SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ • ૯૩૯ ૧૯ ૨૦૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર ધે વિનેયજનના અનુગ્રહાયેં આના જ સ્વરૂપને પ્રતિપાદન કરવાને માટે ઉદાહરણો પ્રતિપાદન કરતા કહે છે - • નિયુક્તિ -૯૪૦ થી ૯૪ર : ૧- ભરતની શિલા, - પણ, 3- વૃક્ષ, ૪- શુલ્લક, ૫- પટ, ૬- સરસ્ટ, 9- કાગડો, ૮- વિષ્ટા, ૯- હાથી, ૧૦- ભુંડ, ૧૧- ગોળો, ૧ર- તંભ, ૧૩જીલ્લક [શિષ્ય), ૧૪- માર્ગ , ૧૫- પતિ, ૧૬- પુ. આ દષ્ટાંત છે. ૧- ભરતશિલા, ર- મેંઢ, ઘેટું 3- કુકડો, ૪- તલ, ૫- વાલુકા, ૬- હાથી, * કૂવો, ૮- વનખંડ, ૯- ખીર, ૧૦- બકરીની વિંડી, ૧૧- , ૧ર- ખાડ હિલ્લા, ૧૩- પાંચ પિતા.... ૧૭- મધપુડો, ૧૮- મુદ્રિકા, ૧૯- અંક, ૨૦- નાણક, ૧- ભિ, રરચેટક નિધાન, ૩- શિક્ષા, ર૪- અર્થશાસ્ત્ર, ૫ મારી ઈચ્છા, ૨૬- લાખ. [આટલા દષ્ટાંતો અહીં વિચારવા] • વિવેચન-૯૪૦ થી ૯૪ર : આ ગાથાઓનો અર્થ કથાનકો વડે જાણવો. તે આ પ્રમાણે -(૧) ભરતશિલા - ઉજ્જૈની નગરીની નજીક એક નટોનું ગ્રામ હતું. ત્યાં એક નટની પત્ની મૃત્યુ પામી. તેનો પુત્ર નાનો હતો. તે નટડ બીજી પત્ની લાવ્યો. તે બીજી પત્ની તે બાળક સાથે સારો વર્તાવ રાખતી ન હતી. તે બાળકે કહ્યું - મારી નવી મા મારી સાથે યોગ્ય વર્તાવ કરતી નથી. તો તેવું કંઈક કરું કે જેથી તે મારા પગે પડી જાય. [ત્યા૫છી] તેણે રાત્રિના પિતાને સહસા કહ્યું - આ અધમ છે, અધમ છે. નટે જાણ્યું કે મારી પત્ની વિનષ્ટ છે, નટ મંદ સગવાળો થયો. નવી મા બોલી - હે પુત્ર ! તું એવું ન કરીશ. પુત્ર બોલ્યો - મારી સાથે બરાબર કેમ વર્તતી નથી ? તેણી બોલી - હવે વર્તીશ. તું વર્તીશ તો હું સારું કરી દઈશ. તેણી પુત્ર સાથે બરાબર વતવા લાગી. અન્યદા છાયામાં જ આ અધમ છે, અધમ છે, એમ બોલતા, પૂછ્યું કોણ ? તેણે છાયા દશવી. ત્યારે તેનો પિતા લજા પામ્યો. તેની પત્નીમાં ઘન સગવાળો થયો. તે પણ પિતા સાથે શાંતિથી જમવા લાગ્યો. અન્ય કોઈ દિવસે પિતાની સાથે ઉની ગયો. નગરી જોઈને પિતા-પુત્ર બંને નીકળી ગયા. તેના પિતા કંઈક ભૂલી જવાથી કરી ત્યાં ગયા. તે પુત્રએ શિખાનદીની રેતીમાં ઉજૈની નગરી આલેખી. તે નગરી અંતઃપુર સહિત આલેખી. પછી ત્યાં રાજા આવ્યો. રાજાને અકાવીને કહ્યું - રાજકુળના ગૃહની મધ્ય ન જતા, ઈત્યાદિ - ૪ - રાજાએ પૂછયું કે તું ક્યાં રહે છે? ગામ વગેરે. તેટલામાં તે બાળકના પિતા આવી ગયા. રાજાને ૫oo મંત્રીમાં એક ઓછો હતો. તે એક મંત્રી શોધતો હતો. કે જે બધાં મંત્રીઓમાં મુખ્યમંત્રી બને. તેની પરીક્ષા નિમિત્તે તે ગામને કહ્યું- તારા ગામની બહાર મોટી શિલા છે, તેનો મંડપ બનાવ. તે ઓ તો અવૃતિને પામ્યો. તે બાળક ‘એક’ નામે હતો, ભુગો થયેલો. તેના પિતા ગ્રામની પાસે ઉભા હતા. સૂર્યાસ્ત સમયે રડતો રડતો આવ્યો. અમે ભુખ્યા ઉભા છીએ. ઈત્યાદિ - x •x - તે રોહકે કહ્યું – તે શીલાની નીચે ખોદીને સ્તંભ આપો, થોડી થોડી ભૂમિ બનાવી. પછી ઉપલેપન ઉપચારથી મંડપ બનાવ્યો. એ રીતે મંડપ થઈ ગયા પછી રાજાને નિવેદન કર્યું. રાજાએ પૂછ્યું કે આ મંડપ કોણે બનાવ્યો ? તે ભરત નટના પુત્ર રોકે બનાવ્યો. આ તેની ઔપાલિકી બુદ્ધિ. એ પ્રમાણે બધે યોજના કરવી. (૨) ઘેટું - ત્યારપછી સજાએ ઘેટું મોકલ્યું. કહેવડાવ્યું કે- આને ખવડાવજો. પરંતુ તેનું જેટલું વજન છે, તેટલાં જ વજનનું ઘેટું પાછું આપવું. ભરતનટે તેને પૂછ્યું, રોહકે કહ્યું – તેને વર નજીક બાંધો દો અને ઘાસ વગેરે ખાવા આપો. તે ખાશે એટલે વજન ઘટશે નહીં અને વરને જોઈને વજન વધશે નહીં. (3) કુકડો - એ પ્રમાણે કુકડાને અરીસા સામે લડાવ્યો. (૪) તલ - તલ જેટલું તેલ આપવું. તલને દર્પણ વડે માપ્યા. (૫) વાલુકા - રેતીનું દોરડું મંગાવ્યું, કહ્યું કે નમુનો મોકલો. (૬) હાથી - વૃદ્ધ હાથીને ગામમાં મોકલ્યો, હાથી અપાયુ હતો, મરેલો પાછો આપ્યો પણ ‘મયોં છે' તેમ નિવેદન ન કરવું. રોજેરોજની તેની પ્રવૃત્તિ કહેવી. પાછો નહીં આપો તો તમને પકડી લઈશું. હાથી મરી ગયો. તે ગ્રામિકો ખેદ પામ્યા. ત્યારે ભરતના પુત્ર રોહકના વચનથી નિવેદન મોકલ્યું કે તે હાથી ઉભો થતો નથી, બેસતો નથી, ખાતો નથી, નીહાર [મળત્યાગ કરતો નથી. શ્વાસ લેતો નથી વગેરે વગેરે. રાજાએ પૂછ્યું - તો શું હાથી મરી ગયો છે ? ગ્રામિકો બોલ્યા એવું તમે કહો છો, અમે કહ્યું નથી. (9) કૂવો - તમારા ગામનો કૂવો મોકલો. રોહકે કહેવડાવ્યું કે આ ગામનો કૂવો છે, તે આવવા સમર્થ નથી, તમે નગરના કૂવાને લેવા મોકલો. (૮) વનખંડ - ગામથી વનને પૂર્વ દિશામાં કરી દો. ત્યારે સેહકે ગામને પશ્ચિમ દિશામાં વસાવી દીધું. (૯) ખીર - આગ વિના રાંધવા કહ્યું, તો છાણ અને ઘાસની ઉમા વડે રાંધી બતાવી. ત્યારપછી રાજાએ એ પ્રમાણે પરીક્ષા કરીને પછી આજ્ઞા કરી કે - તે જ બાળક સાથે આવી જાઓ. તે પણ શુક્લ પક્ષમાં નહીં કે કૃષ્ણ પક્ષમાં નહીં, રમે નહીં કે દિવસે નહીં, છાયામાં નહીં કે તડકામાં પણ નહીં, છગથી નહીં, આકાશથી નહીં, પગે ચાલીને નહીં કે વાહન વડે પણ નહીં. માર્ગથી નહીં કે ઉન્માર્ગથી પણ નહીં. ન્હાઈને નહીં કે મલિનપણે નહીં. ત્યારપછી રાજપુરષોએ આવીને નિવેદન કર્યું. ત્યારે [રોહકની બુદ્ધિથી] તેઓએ દેશ નાન કર્યું, ચક મધ્ય ભૂમિમાં એડક [ઘેટા ઉપર બેસીને, મસ્તક ઉપર ચાલણી રાખીને ચાલ્યા. બીજા કોઈ કહે છે કે - શાકટલની - સાદડી પ્રદેશ બદ્ધ છાદિત વસ્ત્ર વડે ગયા. સંધ્યા સમયે, અમાવાસ્યાના દિવસે, સંધ્યામાં રાજાની પાસે આવ્યા. રાજાની પુજા કરી અને તે આસને ઉભો રહ્યો. - પહેલો પ્રહર વિત્યો ત્યારે રાજાએ અવાજ કર્યો અને પૂછ્યું કે - સુતો છે કે જાણે છે ? એક બોલ્યો - હે સ્વામી! હું જાણું છું. રાજાએ પૂછ્યું શું વિચાર કરે છે ? રોહકે કહ્યું - અશ્વત્થ શોમાં શું દંડ મહાનું છે કે તેની શિખા મહાનું છે ?
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy