SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૦ થી ૯૪૨ ૨૦૫ ૨૦૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ ઔપાતિકી બુદ્ધિ. 0 માર્ગમાં સ્ત્રી - મલદેવ અને કંડરીક માર્ગે જતા હતા. એટલામાં કોઈ એક પુરષ તેની આ સાથે જોયો. કંડરીક તેના રૂપમાં મૂછ પામ્યો. મૂલદેવે તેને કહ્યું - હું તને કંઈક ઘટતું કરી આપીશ. પછી મૂલદેવ તેને એક વનનિકુંજમાં સ્થાપીને ઉભો રહ્યો. એટલામાં તે પુરુષ પોતાની સ્ત્રી સાથે આવ્યો. મૂલદેવે કહ્યું - અહીં મારી સ્ત્રીને પ્રસૂતિ આવે તેમ છે, તો આ સ્ત્રીને મોકલો. પે'લા પુરુષે તેની સ્ત્રીને મોકલી, તે સ્ત્રી કંડરીકની સાથે રહીને આવી ગઈ. [સંભોગ કરીને આવી ગઈ.] આવીને પછી વસ્ત્ર લઈને મૂલદેવને તે ધૂત કહે છે અને હાસ્ય કરે છે. પિયાને બાળક થયું નથી. આ તે બંનેની ઔત્પાતિકી બુદ્ધિ.. (૧૫) પતિ- બે પતિ પિરષ)ને એક પત્ની હતી, લોકમાં કહેવાતું કે તે રીતે બંને પતિ ઉપર સમાન સ્નેહ છે, રાજાએ તે વાત સાંભળી. તેને ઘણું વિસ્મય થયું, મંત્રી બોલ્યો - આવું કઈ રીતે થઈ શકે ? અવશ્ય બે ઉપરના સ્નેહમાં તફાવત હોય જ. તેણે તે સ્ત્રીને એક લેખ [] આયો. આ બંનેને બીજે ગામ જવું પડશે. એક પૂર્વમાં જવાનું છે, બીજાએ પશ્ચિમમાં જવાનું છે. તે દિવસે જ આવી જશે. ત્યારે તે સ્ત્રીએ એકને પૂર્વમાં મોકલ્યો, બીજાને પશ્ચિમમાં મોકલ્યો, જેના ઉપર દ્વેષ હતો. તેને પૂર્વમાં જતાં કે પૂર્વથી પાછા આવતા બંને વખતે કપાળે [સામાં) સૂર્ય રહેતો હતો, તેનાથી જાણ્યું કે તેના ઉપર ઓછો પ્રેમ છે. સજાને છતાં શ્રદ્ધા ન થઈ. મંત્રીએ ફરી પણ મોકલ્યા. માણસોના મુખથી બંનેની બીમારીની વાત સાંભળી, તે બોલી અમુક પુરુષ શરીરે મજબુત છે, પણ બીજો મંદ સંઘયણવાળો છે, માટે મારે જાતે જ ઉપચાર કસ્વો પડશે, તેથી તેણી તે તરફ ગઈ ત્યારે લોકોએ જાણ્યું કે તે બીજો પુરુષ તે સ્ત્રીને વધુ ઈષ્ટ છે. આ તે મંત્રીની ઔત્પાતિકી બુદ્ધિ. (૧૬) પુત્ર - એક વણિક્ત બે પત્ની હતી, બંને માટે સમાન સ્નેહ હતો. તે બીજા રાજ્યમાં ગયો, ત્યાં મરણ પામ્યો. તેની એક પનીને હતો તે પણ બંને માતામાં કોઈ તફાવત જાણતો ન હતો. એક સ્ત્રી બોલી કે આ પુત્ર મારો છે, બીજી સ્ત્રી બોલી - પુત્ર મારો છે. તેનો વિવાદ શાંત થતો ન હતો. મંત્રી બોલ્યો - જે ધના છે તેના બે ભાગ પાડી લો, પુત્રના પણ બે ભાગ કરવત વડે કરી નાંખો. જે તે પગની ખરેખરી માતા હતી તે બોલી - આ મને મારશો નહીં, તેણીને જ આપી દો. ત્યારે આ જ ખરી માતા છે તેમ જાણી તેને પણ આપી દીધો. આ તે મંત્રીની ઓત્પાતિકી બદ્ધિ. [ધે વિક્તિ -૯૪માંના બાકીના દૃષ્ટાંતોનું વિવરણ કરે છે. (૧૩) મધુસિક - મધપુડો. કોઈ સ્ત્રી કુલટા હતી [કોલિકી] ઝાડી વચ્ચે કોઈ પક્ષ સાથે રતિક્રિડા કરતી સુતેલી હતી. તેણીએ ઉપર મધપુડો છે તેમ જાણું. ત્યારપછી જ્યારે તેનો પતિ મધ ખરીદવા જતો હતો ત્યારે તેને રોક્યો, તેને કહ્યું કે - મધ ખરીદ ન કરો, હું તમને મધપુડો દેખાડું છું. તે બંને માણસ ઝાળીમાં ગયા. પુરુષને મધપુડો ન દેખાયો. પછી તે વણકરપુત્રીએ તેિની પત્નીએ જે રીતે બીજા પુરૂષ સાથે રતિક્રિડા કશ્તી તે જ આસને સૂઈને-રહીને મધપુડો બતાવ્યો ત્યારે પુરુષ સમજી ગયો કે આ સ્ત્રી કુલટા (રખડુ છે, અન્યથા તેને આ મધપુડાની ખબર કેમ પડી ? આ તેની ઔત્પાતિકી બુદ્ધિ. (૧૮) મુદ્રિકા - પુરોહિત, તેને ત્યાં થાપણ મૂકેલ ધન કોઈને પાછું આપતો ન હતો, કોઈ દિવસે કોઈ કુમકે તેને ત્યાં થાપણ મૂકી, પાછું લેવા ગયો ત્યારે ન આપ્યું. તે દ્રમક વિહ્વળ થઈ ગયો. અમાત્ય ગયો. તેણે પણ માંગણી કરી • x - રાજાએ પુરોહિતને કહ્યું, પુરોહિત આપતો નથી, તે બોલ્યો કે મેં લીધા જ નથી. - x • x - કોઈ વખતે રાજ સાથે જુગાર રમતો હતો, નામ મુદ્રિકા લીધી. રાજાએ લાખ મુદ્રા મનુષ્યના હાથમાં આપી, કહેવડાવ્યું કે અમુક કાળે દ્રમકે હજાર નકુલક તમારે ત્યાં થાપણ મૂકેલા, તે આપો. તેની પત્ની બોલી આમાંથી જે હોય તે ઓળખી લો. માણસ લઈને આવ્યો. દ્રમકે ઓળખીને પોતાની થાપણ લઈ લીધી. પુરોહિતની જીભ છેદાઈ. આ તે રાજાની ઔપાતિકી બુદ્ધિ. (૧૯) અંક - પૂર્વવત કોઈ એક થાપણ મૂકેલી. ચિહ્ન કરી, થેલી સીવીને મૂકેલી. થાપણ લેનારે તેમાં ખોટા રૂપિયા ભરીને મૂકી દીધા. તે પ્રમાણે જ સીવી દીધી. થાપણ લેવા આવ્યો ત્યારે થેલી આપી દીધી. તેણે મુદ્દા ઉઘાડી, ખોટા રૂપિયા જોયા. વિવાદ થયો, રાજ દરબારે પહોંચ્યા. પૂછ્યું કેટલા રૂપિયા મૂકેલા ? - હજાર રૂપિયા. ગણીને ગાંઠ બાંધી દીધી. પણ થાપણ લેનારો તેને પૂર્વવતુ સીવી શક્યો નહીં. તેનાથી જાયું કે તે ખોટો છે. મૂકનાને સાચા રૂપિયા અપાવ્યા. આ તે કારણિકની ઔત્પાતિકી બુદ્ધિ. (૨૦) નાણક * પૂર્વવત્ થાપણ મૂકી, પાછા આપની વેળા નવા અને અનામૂલ્યવાળા દ્રવ્યને પાછું આપ્યું. દ્રમ્મ (મૂળ નાણાં) સંબંધી પૃચ્છા થઈ. રાજકુળે વિવાદ ગયો. અમાત્યએ લેવડદેવડ વખતનો કાળ પૂણ્યો. દ્વમકે તે કાળ કહ્યો,તે ચિરંતન કાળ હતો. તે જાણીને થાપણ લેનારને દંડ કર્યો. આ તે ન્યાય કરનારની ઔત્પાતિકી બદ્ધિ. (૨૧) ભિક્ષુ - પૂર્વવત્ નિક્ષેપ. ભિક્ષુ નાણા પાછો આપતો નથી. દ્રમકે જુગારીની સહાય માંગી, તેઓએ પૂછતાં જે ઘટના બનેલી તે કહી દીધી. તેઓ સોનાની ખોલક લઈને ભિક્ષની પાસે ગયા. અમે ચૈત્યોના વંદનાર્થે જઈએ છીએ. આ થાપણ રહેવા દો. પે'લા કુમકને કહી રાખેલ કે તું આ અવસરે આવીને તારી થાપણ પાછી માંગ છે. તે ભિાએ નવી થાપણના લોભથી તેની થાપણ પાછી આપી દીધી. ધુતકારો “અમારી થાપણ પેટીમાં રાખીને કાલે આવીશું” એમ કહીને નીકળી ગયા - આ તે ધુતકારોની ઔપાતિકી બુદ્ધિ. (૨૨) ચેટક નિધાન - બે મિત્રો હતા. તે બંનેએ નિધાન જોયું. આવતી કાલે સારા નક્ષત્રમાં લઈ જઈશું એમ નક્કી કર્યું. તેમાંથી એક મિત્રે રાત્રે બધું લઈને તેમાં અંગારા ભરી દીધા. બીજે દિવસે નિધાનમાં અંગારા જોયા. તે ધd બોલ્યો - અહો! આપણે મંદપુણ્ય છીએ, નહીં તો નિધાનના અંગારા કઈ રીતે થઈ ગયા ? બીજા મિત્ર તે વાત જાણી ગયો. પણ મનને ભાવ તેણે જણાવવા ન દીધો. તેણે પે'લા મિત્રની પ્રતિમા બનાવી. ત્યારપછી બે વાંદરા લાવ્યો. તેની ઉપર ભોજનાદિ આપે છે. તે બંને
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy