SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ ઉપોદ્ઘાત નિ • ૩૨ ક્ષાયિક ભાવને બીજા ભંગમાં જ બધે પ્રતિપાદિત કરે છે. ક્ષાયોપથમિક ચતુર્ભગિકામાં બીજો ભાંગો શુન્ય, બાકીના ભાંગાનો આ વિષય છે - ચાર જ્ઞાનો ક્ષાયોપથમિકમાં સાદિ સાંત છે, મતિ અને શ્રુત અજ્ઞાન ભવ્યોને અનાદિ સાંત, અભવ્યોને છેલ્લો ભંગ, પારિણામિકની ચતુર્ભગિકામાં બીજો ભાંગો શૂન્ય, બાકીના ભંગમાં આમ જાણવું - ૫ગલમાં દ્વિઅણકાદિ સાદિ સાંત, ભવ્યત્વ અનાદિ સાંત, જીવ અનાદિ અનંત. એ રીતે પારિણામિક ભાવ કહ્યો. - x - ૪ - • નિર્યુક્તિ -૩૩૩ - વળી આ અધિકાર પ્રમાણકાળથી જાણતો. ક્ષેત્રમાં કયા કાળે જિનવરેન્દ્ર વિભાષા કરી ? • વિવેચન-૩૩ : અહીં અનેકવિધ કાલ પ્રરૂપણામાં પ્રયોજન પ્રસ્તાવ પ્રમાણકાળથી થાય છે, તેમ જાણવું. * * * ક્ષાયિક ભાવકાળમાં ભગવંત વડે પ્રમાણકાળમાં પૂર્વાધ્યિમાં સામાયિક કહી, તેમાં કોઈ વિરોધ નથી. અથવા પ્રમાણકાળ પણ ભાવકાલ જ છે. • x • કાલ દ્વારની વ્યાખ્યા કરી. હવે જે ફોગમાં સામાયિક કહી. તેને ન જાણતો પ્રમાણકાળના અનેકરૂપત્તથી વિશેષ ન જાણતો શિષ્ય ગાથાના પશ્ચાદ્ધમાં કહે છે - ક્ષેત્રમાં કયા કાળમાં જિનેન્દ્રએ સામાયિક બતાવેલ છે ? શિષ્યના પ્રશ્નનો ઉત્તર જણાવતા કહે છે – • નિયુક્તિ-૩૪ : વૈશાખ સુદ-૧૧ના પૂવણહ દેશકાળમાં મહસેનવન ઉધાનમાં અનંતર, પરંપર સેસ [સામાયિક કહી.] • વિવેચન-૭૩૪ - વૈશાખ સુદ-૧૧ના પહેલી પૌરષીમાં. કાળના અંતરંગવને જણાવવા જ પ્રશ્નનો વિપરીતપણે નિર્દેશ છે મહસેનવન ક્ષેત્રમાં સામાયિકનો અનંતર તિર્ગમ છે. બાકીના ક્ષેત્રોને આશ્રીને પરંપર નિગમ છે. - X - X • ક્ષેત્ર કાલદ્વાર કહ્યું, હોમ કાળ પુરુષ દ્વારની નિર્ગમતા કહી. તેથી નિર્ગમદ્વારની વ્યાખ્યા કરતાં કહે છે - નામ, સ્થાપનાદિ નિગમનો નિક્ષેપ છ ભેદે થાય. - x • હવે ભાવ નિર્ગમને પ્રતિપાદિત કરવા નિતિકાર કહે છે – • નિયુક્તિ -૭૩૫ - જિનેન્દ્ર ભગવંતને ક્ષાયિક ભાવમાં વર્તતા સામાયિક નીકળ્યું. ક્ષાયોપશમિક ભાવે વર્તા ગણધરોએ તે ગ્રહણ કર્યું. • વિવેચન-૭૩૫ - | ગાથાર્થ કહ્યો, વિશેષ આ -1 ભાવે શબ્દ બંને બાજુ જોડાયેલો છે. તેમાં ગૌતમસ્વામીએ ત્રણ નિપધા વડે ચૌદ પૂર્વોને ગ્રહણ કર્યા. ભગવંતને પ્રણમીને પૂછવું તે નિષધા. ભગવંતે કહ્યું - ઉપન્ને ઈ વા, વિગમે ઈ વા અને જુવે ઈ વા. આ જ ત્રણ નિષધા છે. આનાથી જ ગણધરોને “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુકત સંતુ” એ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ પ્રતીતિ થાય છે. તે પૂર્વભવ ભાવિત મતિવાળા બાર અંગની સ્થના કરે છે. પછી ભગવંત અનુજ્ઞા કરે છે. શક દિવ્ય વજરત્નમય થાળને દિવ્ય ચૂર્ણ વડે ભરીને સ્વામી પાસે જાય છે, ત્યારે ભગવંત સિંહાસનથી ઉભા થઈને પ્રતિપૂર્ણ મુષ્ટિ ગંધચૂર્ણની ગ્રહણ કરે છે. ત્યારે ગૌતમસ્વામી આદિ ૧૧-ગણધરો કંઈક નમીને અનુક્રમે ઉભા રહે છે. ત્યારે દેવો ગીત અને વાજિંત્રના શબ્દોને રોકે છે. ત્યારે ભગવંત પૂર્વ તીર્થ ગૌતમસ્વામીને દ્રવ્ય-ગુણ-પર્યાય વડે હું અનુજ્ઞા કરું છું, એમ કહીને તેના મસ્તકે ગંધ ચૂર્ણ ટ્રોપ કરે છે પછી દેવો પણ ચૂર્ણવર્ષા અને પુષ્પવર્ષા તેમની ઉપર કરે છે. ગણ સુધર્મસ્વામીને આગળ સ્થાપીને અનુજ્ઞા આપે છે, એ પ્રમાણે સામાયિકનો અર્થ ભગવંતથી નીકળ્યો અને સૂત્ર ગણધરોથી નીકળ્યું. હવે પુરુષાર અવયવાર્થ કહે છે - • નિયુક્તિ-૩૬ : દ્રવ્ય, અભિલાય ચિહ, વેદ, ધર્મ, અર્થ, ભોગ અને ભાવ એ આઠ પ્રણ જાણવા. ભાવપુરુષ તે જીવ, ભાવમાં ભાવથી આ પ્રગટ થયું છે. • વિવેચન-૩૩૬ - (૧) દ્રવ્ય પુરુષ ત્રણ ભેદે – આગમી, નોઆગમચી, જ્ઞશરીર ભવ્ય શરીર અતિક્તિ , એક ભવિક, બદ્ધાયુક, અભિમુખ નામ-ગોત્ર ભેદ ભિન્ન જાણવો અથવા વ્યતિરિક્ત બે ભેદે - મૂલગુણ નિર્મિત, ઉત્તરગુણ નિર્મિત. તેમાં મૂલગુણ નિર્મિત પુરુષ પ્રાયોગ્ય દ્રવ્યો, ઉત્તરગુણ નિર્મિત તેના આકારવાળા તે જ. (૨) જેના વડે અભિલાપ થાય તે અભિલાપ - શબ્દ, તેમાં અભિલાપ-પુરષ પંલિંગ અભિધાન માત્ર • ઘટ કે પટ. (3) ચિહપુરુષ - અપુરુષ છતાં પણ પુરુષ વેસ ઉપલક્ષિત, જેમકે નપુંસક ના દાઢી મૂંછાદિ ચિલ. (૪) વેદપુરુષ - સ્ત્રી, પુરુષ નપુંસકમાં ત્રણે લિંગમાં તૃણ-જવાળા ઉપમાવાળા વેદાનુભવ કાળમાં વેદપુરપ. (૫) ધર્મ ઉપાર્જન કરવામાં તત્પર તે સાધુ ધર્મપુરષ, (૬) અર્થ ઉપાર્જનમાં તત્પર છે મમ્મણ નિધિપાલની માફક અર્થપુરુષ, (૭) સંપાત અમસ્ત ભોગોપભોગ સમર્ણ ચકી સમાન ભોગપુરષ, (૮) ભાવપુરા તે જીવ. • X - X - ૫ - શરીર, શરીરમાં રહે તે નિક્તિથી ભાવ પુરષ કહેવાય. તે જીવ છે. ભારદ્વારમાં નિરૂપણા કરતા, ભાવદ્વાર વિચારણામાં. અથવા ભાવ નિર્ગમ પ્રરૂપણાને આશ્રીને. ઉપયોગ ભાવપુરપ વડે - શુદ્ધ જીવ અર્થાત તીર્થકર વડે. તુ શબ્દથી વેદપુરષ - ગણધર વડે. * * * * * પુરપ દ્વાર ગયું. હવે કારણહાર અવયવાર્થ જણાવવા કહે છે - • નિયુક્તિ-૭૩૭ : કારણમાં નિફોપા ચાર ભેદ છે, દ્રવ્યમાં કારણ બે ભેટે છે - તે દ્રવ્ય અને અન્ય દ્રવ્ય. અથવા નિમિત્ત કારણ, નૈમિતિક કારણ. • વિવેચન-839 - નિફોપ કરવો તે નિફોપ અર્થાત્ ન્યાસ. કરે છે તે કારણ, કાર્ય નિર્ત છે
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy