SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮ ૧૮૫ તેણીને ધર્મના નાશ માટે ચિંતવે અથવા તેને વિચારે નહીં. ૧૯)- ગામ આદિ અનિયત સ્થાયી અથવા સદા અનિયત આલપ છે. વિવિધ અભિગ્રહો વડે યુક્ત એવી ‘ચર્યા' એકનો આશ્રય કરે. ૧૧૦ - શ્મશાનાદિમાં પણ નિષધા કરે, સ્ત્રી આદિ કંટકને વર્ષે. અનિટ કે ઈષ્ટ એવા કોઈપણ ઉપસર્ગની સ્પૃહા ન કરે, પણ ખમે. (૧૧)- શુભ કે અશુભ શય્યામાં, સુખ કે દુઃખમાં સમુસ્થિત થઈ સહે ન૧૨)- આકૃષ્ટ થઈ મુનિ આક્રોશ ન કરે - X - કોઈ પ્રત્યે દ્વેષ ન કરે. ન૧૩)- હણતાને સહપ્ત કરે તે જ મુનિ, પ્રતિહણવાનું કામ ન કરે. ન૧૪)- પરદાના ઉપજીવી હોવાથી યતીને અયાયિત કશું ન હોય. જે કારણે આ યાચના દુ:ખ છે. તે સહન કરે પણ અગારીપણું ન ઈચ્છે. ન૧૫)- બીજા માટે કરેલ કે બીજા માટેનું અણ આદિ પ્રાપ્ત થાય કે ન પણ થાય, પ્રાપ્ત થતાં અહંકાર કે નિંદા ન કરે. - ૪ - (૧૬)રોગ આવે ત્યારે ઉદ્વેગ ન કરે, ચિકિત્સાની ઈચ્છા ન કરે, તે રીતે અદીતપણે સહન કરે, શ્રામસ્થની અનુપાલના કરે. ૧૭)- વસ્ત્રમાં કે કદાચિત્ તૃણાદિમાં તેના સંસ્પર્શથી ઉદ્ભવેલ દુ:ખને સહન કરે, પણ તેમાં મૃદુની ઈચ્છા ન કરે. ૧૧૮)- મેલ, પંક, રજ આદિ, ગ્રીષ્મના ઉનાળામાં પરસેવો થાય તો પણ ઉદ્વેગ ન પામે. સ્નાનને ન ઈચ્છે પણ તેને સહન કરે. –૧૯)- ઉત્થાન, પૂજન, દાનની સ્પૃહા ન કરે. લબ્ધિમાં મૂર્શિત ન થાય અને સહકાર ન પામે દીનતા ન લાવે. (૨૦)- કર્મના દોષને જાણનારો જિજ્ઞાસુ અજાણ વસ્તુમાં મોહ ન પામે. ન૧- વિરત, તપયુક્ત એવો હું છાસ્થ છું, તો પણ ધમદિ ફળ ન ઈચ્છે. ૨૨)- જિનેશ્વરોએ તેમને કે જીવને ભવાંતરમાં ધમધિર્મ કહેલ છે. તે પરોક્ષરૂપે મૃષા નથી, મહત ગ્રહથી તેમ ચિંતવે. શારીરિક કે માનસિક સ્વ-પર પ્રેરિત એવા પરીષ હોતો મુનિ સદા મન, વચન, કાયાથી સહન કરે. જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય કર્મના ઉદયભૂત પરીષહો સંભવે છે. ભૂખ, તરસ, શીત, ઉષ્ણ, દેશમશકાદિ, ચ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ વેદનીયકર્મથી ઉદ્ભવે છે અને અલાભ નામનો પરષહ અંતરાયકર્મથી ઉદભવે છે. પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ જ્ઞાનાવરણથી સંભવે આ ચૌદ પરીષહોનો સંભવ સૂક્ષ્મ સંપરાય અને છાસ્ય અરાણીને પણ સંભવે છે તેમ જાણવું. ભુખ, તરસ, શીત, ઉણ, દંશ, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા, વધ, મલ, શય્યા, રોગ, નૃણ સ્પર્શી જિનને વેદવાના સંભવે છે. આ અર્થ સંક્ષેપમાં કહ્યો. અવયવાર્થ પરીષહ અધ્યયનથી જાણવો. ૧૮૬ આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ અહીં પણ દ્રવ્ય ભાવ વિભાષા છે. દ્રવ્યપરીષહો આલોકના નિમિતે જેઓ પરવશ થઈને કે બંધનાદિથી સહન કરે છે. તેનું ઉદાહરણ જેમ ચક્રમાં સામાયિકમાં ઈન્દ્રપુરમાં ઈન્દ્રદત્તના પુત્રનું કહ્યું તે જાણવું. ભાવપરીષહ , જે સંસારસુચ્છેદ નિમિતે અનાકુળપણે સહન કરે છે, તેને જ પ્રશસ્ત જાણવા. હવે ઉપસર્ગ દ્વારનો અવસર છે - તેમાં ૩૫ - સામીથી, સર્જન તે ઉપસર્ગ અથવા જેના વડે ઉપસર્જન થાય તે ઉપસર્ગ - કરણ સાધન. ઉપસર્જન થાય તે - એ ઉપસર્ગ કર્મસાધન છે. ઉપસર્ગ પ્રત્યય ભેદથી ચાર પ્રકારે છે – દિવ્ય, માનુષ, તિર્યંચયોનિક અને આત્મ સંવેદન ભેદથી. તેમાં દિવ્ય ઉપસર્ગ ચાર પ્રકારે છે - હાસ્યથી, પ્રàષથી, વિમર્શથી, પૃથક્ વિમાત્રાથી. હાસ્યમાં-ક્ષલક. નાના સાધુઓ બીજા ગામમાં ભિક્ષાચર્થેિ ગયા. વ્યંતરી પાસે ઉપયાચના કરી. જો આપણને કંઈ મળે તો વિકટચ્ય લઘુ કૃષ્ણ વર્ણવી અર્ચન આપીશું. તેમને પ્રાપ્ત થયું. વ્યંતરીએ માંગ્યુ, તેઓ પરસ્પર બોલ્યા કે માંગે તે આપી દેવું. ત્યારે સ્વયં જ તેણીને પ્રસ્થાદિત કરી. કાંદર્પિક દેવો તેમનું ૫ આવરીને મતા હતા. વિકાલે શોધ્યા, ન જોયા. દેવતાએ આચાર્યને કહ્યું. પ્રàષમાં સંગમ થયો. વિમર્શ કરવા એક દેવકુલિકામાં સાધુઓ વષરામ રહીને ગયા. તેમાંનો એક પૂર્વે મોકલેલ, ત્યાં જ વપરખ કરવાને આવ્યો. તે દેવકુલિકામાં રહ્યો. દેવતા વિચારે છે કે – આ દેઢ ધર્મી છે કે નહીં. શ્રાવિકા રૂપે ઉપસર્ગ કરે છે, તે સાધુએ આહારદિ ન લીધા. દેવીએ સંતુષ્ટ થઈ વાંધા. પૃથ વિમાબા હાસ્યથી કરીને પ્રસ્વેષથી કરાય, એ પ્રમાણે સંયોગ કહ્યો. માનુષ્ય ઉપસર્ગ ચાર ભેદે છે – હાસ્યથી, પ્રણથી, વિમર્શી, કુશીલ પ્રતિ સેવનાથી, હાસ્યમાં ગણિકાની પુત્રીનું દષ્ટાંત છે. નાનો સાધુ ભિક્ષાને માટે જતાં ઉપસર્ગ કરે છે. તેણે માર્યો. ગણિકાએ રાજાને ફરિયાદ કરી, નાના સાધુને બોલાવ્યો. શ્રીગૃહનું દૃષ્ટાંત કહે છે. પ્રàષમાં ગજસુકુમાલને સોમભૂતિ મારી નાંખ્યાનું દષ્ટાંત છે અથવા એક બ્રાહ્મણ કોઈ એક અવિરતિકા સાથે અકાર્ય સેવતો હતો તે સાધુ વડે જોવાયું. તેમને તેષ ઉત્પન્ન થયો, સાધુને મારવા માટે દોડ્યો. સાધુને પૂછે છે, તું કેમ આ તરફ જુએ છે ? સાધુ કહે બે કાન વડે ઘણાં શ્લોક સાંભળ્યા. વિમથિી - ચંદ્રગુપ્ત રાજાને ચાણક્યએ કહ્યું - પારમિકનું કંઈક કરો. તે કદાય સુશિષ્ય થાય. અંતઃપુરને માટે ધર્મકથન કર્યું. અન્યમતીઓ ઉપસર્ગ કરે છે, તેનો વિનાશ કર્યો, કાઢી મૂક્યા. સાધુઓને બોલાવ્યા, તેઓએ કહ્યું - જો રાજા હાજર રહે તો ધર્મ કહીશ. ત્યાં સાધુ ગયા, રાજા નીકળી ગયો. અંત:પુરિકા ઉપસર્ગ કરવા લાગી. તેમને માર્યા. શ્રી ગૃહ દેટાંત કહે છે. કુશીલ પ્રતિસેવનામાં ઈર્ષાળુ, ચાર પનીઓ, રાજ કુટુંબ. તેણે ઘોષણા
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy