તે ગણિકા મુનિની વૈયાવચ્ચ કરતી હતી, શરીર સાફ કરે, મર્દન કરે, બેસાડે, સુવડાવે, પડખાં બદલાવડાવે. એ બધાં કારણોથી મનિનું ચિત ભેદાયું. તે ધીમે ધીમે તે ગણિકામાં આસક્ત બનવા લાગ્યા. એ રીતે તે ગણિકા કૂલવાલક મુનિને રાજા કોણિકની પાસે લઈને આવી. કોણિક રાજાએ મુનિને કહ્યું – એવો કોઈ ઉપાય કરો કે જેથી હું વૈશાલીને ગ્રહણ કરી શકું. મુનિએ તૂપ જોઈને વિચાર્યું કે આના જ પ્રભાવથી વૈશાલી નગરી ભાંગતી નથી. લોકોને ભ્રમમાં નાખીને સૂપને કઢાવી નાંખ્યો. એ રીતે રાજાએ વૈશાલીનગરી ગ્રહણ કરી. આ તે ગણિકા અને કૂલવાલકની પારિણામિકી બુદ્ધિ. (૨૨) ઈન્દ્રપાદુકા [ઈન્દ્રકુમારીઓ પૂર્વે ચાણક્યમાં કહેલ છે. તે ઈન્દ્રપાદુકાને ચાણકયો પડાવીને નગરને કજે કર્યું અને પાટલિપુત્ર ઉપર વિજય મેળવ્યો. આ તેની પારિણામિડી બુદ્ધિ - એ પ્રમાણે અભિપ્રાય સિદ્ધનું વર્ણન કર્યું. - હવે તપ:સિદ્ધની પ્રતિપાદન કરવા માટે કહે છે – • નિયુક્તિ -૯૫ર જે તપ વડે સ્નાન ન થાય, તે દઢપહારીની જેમ તપસિદ્ધ જાણવા અને જેણે સર્વે કમશોને ક્ષીણ કર્યા છે, તે કર્મક્ષય સિદ્ધ. • વિવેચન-૫ર : જે જીવો પ્લાન થતા નથી અથવા ખેદ પામતા નથી, તે બાહ્ય અને આખ્યતર તપ કરનારા, તે એવા પ્રકારે અગ્લાનિત્વથી તપ સિદ્ધ કહેવાય છે. જેમ દેઢ પ્રહારીને કહ્યા. આ ગાયાનો ભાવાર્થ કથાનકથી જાણવો. કોઈ એક બ્રાહ્મણ દુદન તો, અવિનય કરતો, તેથી તે બધાં સ્થાનોથી કાઢી મૂકાતો. તેણે ચોર૫લીનો આશ્રય કર્યો. સેનાપતિએ તેને પુત્રરૂપે સ્વીકાર્યો. સેનાપતિના મરણ બાદ તે સેનાપતિ થયો. તે કૃપારહિતપણે હણતો હતો, તેથી તેનું ઢપહારી નામ ખાયું. તે કોઈ દિવસે સેના સાથે એક ગામ ભાંગવા નીકળ્યો. ત્યાં એક દરિદ્ર હતો. [32/15 ૨૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ તેણે પત્ર-પૌત્રોને માટે માંગી-માંગીને ધની યાચના વડે ખીર બનાવી હતી. તે ન્હાવાને ગયો. ચોરો ત્યાં ગયા. એક ચોરે ત્યાં તે ખીરને જોઈ. તે ભુખ્યો હોવાથી ખીરને લેવા દોડ્યો. ત્યાં બાળકો રડતાં રડતાં પિતા પાસે ગયા. અમારી ખીર કોઈ ચોરી ગયું. તે દરિદ્ર રોષથી મારવાને ગયો. તેની સ્ત્રી તેને રોકવા લાગી, તો પણ તે જ્યાં ચોર સેનાપતિ હતો ત્યાં ગયો અને જઈને મહાસંગ્રામ કર્યો. સેનાપતિએ વિચાર્યું કે આણે મારા ચોરોને પરાભૂત કર્યા છે. તેથી તલવાર હાથમાં લઈને નિર્દયતાથી તે દરિદ્રને છેદી નાંખ્યો. તેની પત્ની બોલી - હે નિકૃપ ! તેં આ શું કર્યું? ત્યારપછી તેણીને પણ મારી નાંખી, ગર્ભના પણ બે ટુકડા કરી નાખ્યા. ગર્ભ તફડવા લાગ્યો. તેના મનમાં દયા જન્મી, તેને થયું કે મેં ધર્મ કર્યો. તેને દેટતર નિર્વેદ જમ્યો. હવે શું ઉપાય કરવો ? તેણે સાધુઓ જોયા. દેઢ પ્રહારીએ તેમને પૂછયું કે - ભગવત્ ! આવું ભયંકર પાપ કરેલ છે, હવે શો ઉપાય છે ? સાધુઓએ ઘમ કહ્યો. તે તેણે સ્વીકાર્યો, પછી ચાસ્મિ અંગીકાર કર્યું. કર્મોના સમુદ્યાત અર્થે ઘોર ક્ષાંતિ આદિ અભિગ્રહ કરીને ત્યાં જ વિચારે છે. તે સ્થાને તે દઢપ્રહારી મુનિની હેલણા થાય છે, તેને મારે છે તો પણ તે સમ્યફ સહન કરે છે. ઘોર રૂપ કાયલેશ તપ કરે છે. અશનાદિ ન મળે તો પણ સહન કરે છે, વાવ તેણે કર્મોનું નિઘતન કર્યું અને તેને કેવળજ્ઞાન ઉપર્યું, પછી તે સિદ્ધ થાય. • નિયુક્તિ-૯૫૩ : લાંબા કાળની જ જેવું કર્યું કે જે આઠ પ્રકારે બાંધેલ હોય, તેને સીત અને બાત કરેલ હોય તેને સિદ્ધનું સિદ્ધવ જાણવું. • વિવેચન-૯૫૩ : દીર્ધ - સંતતિની અપેક્ષાથી અનાદિવટી સ્થિતિબંધકાળ જેનો છે, તે દીર્ધકાળ અને નિસર્ગ, નિર્મળ, જીવને અનરંજનથી કર્મો જ કહેવાય. તેની દીર્ધકાળની એવી જે રજ, જે કર્મ આવા પ્રકારના છે, તુ શબ્દ ભવ્ય કર્મના વિશેષણ અર્થે છે, કેમકે અભવ્ય કર્મ સવથ બાળી શકાતા નથી. તે ભવ્ય કર્મને શેષ કર્યો, શેષ એટલે સ્થિતિ આદિ વડે, ઘણાં હોવા છતાં સ્થિતિ, સંખ્યા, અનુભાવની અપેક્ષાથી અનાભોગ સદ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિના ઉપાયથી અ૫ કરેલા છે એ ભાવ છે. પહેલાં કેવા હતા તેને અલા કર્યા ? જ્ઞાનાવરણાદિ ભેદથી આઠ પ્રકારના, સિત એટલે બદ્ધ કર્મ કહેવાય છે. હવે નિક્તિને દશવિ છે - બાકી રહેલા બદ્ધકોને ધ્યાનરૂપ અગ્નિ વડે બાળવા જેમ મહાઅગ્નિ વડે લોઢાના મળને પણ ઓગાળી દે, તે સિદ્ધ, એ પ્રમાણે કર્મને બાળ્યા પછી સિદ્ધનું એ પ્રમાણે સિદ્ધવ ઉત્પન્ન થાય છે. અસિદ્ધનું નહીં. - x • તેનો આત્મા સ્વાભાવિક જ કર્મનું આવરણ ખસી જતાં પ્રગટ થાય છે. - X - X - અથવા સિદ્ધનું સિદ્ધવ ભાવરૂપ ઉત્પન્ન થાય છે. પણ દીવો બૂઝાઈ જતાં થતાં અભાવરૂપ એવી સ્થિતિ ન સમજવી.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy