SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ • ૯૩૫ ૧૯૩ ૧૯૮] કલેશક્ષમ છે. વ્યાપાર પછી પણ આ ઘર્ષિત થતું નથી. વર્ષ સમિમાં લાકડાઓ લાવવા છતાં પણ તેમજ છે. ત્યારે રાજા બોલ્યો - તું જ તારા મનોરથ પૂરા કર. કેમકે તું જ તે પૂરા કરવા સમર્થ છે. હું પુરા કરી શકીશ નહીં. તેણે સમય જતાં પૂરા કર્યા. રાજાનો ત્યાંથી નીકળી ગયો. આ આવા પ્રકારે અર્થસિદ્ધ કહ્યો. હવે ચામાદિ સિદ્ધ કહે છે - • નિર્યુક્તિ -૯૩૬ - જેની યાત્રા નિત્ય સિદ્ધ છે, જેમ વર પામેલા ડિક વગેરે માફક, તે જ નિશે યાસિદ્ધ છે. અભિપાય એ બુદ્ધિનો પર્યાય છે. • વિવેચન-૯૩૬ - જે નિત્ય યાત્રાસિદ્ધ છે. શું કહેવા માંગે છે ? સ્થળ અને જલયારી માર્ગમાં સદૈવ અવિસંવાદિતાથી તે અહીં લેવા. અથવા વર(દાન) પામેલા જે તુંડિક આદિ જેવા છે, તે યાત્રા સિદ્ધ છે. ઉત્તર દ્વારના અનુસંધાનાર્થે કહે છે. અભિપ્રાય એ બુદ્ધિનો પર્યાય છે. એમ ગાથાર્થ કહ્યો. - ભાવાર્થ તો આખ્યાનગોચર છે. તે આ પ્રમાણે – પહેલાથી આ જ સુધીમાં જે બાર વખત સમુદ્રને અવગાહીને કૃતકાર્ય આવે છે તે યાત્રાસિદ્ધ. તેમાં બીજા પણ જતા એવા યાત્રાસિદ્ધિ નિમિતો દેખાય છે. એક ગામમાં તેડિક નામે વણિક હતો. તેને લાખ વખત વહાણ ભાંગ્યુ, તો. પણ તે યાત્રાથી અટકતો નથી અને કહે છે - જળમાં જે નાશ પામ્યું છે, તે જળમાં જ પ્રાપ્ત થશે. સ્વજનાદિ વડે અપાતું તે લેતો નથી. ફરી ફરી, તે-તે ભાંડ લઈને જાય છે. તેના નિશ્ચયથી દેવતા પ્રસન્ન થયા. પ્રચુર પ્રચુર દ્રવ્ય આપ્યું અને પૂછ્યું - બીજું પણ અમે તારા માટે શું કરીએ ? તુંડિકે કહ્યું - જે મારું નામ લઈને સમુદ્રમાં જાય તે વિપત્તિ પામ્યા વિના પાછો આવે - તેમ કરો. તેઓએ એ વાત કબુલ રાખી. એ પ્રમાણે આ યાત્રાસિદ્ધ કહ્યો. બીજા એવું કહે છે કે – ખરેખર નિર્યામકનું વાસુલ સમુદ્રમાં પડી ગયું. તે [તુંડિક તેને માટે સમુદ્રને ખાલી કરવામાં પ્રવૃત થયો. તેને થાક્યા વગર તેમ કરતો જોઈને દેવતા દ્વારા વરદાન અપાયું. હવે અભિપાયસિદ્ધને પ્રતિપાદનાર્થે કહે છે. • નિયુક્તિ-૯૩૭ : જેની મતિ બિ]િ વિપૂલ, વિમલ, સુક્ષ્મ હોય અથવા જે ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન હોય તે બુદ્ધિ સિદ્ધ છે અને તે આ બુદ્ધિ છે - • વિવેચન-૯૩૭ : વિપુલ - વિસ્તારવાળી, એક પદ વડે અનેક પદને અનુસરનારી, વિમલા - સંશય વિપર્યય અનધ્યવસાય મળતી રહિત, સૂક્ષ્મા - અત્યંત દુ:ખાવબોધ સૂમ વ્યવહિત અર્થને જાણવામાં સમર્થ. આવા પ્રકારની જેની બુદ્ધિ છે, તે બુદ્ધિસિદ્ધ કહેવાય. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર અથવા તે બુદ્ધિ ચાર ભેદે કહેલી છે - ઔત્પાતિકી આદિ ભેદથી બુદ્ધિ વડે સંપન્ન તે બુદ્ધિસિદ્ધ કહેવાય છે. તે ચાર પ્રકારની બુદ્ધિ હવેની નિયુક્તિમાં બતાવે છે – • નિયુક્તિ-૯૩૮ - ત્પાતિકી, સૈનચિકી, કાર્મિકી અને પરિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિ કહેલી છે. પાંચમી બુદ્ધિ જોવા મળતી નથી. • વિવેચન-૯૩૮ : (૧) ઉત્પત્તિ એ જ જેનું પ્રયોજન છે તે ઔત્પાતિકી, [પ્રશ્નો આનું પ્રયોજન ફાયોપશમ છે? [ઉત્તર) સત્ય. પરંતુ તે કારણ તો અંતરંગ કારણ છે, સર્વબુદ્ધિ સાધારણ છે, માટે તેની વિવક્ષા કરતા નથી. બીજા શાયર કે કમભ્યાસાદિની અપેક્ષા રાખતા નથી. (૨) વિનય - ગુરુ શુકૂષા. તે જેમાં કારણ છે, અથવા તે જ મુખ્ય છે જેમાં તે બુદ્ધિ વૈનાયિકી બુદ્ધિ જાણવી. (3) આચાર્ય સહિત તે કર્મ, આચાર્ય સહિત તે શિલા. ક્યારેક કર્મ અને શિપ એ નિત્ય વ્યવહાર કહેવાય છે. “ના’ કર્મ વડે ઉત્પન્ન થયેલ બુદ્ધિ, તે કર્મજા બુદ્ધિ કહેવાય છે. (૪) પર - ચોતરફથી નમન પરિણામ - સુદીર્ધકાળ પૂવપરાર્થ અવલોકનાદિ જન્ય આત્મધર્મ. તે જેમાં કારણ છે કે તે મુખ્ય જેમાં છે તેવી બુદ્ધિ તે પરિણામિકી બુદ્ધિ કહેવાય છે. જેના વડે બોધ થાય તે બુદ્ધિ અર્થાત્ મતિ. તેને ચાર પ્રકારે તીર્થકર અને ગણધરોએ કહેલી છે કેમ ? કારણ કે તેનાથી પાંચમી બુદ્ધિ ઉપલબ્ધ થતી નથી. કેવલીને પણ તે અસત છે. ત્પાતિકીના લક્ષણ જણાવવા માટે કહે છે – • નિયુક્તિ-૯૩૯ : પૂર્વે ન જોયેલ, ન સાંભળેલ, ન જાણેલ તે જ ક્ષણે વિશુદ્ધ અને ગ્રહણ કરેલ, અવ્યાઘાત ફળ સાથે યોગ કરાવનારી જે બુદ્ધિ તેને ઔત્પાતિકી નામની બુદ્ધિ કહેવાય છે. • વિવેચન-૯૩૯ : પૂર્વ - બુદ્ધિના ઉત્પાદથી પહેલાં, સ્વયં ન જોયેલ કે બીજા પાસે ન સાંભળેલ, મનથી પણ આલોચના ન કરેલ. તે જ ક્ષણે વિશુદ્ધ એટલે કે યથાવસ્થિત ગ્રહણ કરેલ - અવઘારેલ, અર્થ - અભિપ્રેત પદાર્થ જેના વડે તે બુદ્ધિ - તથા - અહીં એકાંતે આલોક કે પરોલકી અવિરુદ્ધ. બીજા ફળને અબાધિત અથવા અવ્યાહત કહેવાય છે, ફળ-પ્રયોજન તે અવ્યાહતફળ, તેવા યોગો જેના છે તે યોગિની એવી બુદ્ધિ. બીજા કહે છે – અવ્યાહત ફળ વડે યોગ જેનો છે, તેવી બુદ્ધિ તે ઔત્પાતિકી નામની બુદ્ધિ કહેવાય છે.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy