SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્દાત તિ, • ૩૦ એમ ધારવું. તે કારણ - વિષય ચાર ભેદે છે, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવરૂપ. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. તધ્યતિરિક્ત દ્રવ્ય કારણ બે ભેદે છે, તેથી દ્રવ્યમાં બે ભેદે નિક્ષેપ હોય. • x - દ્રવ્ય કારણ વિષયમાં નિક્ષેપ બે ભેદે લેવો. તે જ દ્રવ્ય કારણનું વૈવિધ્ય દશવિ છે - તે જ પટાદિનું દ્રવ્ય, તદ્રવ્ય - તંતુ આદિ, તેનું જ કારણ જાણવું • x - અથવા દ્વિવિધત્વ બીજી રીતે - નિમિત્ત અને નૈમિત્તિક. - x - X - X - • નિયુક્તિ -૭૩૮ : સમવાયી અને અસમવાયી બે પ્રકારનું કારણ અથવા કd, કર્મ, કરણ, સંપદાન, અપાદાન અને સંનિધાન એ છ પ્રકારે કારણ જાણવું. વિવેચન-૩૩૮ - એકી ભાવે અપૃથકત્વમાં રહે તે સમવાય - સંશ્લેષ, જેમાં હોય તે સમવાયી કારણ, જેમ તંતુઓમાં પટ રહેલો છે, તે સમવાયી કારણ છે અને • x • તેના રેસા વગેરે જુદા પડે છે માટે તે અસમવાયી કારણ જાણવું, કેમકે દ્રવ્યાંતર ધર્મથી પટ નામક કાર્ય દ્રવ્યાંતનું દૂરવર્તી છે. અર્થભેદ હોવા છતાં બે કારણનો ઉપન્યાસ અનર્થક છે ? ના, સંજ્ઞાભેદથી તેમ છે અથવા છ પ્રકારના કારણ છે. સ્વ વ્યાપારી કાર્યમાં જે ઉપયોજાય છે, તે કારણ છે. છ ભેદ કઈ રીતે ? કત અને કારણ, તે કાર્યમાં સ્વતંત્રતાથી ઉપયોગથી છે. તેના વિના વિવક્ષિત કાર્યની અનુત્પતિ છે જેમ ઘટની ઉત્પત્તિમાં કુલાલ કારણ છે. માટીનો પિંડ કરણ છે, કેમકે તે તેના સાધકપણે છે - X - X - X - X - સેમ્યમ્ કે સત્કૃત્ય પ્રયત્નની દાન તે સંપ્રદાન. તેથી જ “ધોબીને વર આપે છે''માં સંપદાનમાં ચતુર્થી નથી પણ બ્રાહ્મણને ઘટ આપે છે, તેમાં સંપદાન છે. અપાદાને કારણ - વિવક્ષિત પદાર્થના અપાયમાં પણ તેના ધ્રુવપણાથી કાર્યના ઉપકારત્વથી છે. જેમકે - X - X - માટીનો પિંડ ઘડા માટે અપાદાન કારણ છે, તેના વિના તેની ઉત્પત્તિ ન થાય. સંનિધાન કારણ તેના આધારપણાથી કાર્યમાં ઉપકારપણાથી છે જેમાં કાર્ય થાય તે સંનિધાન - અધિકરણ. જેમકે ઘટતું ચક. ચકનો આધાર જમીન • x • તેના અભાવે ઘટની ઉત્પત્તિ ન થાય. દ્રવ્ય કારણ કહ્યું, હવે ભાવ કારણ - • નિયુક્તિ-૩૩૯ - ભાવમાં બે પ્રકાર છે - આપશસ્ત અને પ્રશસ્ત. આપશસ્ત ભાવ સંસારનો છે, તે એક પ્રકારે, બે પ્રકારે અને ત્રણ પ્રકારે જાણવો. • વિવેચન-૭૩૯ : જે થાય તે ભાવ. તે ઔદયિકાદિ છે. તે જ સંસાર કે મોક્ષનું કારણ છે, માટે ભાવ કારણ કહ્યું. તે બે પ્રકારે છે - x - x • અપશસ્ત-અશોભન, પ્રશસ્ત-શોભન. - X - X • તે એકવિધ આદિ કારણ કહે છે - • નિયુક્તિ -૩૪૦ અસંયમ તે એક, અજ્ઞાન અને અવિરતિ તે બે ભેદ અને આજ્ઞાન, ૫૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર અવિરતિ તથા મિત્સાવ એ ત્રણ ભેદ છે. • વિવેચન-૭૪o : • અવિરતિરૂપ, તે જ એક સંસારનું કારણ છે. જ્ઞાન આદિ તેના ઉપકારીપણાથી અપ્રધાનપણે છે. - X - X - મસાન કર્મથી આચ્છાદિત જીવનો વિપરીત અવબોધ. મધતિ - સાવધયોગની અનિવૃત્તિ, - X - X - મિથ્યાd - અતવાર્થની શ્રદ્ધા • x • એ પ્રમાણે કપાયાદિના સંપર્કથી બીજા પણ ભેદો કહેવા જોઈએ. - x - હવે પ્રશસ્ત ભાવકારણ – • નિયુક્તિ -૩૪૧ : તે જ પ્રમાણે સંસારના કારણોથી વિપરીતપણે મોક્ષનું કારણ તે પ્રશસ્ત કારણ છે. તેના એક, બે, ત્રણ ભેદો છે. • વિવેચન-૭૪૧ : મોક્ષનું કારણ પ્રશસ્ત ભાવ કારણ થાય છે. તેના એક, બે, ત્રણ ભેદ સંસાર કારણથી વિપરીત જાણવા. તે આ રીતે- સંયમ એક ભેદ, જ્ઞાન અને સંયમ બે ભેદ, સમ્યગુ દર્શન-જ્ઞાન-સંયમ તે ત્રણ ભેદ છે. - x - અહીં સામાયિક અવાખ્યાનમાં મોક્ષના અંગપણાથી ભાવકારણ છે. - x - અહીં કારણદ્વારમાં અધિકાર દશવીને ફરી કારણદ્વાર સંગત જ સંપૂર્ણ વકતવ્યતાની આશંકાથી જણાવતા કહે છે - છે નિયંત્તિ -૩૪૨ થી ૩૪૪ - તીર્થકર ક્યા કારણે સામાયિક અધ્યયન કહે છે? મરે તીર નામ કર્મ વેદવું જોઈએ - એ કારણે કહે છે... તે કઈ રીતે વેદાય છે? ખેદ રહિત ધર્મ દેશના વડે. તે કર્મ ભગવંતને તે ભવ પૂર્વેના ત્રીજા ભવમાં બંધાય છે... નિયમથી મનુષ્યગતિમાં આી, પરષ કે નપુંસક શુભલેચી હોય, વીસમાંના કોઈ સ્થાનક (કારણ)ને બહુલતાથી સેવિત હોય, તો બાંધે. • વિવેચન-૩૪૨ થી ૩૪૪ - તીર્થને કરવાનો આચાર તે તીર્થંકર, તીર્થ પૂર્વે કહેલ છે. અહીં તુ શબ્દથી સામાયિક સિવાયના અધ્યયનો પણ ગ્રહણ કરવા. •X - તીર્થકર નામ સંજ્ઞક ગોમ શબદ સંજ્ઞારૂપ કર્મ મારે વેદવું જોઈએ, એ કારણે સામાયિકાદિ અધ્યયન કહે છે - x • તીર્થકરને સામાયિક કથનનું કારણ કહ્યું. હવે ગણઘરોને તે શ્રવણ કરવાનું કારણ પ્રતિપાદિત કરતા કહે છે – • નિયુક્તિ -૭૪૫ - ગૌતમાદિ કા કારણે સામાયિક સાંભળે છે ? જ્ઞાનની, સુંદર કે સુંદર ભાવોની ઉપલબ્ધિ માટે સામાયિક સાંભળે છે. • વિવેચન-૭૪૫ - ગૌતમાદિ ગણધરો કયા નિમિત કે પ્રયોજનથી સામાયિકને સાંભળે ? જ્ઞાનાર્થે • x • ભગવંતના મુખેથી નીકળેલ સામાયિક શબ્દને સાંભળીને તેના અર્થવિષયક જ્ઞાનની ઉત્પત્તિ માટે ઈત્યાદિ - X • શુભાશુભ ભાવોપલબ્ધિ પ્રવૃત્તિ નિમિત વૃત્તિનું
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy