SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્દાત નિ - ૩૭૫,૭૭૬ ચોંટીને, વસ્ત્ર વડે તારા શરીરને બાંધજે. પછી તે પક્ષીયુગલ તને પંચશૈલદ્વીપે લઈ જશે. જો તું વડમાં નહીં વળગી શકે તો આ વહાણ ભમરમાં પ્રવેશશે, ત્યાં વિનાશ પામશે. એ પ્રમાણે સોની વળગી ગયો. પક્ષી વડે પંચૌલ લઈ જવાયો. ત્યારે તે બંને વ્યંતરી વડે જોવાયો. સોનીને તે દેવીઓએ પોતાની ત્રાદ્ધિ દર્શાવી. સોની તેઓમાં ઘણો જ ગૃદ્ધ થયો. તે દેવીઓ બોલી - આ શરીર વડે અમે ભોગવી શકાશે નહીં. કંઈક અગ્નિ પ્રવેશાદિ કર. જેથી પંચશૈલાધિપતિ થઈશ. સોની વિચારે છે હવે મારે ક્યાં જવું ? તે બંનેએ કરતલનો સંપુટ કરી તેને લઈને, તેના પોતાના ઉધાનમાં મૂકી દીધો. ત્યારે લોકોએ આવીને પૂછ્યું – તો સોનીએ જે કંઈ જોયું, સાંભળ્યું અને અનુભવ્યું, તે પંચશૈલદ્વીપનો બધો વૃતાંત કહ્યો. ત્યારપછી મિત્ર નાગલે અટકાવવા છતાં ઇંગિતમરણથી મરીને પંચશૈલનો અધિપતિ થયો. ત્યારે તે નાગિલ શ્રાવકને નિર્વેદ જમ્યો. આ ભોગને કારણે આટલો કલેશ પામ્યો. આપણે જાણતા નથી કે શું થશે ? એમ વિચારી તેણે દીક્ષા લીધી. કાળ કરીને અશ્રુતકલો ઉત્પન્ન થયો. અવધિજ્ઞાન વડે તેણે તે સોનીને જોયો. અન્ય કોઈ દિવસે નંદીશ્વર યાત્રામાં જતાં તે સોની ઢોલ ન વગાડવા પલાયન થતો હતો, ત્યારે] ઢોલ તેના ગળે વળગી ગયો. ત્યારે ઢોલ વગાડતો નંદીશ્વરે ગયો. ત્યાં નાગિલદેવ આવ્યો. તેને (સોની) જુએ છે. તે તેના તેજને સહન ન કરી શકતો પલાયન થવા લાગ્યો. નાગિલદેવ તેજને સંહરીને કહ્યું - ઓ ! મને ઓળખે છે ? સોની દેવ બોલ્યો – શકાદિ ઈન્દ્રને કોણ નથી જાણતું ? ત્યારે નાગિલે શ્રાવકરૂપ દેખાયું અને ઓળખાણ યાદ કરાવી. ત્યારે સોનીદેવે કહ્યું કે - મને આજ્ઞા કરો કે હવે હું શું કરું ? ત્યારે નાગિલ દેવે કહ્યું – તું વર્ધમાન સ્વામીની પ્રતિમા કર, તે તારા માટે સમ્યકત્વના બીજરૂપ થશે. ત્યારે તે [વિધુમ્માલીદેવ બનેલો સોની મહાહિમવંત પતિ ગયો, ગોશીષ ચંદનના વૃક્ષને છેદીને ત્યાં પ્રતિમા બનાવી. લાકડાના સંપુટમાં મૂકીને ભરતોત્રમાં આવ્યો. સમદ્રમાં ઉત્પાતથી છ માસથી ભમતા વહાણને જોયું ત્યારે તેણે તે ઉત્પાતને ઉપશાંત કર્યો. પ્રતિમાને પેટીમાં મુકી નાવિકને આપી. તેને કહ્યું કે- આ દેવાધિદેવની પ્રતિમા છે, તેને વીતભય નગરે ઉતાજે ત્યાં ઉદાયન રાજા તાપસ ભક્ત છે, પ્રભાવતી દેવી [સણી] છે. વણિકે કહ્યું - આને દેવાધિદેવની પ્રતિમા કરવી. તે ઈન્દ્રાદિ વડે કરાઈ. પરશું ન વાપર્યું. આ વાત પ્રભાવતી રાણીએ સાંભળી. તેણી બોલે છે - વર્ધમાનસ્વામી દેવાધિદેવ છે, તેની પ્રતિમા થાઓ. જેવી પેટી ઉપર આહત કરી કે પૂર્વ નિર્મિતાપ્રતિમા નીકળી. અંતઃપુરમાં ચૈત્યગૃહ કરાવ્યું. પ્રભાવતી ન્હાઈને ત્રણે સંધ્યા તેની ૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ મસ્તક ન દેખાયું, ખેદ થયો, હાથમાંથી વીણા પડી ગઈ. રાણી રોષાયમાન થઈને બોલી – શું નૃત્ય બરાબર ન હતું ? બહુ આગ્રહ કરતાં રાજાએ સાચો જવાબ આયો. સણી બોલી - મારે શું ? મેં તો સારી રીતે શ્રાવકnતની અનુપાલનો કરી છે. અન્ય કોઈ દિવસે ન્હાઈને દાસી પાસે વો મંગાવ્યા. તે લાલ વસ્ત્રો લાવી. સણીએ રોષથી અરીસો માર્યો, જિનગૃહમાં જવાનું છે અને લાલ વસ્ત્રો આપે છે ? દાસી મૃત્યુ પામી. ત્યારે રાણી વિચારવા લાગી કે મારા વડે વ્રત ખંડિત થયું. હવે જીવીને શું કરવું છે ? રાજાને પૂછીને હું ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. રાજાએ તેની પાસે વચન લીધું કે જો તું દિવલોકે જાય તો આવીને મને] પ્રતિબોધ કરવો. રાણીએ કબૂલ કર્યું. ભક્તપત્યાખ્યાન કરી, મૃત્યુ પામીને દેવલોકે ગઈ. જિનપ્રતિમાની સારસંભાળ દેવદત્તા નામે કુછજાદાસી કસ્વા લાગી. પ્રભાવતી દેવે ઉદાયનને બોધ કરવા પ્રયત્ન કર્યો. તે બોધ પામતો નથી. કેમકે તે તાપસ ભકત હતો. તેથી દેવે તાપસનું રૂપ લીધું, તે અમૃતફળ લઈને આવ્યો. રાજાએ તે ફલ ચાખ્યા. પૂછયું કે - આ ફળો ક્યાંના છે ? દેવે કહ્યું - નગરતી દૂર આશ્રમ છે, ત્યાંના આ ફળ છે. તેની સાથે રાજા ગયો. તે તાપસો તેને મારવા લાગ્યા. ભાગીને વનખંડમાં ગયો, ત્યાં સાધુને જોયા. સાધુએ ધર્મ કહ્યો, રાજા બોધ પામ્યો. પ્રભાવતીદેવે પોતાને પ્રગટ કરીને પૃચ્છા કરી. પછી પાછો ગયો. ઉદાયન રાજા શ્રાવક થયો. આ તરફ ગાંધાર શ્રાવક બધી જિનજન્મભૂમિને વાંદીને વૈતાઢ્ય કનક પ્રતિમાનું સાંભળીને ઉપવાસ કરીને રહ્યો. * x ત્યાં દેવતાએ સંતુષ્ટ થઈને તેને સર્વકામિત ૧૦૦ ગુટિકા આપી. ત્યાંથી નીકળી વીતભય નગરે ગોશીષચંદનમયી જિનપ્રતિમા વિશે સાંભળ્યું. ત્યાં વંદન કરવાને આવ્યો. વંદના કરી, ત્યાં બિમાર પડ્યો. દેવદત્તાએ તેની ઘણી સેવા કરી, સંતુષ્ટ થઈને ગાંધાર શ્રાવકે તે ગુટિકા દેવદત્તાને આપી, તેણે દીક્ષા લીધી. કોઈ દિવસે દેવદત્તાએ વિચાર્યું - મારો સુવર્ણ સમાન વર્ણ થાઓ. ત્યારે ગુટિકા પ્રભાવ સુવર્ણ જેવા રૂપ-વર્ણવાળી તે થઈ ગઈ. ફરી પણ તે વિચારે છે કે - હું ભોગો ભોગવું, પણ આ રાજા તો મારા પિતા સમાન છે, બાકીના ગોધા જેવા છે. મને પ્રાધો રાજા ગમે છે. તેને મનમાં ધારીને ગુટિકા ખાધી, પ્રધોતને દેવતા વડે કહેવાયું કે આવી રૂપવતી સ્ત્રી છે. તેથી ચંડuધોતે સુવર્ણગુલિકા પિ'લી કુજા દાસી), ને માટે દૂત મોકલ્યો. ત્યારે સુવર્ણગુલિકા કહેવડાવે છે કે - તો તું મને રૂબરૂ જોવા આd. ત્યારપછી ચંડuધોત અનલગિરિ હાથી ઉપર સગિના આવ્યો. તેણીને જોઈ, તેને ગમી ગઈ. તેણી બોલી કે જો પ્રતિમા સાથે લો તો હું આવું. ત્યારે ત્યાં રાત્રિ રોકાઈ, પાછો ગયો. બીજી તેવી જ જિનપ્રતિમા કરાવીને આવ્યો. મૂળ પ્રતિમાના સ્થાને તેને સ્થાપીને પછી જીવિત સ્વામીની પ્રતિમા અને સુવર્ણગુલિકાને લઈને ઉજૈની પાછો ગયો. ત્યાં અનલગિરિ હાથી વડે મળમૂત્ર ત્યાગ કરાયેલો. તેની ગંધથી બીજા હાથી ઉન્મત્ત થયા, જે દિશા તરફથી ગંધ આવતી હતી, તે દિશામાં પૂજા કરે છે. કોઈ દિવસે રાણી નૃત્ય કરતી હતી. રાજા વીણા વગાડતો હતો તેને રાણીનું
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy