________________
ઉપોદ્ઘાત નિ - ૭૮૨,૭૮૩, ભાષ્ય-૧૪૪
કલ્યાણ થાય છે, જેના પ્રત્યાખ્યાનમાં પરિમાણ હોય, તેનું પ્રત્યાખ્યાન દુષ્ટ-અશોભન છે. શા માટે ? કેમકે તેમાં આશંસા રહે છે. - x - આ વિષયમાં પણ વિંધ્ય મુનિ તેની સાથે સંમત ન થતા ગોષ્ઠા માહિલ અભિનિવેશથી પુષ્પમિત્ર પાસે જઈને બોલ્યો – આચાર્ય કંઈક જુદુ કહે છે, તમે કંઈક અન્યથા પ્રરૂપણા કરો છો. તેને પુષ્પમિત્ર આચાર્યએ - ૪ - ૪ - ૪ - વિવિધરૂપે સમજાવ્યો કે સાધુને હું મૃત્યુ બાદ આ બધું સેવીશ તેવી ભાવના હોતી નથી, પણ પ્રત્યાખ્યાન પાલન ઈચ્છા જ હોય છે પરંતુ મૃત્યુ બાદ દેવભવાદિમાં વ્રતનો ભંગ ન થાય તે માટે કાળની અવધિ કરાય છે. અપરિમાણ પક્ષમાં તો ઘણાં જ દોષો છે. - x - x
- x -
EE
એ પ્રમાણે ઘણી રીતે આચાર્ય એ સમજાવ્યા છતાં ગોષ્ઠા માહિલે તેનો સ્વીકાર ન કર્યો. એ પ્રમાણે કોઈપણ રીતે સ્વીકાર ન કરતા સંઘ એકઠો કર્યો. દેવી માટે સર્વ સંઘે કાયોત્સર્ગ કર્યો. જે ભદ્રિકા હતી તે દેવી આવીને કહે છે કે આજ્ઞા કરો. ત્યારે તેણીને કહ્યું કે – તીર્થંકર પાસે જા અને પૂછે કે – જે ગોષ્ઠામાહિલ કહે છે, તે સત્ય છે કે દુર્બલિકા પુષ્પમિત્ર આદિ સંઘ કહે છે તે સત્ય છે ? ત્યારે દેવીએ કહ્યું કે – મારા ઉપર એક ઉપકાર કરો. મારા ગમનના અપ્રતિઘાત નિમિત્તે તમે બધાં કાયોત્સર્ગ કરો. ત્યારપછી તેણી ભગવંતને પૂછીને આવી, આવીને કહ્યું કે – જે સંઘ છે, તે સમ્યવાદી છે અને ગોષ્ઠા માહિલ મિચ્છાવાદી છે. ત્યારે ગોષ્ઠા માહિલ બોલવા લાગ્યો કે આ તો અલ્પઋદ્ધિવાળી છે, તે બિચારીની જવાની શક્તિ જ ક્યાં છે ? પછી પણ શ્રદ્ધા કરતો નથી. ત્યારે તેને સંઘ બહાર કર્યો. પછી તે તે દોષની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામ્યો.
સાતમો નિહવ કહ્યો. એ પ્રમાણે દેશવિસંવાદી નિહવો કહ્યા. હવે આ જ પ્રસ્તાવથી પ્રભૂત વિસંવાદી બોટિકોને કહે છે – તેઓ ક્યાં થયા ? એ પ્રતિપાદન કરવાને કહે છે –
* ભાષ્ય-૧૪૫ -
વીર ભગવંતના નિર્વાણ પછી ૬૦૯ વર્ષ વીત્યા પછી, તે બોટિક મત થવીરપુરમાં સમુત્પન્ન થયો.
• વિવેચન-૧૪૫ :
ગાથાર્થ કહ્યો. બોટિક મત જે રીતે ઉત્પન્ન થયો તે જણાવે છે
* ભાષ્ય-૧૪૬ ઃ
રથવીરપુર નગર, દીપક ઉદ્યાન, આર્ય કૃષ્ણ, શિવભૂતિનો ઉપધિ સંબંધી પ્રશ્ન, સ્થવિરો દ્વારા કથના.
• વિવેચન-૧૪૬ :
થવીરપુર નામે નગર હતું. ત્યાં દીપક નામે ઉધાન હતું. ત્યાં આર્ય કૃષ્ણ નામે આચાર્ય પધાર્યા. ત્યાં એક સહભ્રમલ્લ હતો, તેનું શિવભૂતિ નામ હતું, તેની પત્ની તેની માતા સાથે ઝઘડતી રહેતી. તમારો પુત્ર રોજેરોજ અડધી રાત્રે આવે છે. હું જાગતી અને ભુખથી ચોડવાતી રહું છું. ત્યારે માતાએ તેણીને કહ્યું – બારણું
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ ઉઘાડતી નહીં હું હજી જાગુ છું. પત્ની સૂઈ ગઈ, માતા જાગે છે. અડધી રાત્રે આવીને શિવભૂતિએ બારણું ખખડાવ્યું. માતા ખીજાણી-આ આવવાનો સમય છે? જ્યાં ઉઘાડા બારણા હોય, ત્યાં જા.
તે ઘેરથી નીકળી ગયો. શોધતા-શોધતા સાધુને ઉપાશ્રયે દ્વાર ઉઘાડા જોયા. વાંદીને કહ્યું – મને દીક્ષા આપો. સાધુઓએ તે વાત ન સ્વીકારી. શિવભૂતિએ સ્વયં લોચ કરી લીધો. ત્યારે તેને વેશ આપ્યો. વિચરવા લાગ્યા. ફરી પાછો આપ્યો ત્યારે રાજાએ તેને કંબલ રત્ન આપ્યું. આચાર્યએ તેને કહ્યું કે – સાધુને આનું શું કામ છે ? શા માટે લીધું ? તેને પૂછ્યા વિના ગુરુએ રત્નકંબલ ફાડીને તેની નિષધા કરી દીધી. શિવભૂતિને ક્રોધ ચડ્યો.
અન્ય કોઈ દિવસે જિનકલ્પિકનું વર્ણન આવ્યું. જિનકલ્પિકો બે પ્રકારે છે –
(૧) કરપાત્રી (૨) પાત્રધારી. તે બંનેના બે ભેદો – (૧) વસ્ત્રવાળા, (૨) વસ્ત્ર વિનાના, જિનકલ્પીને ઉપધિના બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગિયાર અને બાર આ આઠ ભેદો હોય છે. કેટલાંકને બે ઉપધિ છે – રજોહરણ, મુહપત્તિ. બીજાને ત્રણ ઉપધિ - એક કપડાં સહિત પૂર્વના બે. ચાર ભેદે – બે વ૬ સહિત, પાંચ ભેદે – ત્રણ વસ્ત્ર સહિત, નવ ભેદે – રજોહરણ, મુહપત્તિ, પાત્ર, પાત્રબંધ, પાત્ર સ્થાપન, પાત્ર કેશરિકા, પડલા, રજસ્ત્રાણ, ગુચ્છા અને પાત્ર નિયોગ. બાકીના ત્રણ ભેદોમાં એક એક વસ્ત્ર ઉમેરતા જવું.
ત્યારે શિવભૂતિએ પૂછ્યું – કેમ હાલ આટલી ઉપધિ ધારણ કરાય છે કે જેથી જિનકલ્પ કરાતો નથી? ગુરુએ કહ્યું – હાલ શક્ય નથી. જિનકલ્પ હાલ વિચ્છેદ છે. ત્યારે શિવભૂતિએ પૂછ્યું – કેમ વિચ્છેદ થયો? હું તે કરીશ. પરલોકાર્થીનું તે જ કર્તવ્ય છે, ઉપધિના જિનકલ્પ હાલ વિચ્છેદ છે. ત્યારે શિવભૂતિએ પૂછ્યું
કેમ વિચ્છેદ થયો? હું તે કરીશ. પરલોકાર્થીનું તે જ કર્તવ્ય છે. ઉપધિના પરિગ્રહથી શું લાભ? પરિગ્રહના સદ્ભાવમાં કષાય, મૂર્છા, ભયાદિ ઘણાં દોષો છે. શ્રુતમાં તો અપરિગ્રહત્વ કહેલ છે. જિનેન્દ્રો પણ અચેલક હતા. તેથી અચેલકત્વ સુંદર છે. ગુરુએ કહ્યું – દેહના સદ્ભાવમાં પણ કષાય, મૂર્છા આદિ ક્યારેક થાય છે, તેથી દેહનો પણ પરિત્યાગ કરવો જોઈએ. સૂત્રમાં અપરિગ્રહત્વ કહ્યું છે ધર્મોપગરણમાં પણ મૂર્છા ન કરવી જોઈએ. જ્યારે જિનેશ્વરે પણ એકાંત અચેલ કહેલ નથી. કહ્યું છે – બધાં જિનવર એક વસ્ત્રથી નીકળેલા. એ પ્રમાણે સ્થવિરોએ તેમને કથન કર્યુ.
૧૦૦
-
શિવભૂતિને એમ કહેવા છતાં કર્મના ઉદયથી વસ્ત્રો છોડીને ગયો, તેને ઉત્તરા નામે બહેન હતી. ઉધાન સ્થિત તેને વંદન કરવાને આવી. તેને જોઈને ઉત્તરાસાધ્વીએ પણ વસ્ત્રોનો ત્યાગ કર્યો. તેણી ભિક્ષાર્થે પ્રવેશી. ગણિકાએ જોઈ. લોકોને અમારાથી વિક્ત ન કરી દે, એમ વિચારી ગણિકાએ તેણીને ઉપરના ભાગે વસ્ત્ર બાંધ્યુ. ઉત્તરા તે ઈચ્છતી ન હતી. શિવભૂતિ બોલ્યો – તું વસ્ત્ર રાખી લે, દેવતાએ આપેલ કહેવાય.