SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ - ૬૯૯,૭૦૦ કંઈક વૈયાવૃષ્યકરત્વ સ્વીકારે. તે કાળથી ઈત્વર કે યાવત્કથિક હોય. હવે આ જ અર્થને વિશેષથી કહે છે. - ૪ - ૪ - સંદિષ્ટ-ગુરુ વડે અભિહિત સંદિષ્ટ જ આચાર્યની જેમકે અમુકની ઉપસંપદા - સ્વીકારે ઈત્યાદિ ચતુર્ભગી. તે આ પ્રમાણે સંદિષ્ટ સંદિષ્ટની જ કહેલી, અસંદિષ્ટ અન્ય આચાર્યની તે બીજી, અદિષ્ટ સંદિષ્ટની - આની પાસે ન જવું પણ અમુકની પાસે જવું એ ત્રીજી, અસંદિષ્ટ અસંદિષ્ટની - ન અહીં જવું, ન અમુક પાસે જવું. અહીં પહેલો ભાંગો શુદ્ધ છે * X - x - હવે વર્તનાદિના સ્વરૂપને જણાવતા કહે છે – *ક • નિર્યુક્તિ-૭૦૧,૭૦૨ : પહેલાં ગ્રહણ કરેલ સૂત્રાદિ અસ્થિર હોય, તો તેને સ્થિર કરવા તે વર્તના, તે જ સૂત્ર અમુક સ્થાને ભૂલાયુ હોય તેને પાછું જોડવું તે સંધના, પહેલી વખત સૂત્ર, અર્થ, ઉભયનું ભણવું તે ગ્રહણ. અર્થ ગ્રહણમાં પ્રાયઃ આ વિધિ હોય છે, તેમ જાણવું. • વિવેચન-૭૦૧,૭૦૨ - ગાથાર્થ કહ્યો. વિશેષ આ - પ્રાયઃ ગ્રહણથી સૂત્ર ગ્રહણ કરતા પણ કોઈક ભૂમિ પ્રમાર્જનાદિ વિધિ થાય છે, તેમ જણાવે છે. હવે અધિકૃત વિધિના પ્રદર્શનને માટે દ્વાર ગાથા કહે છે - • નિર્યુક્તિ-૭૦૩ થી ૭૦૬ ઃ પ્રમાર્જના, નિષધા, અક્ષ, કૃતિક, કાયોત્સર્ગ, જ્યેષ્ઠને વંદન. તેમાં વાચના આપનારને જ્યેષ્ઠ જાણવો પણ પર્યાયથી નહીં. તેને વંદન. સ્થાન પ્રમાઈને બે નિષા કરવી જોઈએ – એક ગુરુ માટે બીજી અક્ષને માટે [સ્થાપના માટે]. બે માત્રક એક શ્લેષ્મ માટે અને બીજું કાયિકી [મૂત્રાદિર્દી માટે, જેટલી વાર વ્યાખ્યાન સાંભળે તેટલીવાર તે બધાંને વંદન કરે છે. બધાં કાયોત્સર્ગ કરે, ફરીથી પણ બધાં વંદન કરે, ગુરુના વચનને ગ્રહણ કરનારા અતિદૂર કે અતિ નીકટ નહીં તેમ સાંભળવા બેસે. - • વિવેચન-૭૦૩ થી ૭૦૬ : - પ્રમાર્જનાદિ પદોની વ્યાખ્યા કરતાં કહે છે કે તે સુગમ છે. વિશેષ આ પ્રમાણે • અા - સમવસરણની, અમૃત સમવસરણથી વ્યાખ્યા ન કરવી એ ઉત્સર્ગ છે. હવે કૃતિ કર્મદ્વાર. તેમાં માત્રક એટલે સમાધિ. કૃતિકર્મ દ્વાર જ વિશેષ અભિધાનથી સદુષ્ટ છે. અર્ધકૃત વ્યાખ્યાનથી ઉત્થાન કે અનુત્થાનના પલિમંચ આત્મવિરાધનાદિ દોષો વિચારવા હવે કાયોત્સર્ગ-બધાં શ્રોતા સર્વે વિઘ્નોની શાંતિ માટે અનુયોગ પ્રારંભ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. તે પારીને બધાં ફરી વાંદે અને ગુરુ વચન શ્રવણાર્થે યોગ્ય સ્થાને બેસે છે. હવે શ્રવણવિધિ પ્રતિપાદનાર્થે કહે છે - • નિર્યુક્તિ-૭૦૭ થી ૭૧૪ : નિદ્રા અને વિકથા છોડીને, ગુપ્તિ વડે, બે હાથ જોડીને, ભક્તિ અને આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ બહુમાનપૂર્વક ઉપયોગયુક્ત થઈ સાંભળવું જોઈએ. અર્થસાર વચનો અને સુભાષિતોની ઈચ્છાવાળાઓએ વિસ્મિત મુખેથી, હર્ષથી આવીને અને હર્ષને ઉત્પન્ન કરે તેમ સાંભળવું જોઈએ. ગુરુ ભક્તિથી તેમજ વિનયથી ગુરુને સંતોષ પમાડનાર ઈચ્છિત સૂત્ર અને અર્થને જલ્દી પાર પામે છે. વ્યાખ્યાન સમાપ્ત થતા, કાયિકી [મૂત્રા]િ નો યોગ કરીને, પછી મોટાને વંદન કરે છે, બીજા કહે છે – વ્યાખ્યાન પૂર્વે વંદન કરે છે. જો મોટા કથંચિત્ સૂત્ર-અર્થને ધારણ કરવાને અસમર્થ હોય અને વ્યાખ્યાન લબ્ધિથી હીન હોય તો તેને વંદન નિરર્થક છે [એમ કોઈ પૂછે] - વય અને પર્યાય વડે નાનો પણ વ્યાખ્યાનકાર હોય તો અહીં રત્નાધિક પાસે વંદન કરાવવામાં હે ભગવન્ ! તેને જ્યેષ્ઠના વિષયમાં આશાતના થાય? જો કે વય આદિથી નાના છતાં પણ સૂત્રાર્થ ધારણ કરવામાં પટુ અને વ્યાખ્યાન લબ્ધિવાળો હોય તેને જ અહીં નિશ્ને જ્યેષ્ઠ [મોટો] ગણવાનો છે. તેથી આશાતના થતી નથી. જે કારણથી જિનવચન વ્યાખ્યાતા છે, તે ગુણ વડે જે તેનું રત્નાધિકત્વ રહેલું છે. * વિવેચન-૩૦૭ થી ૧૪ઃ [ગાથાર્થ કહેલો છે, હવે વિશેષ વ્યાખ્યાનો અનુવાદ જ કરીએ છીએ – રિસાય - સંજાત હર્ષ, બીજાને સંવેગ કારણાદિ વડે હર્ષને ઉત્પન્ન કરવા - વડે. એ પ્રમાણે સાંભળતા તેમના વડે ગુરુને અતિ સંતોષ થાય છે. - ૪ - તેથી - X - સમ્યક્ સદ્ભાવ પ્રરૂપણા વડે ઈચ્છિત સૂત્રાર્થને શીઘ્ર પાર પહોંચાડે છે, બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે . વ્યાખ્યાન આરંભકાળ પૂર્વે જ જ્યેષ્ઠને વંદન કરાય છે. - ૪ - ૪ - પ્રશ્ન કરે છે કે – લાંબાગાળાના પ્રવ્રુજિતને નાનાને વંદન કરવું યોગ્ય નથી, આ અભિપ્રાયથી શંકા વ્યક્ત કરે છે. આ આશાતના દોષ નથી. તે જણાવવા માટે કહે છે – અર્હત્ વચન વ્યાખ્યાનરૂપ ગુણ હોવાથી તે રત્નાધિક છે. હવે પ્રસંગથી વંદનવિષયમાં જ નિશ્ચય-વ્યવહારનય મતને જણાવવાને માટે કહે છે – • નિયુક્તિ-૭૧૫,૭૧૬ : નિશ્ચયમતથી અહીં વય પ્રમાણ નથી, પર્યાય પણ પ્રમાણ નથી વળી વ્યવહારથી બંને નયો પ્રમાણ છે તેમ યોજવું... નિશ્ચયથી દુ:ખે કરીને જાણી શકાય છે કે કોણ સાધુ કયા ભાવે વર્તે છે ? વ્યવહારમાં જે સાત્રિમાં પૂસ્થિત હોય તેને વંદન કરાય છે. * વિવેરાન-૭૧૫,૭૧૬ - વય - અવસ્થા વિશેષરૂપ, પર્યાવ - પ્રવ્રજ્યા સ્વીકાર રૂપ, નિશ્વય મત - નિશ્ચય નય અભિપ્રાય, જ્યેષ્ઠ વંદનાદિ વ્યવહારના લોપના પ્રસંગની નિવૃત્તિ માટે કહે છે – વ્યવહારથી તો કરાય જ છે. અહીં પ્રમાણ શું છે ? તે સંદેહના નિવારણાર્થે કહે છે ઉભયનયમત તેનું પ્રમાણ છે. આ અર્થના સમર્થન કરતા કહે છે – નિશ્ચયથી પ્રશસ્ત - અપ્રશસત્ કયા ભાવમાં શ્રમણ વર્તે છે તે જાણવું મુશ્કેલ છે. ભાવ જ અહીં
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy