SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ ૪-૬૭૭ કમળી ન લીધી. સવારે લીલા ધાસનો પડાથી સંઘટ્ટો ક્યોં તથા બહાર ઉઘાડામાં પાણીનો પરિભોગ ક્ય. બીજની ઉપર પગ ચાંપીને ચાલ્યો, અવિધિથી ખારી જમીને ચાલીને મધુર જમીને સંકમ્યો. શું તેં આ બધું ન જોયું? માર્ગ ચાલ્યા પછી સાધુએ ૧૦૦ ડગલાં જતાં ઈરયાવહિયં પ્રતિક્રમવી જોઈએ. તે રીતે ચાલવું, ચેષ્ટા કરવી, બોલવું, શયન કરવું જોઈએ કે જેથી છ કાયના જીવોને સુક્ષ્મ કે બાદર, પર્યામા-અપર્યાપ્તા, આવતા-જતાં સર્વ જીવ, પ્રાણ, ભૂત, સત્વોને સંઘટ્ટ, પરિતાપન, ક્લિામણા કે ઉપદ્રવ ન થાય. આ સાધુઓમાં આમાંનું કોઈ દેખાતું નથી. વળી મુહપત્તિનું પડિલેહણ ક્રતા એવા સાધુને મેં પ્રેરણા આપી કે વાયુકાયનો સંઘટ્ટો થાય તેમ ફડફડાટ અવાજ જતા પડિલેહણ #ો છો, પડિલેહણ નો હેતુ શો? ત્યારે તેં મને નિવાર્યો કે આપણે સાધુને કંઈ કહેવું કાતું નથી. શું તે વાત તું ભૂલી ગયો ? તેથી હે સુમતિ ? આણે એક પણ સંયમ સ્થાનક સમ્યક પ્રકારે રશ્કેલ નથી. જેનામાં આવો પ્રમાદ હોય, તે સાધુ કેમ કહેવાય? આવા નિર્વસને સાધુ ન કહેવાય. તું જો આ શ્વાન સમ નિર્દય, છ કય જીવ મઈક છે, તો મને કેમ અનુરાગ થાય? અથવા શ્વાન પણ સારો કે જેને અતિસુક્ષ્મ નિયમ-વ્રત ભંગ થતો નથી. આ નિયમ ભંજકની તુલના કોના સાથે ક્રવી ? માટે હે સુમતિ ? આવા કૃત્રિમ આચરણથી સાધુ ન બની શકાય. માટે હે વત્સ! આવા કૃત્રિમ આચારીને જિનવચન મરણ તો કોણ વંદન કરે? વળી તેમના સંસર્ગથી આપણને પણ ચરણ ક્રણમાં શિથિલતા આવી જાય કે જેનાથી આપણે ભવ ઘોર ભવ પરંપરામાં રખડગ્વાનું થાય. ત્યારે સુમતિએ કહ્યું – તે કુશીલ હોય કે સુશીલ, હું તેમની પાસે પ્રવજ્યા સ્વીકારીશ. વળી તમે કહો છો તે ધર્મ વાને આજે કોણ સમર્થ છે ? માટે મને છોડી દો, મારે તેમની સાથે જવું છે. તેઓ ચાલ્યા જશે તો ફરી મેળાપ થવો મુશ્કેલ છે. ત્યારે નાગિલે કહ્યું ! હે સુમતિ ! તેની સાથે જવામાં તારું કલ્યાણ નથી. હું તને તિવચન હું છું. જે બહુ ગુણકારી હોય તેનું સેવન ક્ર. હું કંઈ તને બળાત્કારથી પડી રાખતો નથી. અનેક ઉપાયો છતાં તે ન રોકાયો અને મંદભાગ્ય એવા સુમતિએ પ્રવજ્યા સ્વીકારી. પછી કોઈક સમયે વિહાર ક્રમાં ક્રતાં પાંચ માસ પછી મહાભયંક્ર બાર વર્ષનો દુષ્કાળ આવ્યો ત્યારે તે સાધુઓ તે કાળના દોષથી દોષની આલોચના પ્રતિક્રમણ વિના મૃત્યુ પામીને ભૂત, ચક્ષ, સક્ષસ, પિશાચાદિ વાણવ્યંતર દેવોના વાહનપણે ઉત્પન્ન થયા, ત્યાંથી પ્લેચ્છ જાતિના માંસાહારી, ક્રુર આચરણ કરનારા થયા. ત્યાંથી સાતમી નરકે ઉત્પન્ન થયાં, ત્યાંથી ત્રીજી ચોવીશીમાં સખ્યત્વ પામશે. પછી સખ્યત્ત્વ પ્રાપ્તિના ભયથી ત્રીજા ભવમાં ચાર જણાં સિદ્ધિ પામશે. પછી સમ્યક્ત પ્રાપ્તિના ભયથી ત્રીજા ભવમાં ચાર જણાં સિદ્ધિ પામશે, પણ જે સર્વથા મોટા પાંચમા હતા તે એક સિદ્ધિ નહીં પામે. કેમ કે તે એકાંત મિથ્યાષ્ટિ અને અભવ્ય છે. ભગવન્! સુમતિ ભવ્ય છે કે અભવ્ય? ગૌતમ ! તે ભવ્ય છે. તો તે મૃત્યુ પામીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy