SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ t મહાનિશીથચ્છેદસૂત્ર-અનુવાદ દરેક સ્ત્રીને મનથી પણ તજે તે ગચ્છ. [૭૫૩, ૫૪] રતિક્રીડા, હાસ્યક્રીડા, કંદર્પ, નાથવાદ જ્યાં રાતા નથી, દોડવુંઉલ્લંઘવું-અપશબ્દો દૃષ્ટિવિષ સર્પ કે પ્રદીપ્ત અગ્નિ કે ઝેરની જેમ વર્જવામાં આવે તે ગચ્છ. [૫૫] જ્યાં વેશધારી કે અરિહંત પણ સ્ત્રીના હાથનો સ્પર્શ કરે તો તે નિશ્ચયથી મૂળગુણ બહાર જાણવા, [૫૬] ઉત્તમ કુળમાં જન્મેલ હોય, ગુણસંપન્ન, લબ્ધિ યુક્ત હોય, મૂળગુણમાં જેને સખ્તના થતી હોય તેવાને પણ જેમાંથી કાઢી મૂક્વામાં આવે તે ગચ્છ હેવાય. [૫] જેમાં હિરણ્ય, ધન-ધાન્ય, કાંસાદિ ધાતુ, શયન-આસન આદિ ગૃહસ્થ ઉપભોગ્ય વસ્તુ ન વપરાય તે ગચ્છ. [૫૮] જેમાં કોઈ કારણે સમર્પણ રેલ પારકું સુવર્ણ આવેલ હોય તો ક્ષણવારને માટે પણ ન સસ્પર્શે તે ગચ્છ જાણ, [૫૯] ચપળ ચિત્ત આર્યાઓના દુર્ધર બ્રહ્મચર્યવ્રત પાલન કરવા માટે ૭૦૦૦ પરિહાર સ્થાન જ્યાં છે તે ગચ્છ. [૬૦] જેમાં ઉત્તર-પ્રત્યુત્તરોથી આર્યા, સાધુ સાથે અતિક્રોધ પામીને પ્રલાપ કરતી હોય તેવા ગચ્છનું શું ામ છે? [૬૧] ગૌતમ ! જ્યાં ઘણાં પ્રકારના વિક્લ્પોના ક્લોલો અને ચંચળ મનવાળી આર્યાના વસ્રનાનુસાર વર્તવામાં આવે તેને ગચ્છ કેમ કહેવાય ? [૬૨, ૬૩] જ્યાં એક અંગવાળો માત્ર એક્લો સાધુ, સાધ્વી સાથે બહાર ૧૦૦ હાથ ઉપરાંત આગળ ચાલે, તો હે ગૌતમ ! ગચ્છમાં કઈ મર્યાદા? જ્યાં ધર્મોપદેશ સિવાય સાધ્વી સાથે આલાપ-સંલાપ-વાર્તાલાપાદિ વ્યવહાર હોય તે ગચ્છ કેવો ? 1 [૬૪ થી ૭૬૬] ભગવન્ ! સાધુઓને અનિયત વિહાર કે નિયત વિહાર હોતા નથી, તો પછી કારણે જે નિત્યવાસ સેવે તેને શું સમજવું ? ગૌતમ ! મમત્વભાવ રહિત થઈ નિરહંકાર પણે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉધમ નાર હોય, સમગ્ર આરંભથી સર્વથા મુક્ત બેનલો અને પોતાના દેહ ઉપર પણ મમત્વભાવ રહિત હોય, મુનિપણાના આચારોને આચરતો એક ક્ષેત્રમાં પણ ગીતાર્થ ૧૦૦ વર્ષ સુધી વાસ રે તો તે આરાધક ગણેલો છે. [૩૬] ભોજન સમયે સાધુની માંડલીમાં પાત્ર સ્થાપન તી સાધ્વી હોય, તે સ્ત્રી રાજ્ય છે, પણ ગચ્છ નથી, [૬૮] જે ગચ્છમાં રાત્રે ૧૦૦ હાથથી વધુ સાધ્વીને જવું હોય તો જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ દશ સાધ્વી ન હોય તો તેને ગચ્છ ન જાણવો, [૩૬૯, ૭૦] અપવાદથી કે કારણે ચારથી ઓછા સાધ્વી એક ગાઉ પણ જેમાં ચાલતા હોય તે ગચ્છ કેવો ? ગૌતમ ! જે ગચ્છમાં આઠ થી ઓછા સાધુ માર્ગમાં સાધ્વી સાથે અપવાદે પણ ચાલેતો ગચ્છમાં કઈ મર્યાદા ? [૧] જેમાં ૬૩ ભેદવાળા ચક્ષુરાગાગ્નિની ઉદીરણા થાય તે રીતે સાધુ, સાધ્વી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy