________________
૪}/૬૭૯
ત્યાં જ પ્રતિસંતાપદાયક નામના સ્થળમાં એ જ ક્રમથી સાત ભવ સુધી અંડગોલિક મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યાર પછી દુષ્ટ શ્વાનના ભવમાં, ત્યાર પછી કાળા શ્વાનમાં પછી વ્યતરમાં પછી લીંબડાની વનસ્પતિમાં, પછી મનુષ્યની સ્ત્રીમાં, પછી છઠ્ઠી નારીમાં, પછી કુષ્ઠી મનુષ્યમાં, પછી વ્યંતર, પછી મહાકાયવાળો સૂથાધિપતિ હાથી, ત્યાં મૈથુનમાં અતિ આસક્ત હોવાથી અનંતાય વનસ્પતિમાં ત્યાં અનંતો કાળ જન્મ-મરણના દુઃખ અનુભવીને મનુષ્ય થશે. પછી મનુષ્યપણામાં મહાનિમિત્તિયો. પછી સાતમી નાકીમાં પછી સ્વયંભૂ રમણ સમુદ્રમાં મોટો મત્સ્ય થશે. અનેક જીવોનો મત્સ્યાહાર કરીને મરીને સાતમી નરકે જશે.
ત્યાર પછી આખલો, પછી મનુષ્યમાં, પછી વૃક્ષ ઉપર કોકિલા, પછી જળો, પછી મહામત્સ્ય, પછી તંદુલ મત્સ્ય, પછી સાતમીએ, પછી ગધેડો, પછી કૂતરો, પછી કૃમિજીવ, પછી દેડકો, પછી અગિનકાયમાં પછી શુઓ, પછી મધમાખીમાં, પછી ચક્કો, પછી ઉધઈ, પછી વનસ્પતિમાં, તેમાં અનંતકાળ પસાર કરીને મનુષ્યમાં સ્ત્રીરત્ન પછી છઠ્ઠી નરકે, પછી ઉંટ, પછી વેષામંક્તિ નામના પટ્ટણમાં ઉપાધ્યાયના ગૃહ નજીક લીંબડાના પત્રપણે વનસ્પતિમાં, પછી મનુષ્યમાં ઠીંગણી કુબ્જા સ્ત્રી, પછી નપુંસક મનુષ્ય, પછી દુઃખી મનુષ્ય, છી ભીખ માંગનારમાં, પછી પૃથ્વીકાયાદિ ફાયોમાં ભવસ્થિતિ અને નય સ્થિતિ દરેક્માં ભોગવનાર, પછી મનુષ્ય, પછી અજ્ઞાન તપસ્યા નાર, પછી વ્યંતરમાં, પછી પુરોહિત, પછી પણ સાતમીએ, પછી તંદુલ મત્સ્ય, પછી સાતમી નરહ્માં, પછી બળદ, પછી મનુષ્યમાં મહાસમ્યગદંષ્ટિ અવિરતિ ચક્રવર્તી, પછી પહેલી નારીમાં, પછી પણ શ્રીમતં શેઠ, પછી શ્રમણ અણગાપણામાં, ત્યાંથી અનુત્તર દેવલોક્માં પછી પણ ચક્રવર્તી મહાસંઘ પણવાળા થઈને કામ ભોગથી વૈરાગ્ય પામીને તીર્થં ભગવંતે ઉપદેશેલા સંપૂર્ણ સંયમની સાધના કરીને નિર્વાણ પામશે. [૬૮૦] તેમજ જે ભિક્ષુ કે ભિક્ષુણી પરપાંખડીઓની પ્રશંસા કરે કે નિહવોની પ્રશંસા રે તેમને અનુકૂળ હોય તેવા વચનો બોલે, નિહનો પ્રશંસા કરે તેમને અનુકૂળ હોય તેવા વચનો બોલો, નિહ્નવોના ગ્રંથો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, જેઓ નિહ્નવોના ગ્રન્થો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, જેઓ નિહવોના પ્રરૂપેલા ફાયક્લેશાદિ તપ રે, સંયમ રે, તેના જ્ઞાનનો અભ્યાસ રે, વિશેષથી જાણે શ્રવણ રે. પાંડિત્ય કરે, તેની તરફેણ કરી વિદ્વાનોની પર્મદામાં તેની કે તેના શાસ્ત્રોની પ્રશંસા કરે તે પણ સુમતિની જેમ પરમાધામી અસુરોમાં ઉત્પન્ન થાય છે.
[૬૮] ભગવન્ ! તે સુમતિના જીવે તે સમયે શ્રમણત્વ અંગીકાર કર્યું તો પણ આવા નરક, તિર્યંચ, મનુષ્ય, અસુરાદિ ગતિમાં જુદા જુદા ભવોમાં આટલો ાળ સંસારમાં કેમ ભમ્યો ? ગૌતમ ! જે આગમને બાધા પહોંચાડે તેવા લિંગ, વેશાદિ ગ્રહણ કરવામાં આવે તે કેવળ દંભ જ છે અને અતિ લાંબા સંસારના કારણભૂત ગણાય છે. તેની કેટલી લાંબી મર્યાદા છે, તે જણાવી શકતી નથી. તે જ કારણે સંયમ દુષ્કર મનાયેલું છે.
વળી બીજી એ વાત લક્ષમાં રાખવી કે શ્રમણપણામાં પહેલા સંયમ સ્થાનમાં
Jain Education International
૭
For Private & Personal Use Only
www.jainelibrary.org