SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧ ૨૨૩ ગયો, સાધુએ તેને વૈરાગ્યોત્પાદક દેશના આપી. પણ નંદને સુંદરીમાં અતિ રણ હોવાથી વૈરાગ્ય માર્ગે વાળવો મુશ્કેલ હતો. તે મુનિ વૈક્રિયલબ્ધિધર હોવાથી વિચાર્યું કે આને બીજી કોઈ રીતે પ્રતિબોધિત કરું. તેણે મેરુ પર્વતની વિકુણા કરી, ત્યારે નંદે કહ્યું કે હું સુંદરીનો વિયોગ સહન કરી શકતો નથી, માટે તે મેરુ પર્વત લેવાની મને ઈચ્છા નથી. હું તેણીને મુહૂર્તમાનમાં લઈને આવતો રહીશ. મુનિએ કબૂલ્યું. ત્યારપછી મુનિએ એક વાનર યુગલ વિકુવ્યું. સત્યનું દર્શન કરાવવા નંદને કહ્યું, સુંદરી અને આ વાંદરીમાં વધુ સુંદર કોણ છે ? વંદે કહ્યું કે આ તુલના જ યોગ્ય છે, ક્યાં સરસવ અને ક્યાં મેરુ પર્વત? એમ કહ્યું તેથી મુનિએ વિધાધર યુગલ દેખાડીને પૂછ્યું કે - હવે આ બેમાંથી કોનું રૂપ ચડિયાતું છે ? ત્યારે નંદ બોલ્યો કે - સુંદરી અને વિધાઘરીનું રૂપ તુલ્ય જણાય છે. ત્યારે મુનિએ તેને દેવયુગલ બતાવીને પૂછ્યું- તો નંદે જણાવ્યું કે દેવીના રૂપ પાસે તો આ સુંદરી તદ્દન વાંદરી જેવી જણાય છે. ત્યારે મુનિએ કહ્યું - થોડા ધર્માચરણના પ્રભાવથી આ દેવ થયો છે. ત્યારે નંદ બોધ પામીને શ્રાવક થયો. પછી તેણે પ્રવજયા પણ અંગીકાર કરી. આ તે સાધુની પરિણામિકી બુદ્ધિ જાણવી. (૧૫) વજસ્વામી - તેમની પારિણામિકી બુદ્ધિ આ પ્રમાણે કહી છે. માતા અનુવર્તવા યોગ્ય નથી, સંઘની અવમાનના કરાય નહીં, માટે દીક્ષા જ શ્રેષ્ઠ વિકલા છે, તેવા પરિણામથી સાધુએ આપેલ જોહરણ લીધું. ઉજજૈનીમાં દેવે વૈક્રિયલબ્ધિ આપી. પાટલીપુત્રમાં પરાભૂત ન થવા માટે વૈક્રિયલબ્ધિથી લાંખ પાંખડીવાળું કમળ વિકુવ્યું, તેની ઉપર બેસીને અતિ સૌમ્યરૂપ વિકુવ્યું. તે દેવતા સદંશ હતું. ઈત્યાદિ • x - પુરિકા નગરીમાં શાસનની અપભાજના ન થાય તે માટે પુષ્પો લાવ્યા, શ્રીદેવી પાસે જઈને હિમવંત પર્વતથી કમળ લાવ્યા. દેવવિમાનમાં પુષ્પો ભરીને લાવ્યા. ઈત્યાદિ બધું જ કહેવું. (૧૬) ચરણાઘાત- રાજાને તેની તરુણ પત્નીએ લાત મારી. તેણે યુવાન અને વૃદ્ધ મંત્રીની બુદ્ધિની પરીક્ષા માટે બધાંને બોલાવ્યા અને તેમને પૂછ્યું કે – જે રાજાના મસ્તકે પગ વડે આહત કરે તો તેને શું દંડ આપવો ? જે તરણો હતા, તેઓ બોલ્યા કે તેના તલ-તલ જેવા ટુકડા કરી દેવા, સ્થવિરોને પૂછયું - તેઓ વિચારવા લાગ્યા કે – આ વાત શક્ય જ નથી. વધુ વિચારતા તેમને થયું કે – નક્કી, સણી સિવાય બીજા કોણ લાત મારી શકે. તેથી આવીને બોલ્યા કે – રાજાને લાત મારે તેનો સત્કાર કરવો. આ તેઓની પારિણામિકી બુદ્ધિ જાણવી. (૧૭) આમલક - કોઈ કૃત્રિમ આમળાને લાવ્યું. એકે જાણ્યું કે આ અતિ કઠિન છે, પણ કાળે આમળું પાકે કઈ રીતે ? માટે આ બનાવટી જ હોય. આ તે જણની પરિણામિડી બુદ્ધિ ૨૨૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ (૧૮) મણિ - એક સર્પ હતો, તે પક્ષીઓના ઇંડા ખાવાને માટે વૃક્ષ ઉપર ચડવા લાગ્યો. ત્યાં કોઈ ગીધ રહેલ હતો, તેણે સાપને મારી નાંખ્યો. તેથી સાપનો જે મણી હતો, તે પડી ગયો. તે સીધો નીચે કૂવામાં પડ્યો. તેની કાંતિના પરિણામથી કૂવામાં રહેલું પાણી લાલ દેખાવા લાગ્યું. જો તે મણી કાઢી લેવામાં આવે તો તેનું પાણી સ્વાભાવિક દેખાવા લાગે. બાળકોએ વૃદ્ધોને આ વાત કરી. વૃદ્ધે કૂવામાં ઉતરી તે મણી લઈ લીધો. આ તે સ્થવિર પુરુષની પરિણામિકી બુદ્ધિ જાણવી. (૧૯) સર્પ - ચંડકૌશિકે વીર ભગવંતને જોઈને વિચાર્યું કે આ તો મહાત્મા છે ઈત્યાદિ બધું કહેવું. શાંત મુદ્રા, દુધની ધારા ઈત્યાદિ જોઈને તેને આવી બુદ્ધિ જાગી. - આ તે સર્પની પારિણામિકી બુદ્ધિ. (૨૦) ગેંડો - કોઈક શ્રાવક પુત્ર હતો. તે ચૌવન અને બળ આદિને કારણે ઉન્મત થયેલો હોવાથી ધર્મ ગ્રહણ કરતો નથી. તે મરીને ગેંડારૂપે ઉત્પન્ન થયો. તેની પાછળ અને બંને પડખે પાંખની જેમ ચામડી લટકે છે અટવીમાં ઉત્પન્ન થાય છે અને તે લોકોને મારતો ફરે છે. તે જ માર્ગે કોઈ વખત સાધુઓ પસાર થઈ રહ્યા હતા. તે ગેંડો વેગથી તેની સામે ધસ્યો. પરંતુ સાધુનું તેજ જોઈને તેમને હણવાને માટે સમર્થ થઈ ન શક્યો. ગેંડો વિચારવા લાગ્યો કે મેં આવાને ક્યાંક પહેલાં જોયા છે. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેણે તુરંત પચ્ચકખાણ કર્યા. મરીને તે સ્વર્ગે ગયો. આ તેની પારિણામિડી બુદ્ધિ જાણવી. (૨૧) સૂપ - વૈશાલી નગરીની મધ્ય મુનિસુવ્રત સ્વામીનો એક સૂપ હતો. તેના પ્રભાવથી, કોણિકે ગમે તેટલો ઉધમ કર્યો તો પણ વૈશાલી નગરીનું પતન થતું ન હતું. તે વખતે આકાશમાં દેવવાણી થઈ અને કૃણિકને કહ્યું કે - “જયારે કૂલવાલક શ્રમણ માગધિકા ગણિકામાં લેપાશે તેની સાથે ભોગમાં પડશે ત્યારે જ સજા અશોકચંદ્ર અર્થાત કોણિક આ વૈશાલી નગરીનું ગ્રહણ કરવા સમર્થ થશે. કોણિક તે કૂલવાલકની તપાસ કરે છે. આ કૂલવાલકની ઉત્પત્તિ શું છે ? તે જણાવે છે - કોઈ એક આચાર્ય હતા. તેને ક્ષાલક શિષ્ય હતો. તે ઘણો અવિનીત હતો. તે આચાર્ય વારંવાર તેની નિર્મર્સના કરતા, ક્ષુલ્લક તેના પ્રત્યે વૈર રાખવા લાગ્યો. કોઈ દિવસે આચાર્ય સિદ્ધ પતિ તે શિષ્ય સહિત દર્શન-વંદન કરવાને ગયા હતા. જ્યારે નીચે ઉતરતા હતા ત્યારે આચાર્યને મારી નાંખવા માટે તે ક્ષુલ્લક સાધુએ શિલા ગબડાવી. આચાર્યએ પમ તે જોયું. જોઈને તેણે બંને પગ ફેલાવ્યા, અન્યથા તે ચોક્કસ મૃત્યુ પામર્યા હોત. ત્યારે તેણે તે ક્ષુલ્લક સાધુને શાપ આપ્યો કે - હે દૂરાત્મા! નિશે તું ભવિષ્યમાં કોઈ સ્ત્રીના કારણે વિનાશ પામીશ. લકે વિચાર્યું કે - આચાર્ય મિથ્યાવાદી થાઓ તેિમની વાણી ખોટી પડો] એમ વિચારી, તે તાપસના આશ્રમમાં રહ્યો. નદીના કિનારે તે આતાપના લેવા લાગ્યો. તે માર્ગમાં જતા-આવતા સાથે અને મુસાફરો પાસેથી મળતી ભિક્ષા દ્વારા જીવન
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy