SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ મહાનાભાવોનો બીજો આચાર કેમ જોતા નથી? છઠ્ઠ, અઠ્ઠમ, ચાર-પાંચ ઉપવાસાદિ તપ ક્રીને આહાર લેતા, આતાપના લેતા, વિસન આદિ વિવિધ અભિગ્રહોને ધારણ ક્રનારા, ષ્ટવાળા તપો વા ઇત્યાદિ ધમનિષ્ઠાન આચરી જેમણે માંસ અને લોહી સુધી નાખેલ છે. આવા ગુણગુક્ત મહાનુભાવ સાધુઓને તમારા સરખા મહાભાષા સમિતિવાળા મોટા શ્રાવક થઈને, આ સાધુઓ કુશીલ છે એમ સંલ્પ કરવો યુક્ત નથી. ત્યારે નાગિલે કહ્યું કે હે વત્સા તેના ધમનુષ્ઠાનથી તું સંતોષ ન પામ, આજે હું અવિશ્વાસથી લુંટાયો છું તેમ ન માન અનિચ્છાએ આવી પડેલ પરાધીનતાથી ભોગવવાના દુઃખોથી અામ નિર્જરાથી પણ ર્મ ક્ષય થાય છે તો પછી બાલતપથી કર્મ ક્ષય કેમ ન થાય? આ સર્વે ને બાલતપસ્વી જાણ. શું તને તેમનું ઉસૂત્રમાર્ગ સેવન અલ્પ પણ દેખાતું નથી? હે સુમતિ! મને આ સાધુ ઉપર સુક્ષ્મ પણ દ્વેષ નથી, પણ તીર્થકર ભગવંત પાસેથી અવધારેલું છે કે કુશીલને ન દેખવા. ત્યારે સુમતિએ ાં કે- જેવો તું નિબુદ્ધિ છે તેવા જ તે તીર્થક્ય હશે. જેથી તને આમ ક્યું. પછી આમ બોલનાર સુમતિના મુખરૂપી છિદ્રને પોતાના હાથે બંધ ક્રીને નાગિલે તેને કહ્યું - હે ભદ્રમુખા જગત ગુરુ તીર્થક્રની આશાતના ન ર, મને જે કહેવું હોય તે કહે, હું તને કોઈ પ્રત્યુત્તર આપીશ નહીં. ત્યારે સુમતિએ કહ્યું, આ જગતમાં આ સાધુ કુશીલ હોય તો સુશીલ સાધુ ક્યાંય મળશે નહીં. ત્યારે નાગિલે કહ્યું - હે ભદ્રમુખ અહીં વિશ્વ અલંઘનીય તીર્થના વચનને આદરથી ગ્રહણ , આતિને તેમના વચનમાં કોઈ વિસંવાદ થતો નથી. બાલતપસીની ચેષ્ટામાં આદર ન કરવો કેમ કે તેઓ કુશીલ જ દેખાય છે. તેમની પ્રવજ્યાને વિશે ગંધ પણ દેખાતી નથી. કેમ કે જો આ સાધુ પાસે બીજી મુહપત્તિ દેખાય છે, તેથી તે અધિક પરિગ્રહ કુશીલ છે. ભગવતે અધિક, પરિગ્રહ માટે સાધુને આજ્ઞા આપી નથી. હીન સત્વવાળો પણ એવો અધ્યવસાય ન રે કે કદાચ મારી આ મુહપત્તિ ફાટીને વિનાશ પામશે તો મને બીજી ક્યાંથી મળશે? હીન સત્વ એમ વિચરતો નથી કે - અધિક ઉપાધિ ધારણ ક્રવાસી માસ પરિગ્રહના વ્રત ભંગ થશે અથવા સંયમમાં રંગાયેલ આત્મા સંયમોપયોગી ધર્મોપણરૂપ મુહપત્તિ જેવા સાધનમાં સદાય ખરા? નક્કી તે વિષાદ ન જ પામે. ખરેખર તેવો આત્મા પોતાને હું હીન સત્વવાળો છે, તેમ જાહેર કરે છે. ઉન્માર્ગના આચરણની પ્રશંસા કરે છે. પ્રવચન મલિન કરે છે. આ સાધુએ કાલે વસ્ત્રવિહિન સ્ત્રી શરીરને સગથી જોઈને ચિંતવન કરીને આલોચના, પ્રતિક્રમણ ક્યાં નથી. તે તને ખબર નથી? આ સાધુના શરીરે ફોડલાં થયા છે, તેથી તેને દેખતો નથી. હમણાં જ તેણે લોચ માટે અણઆપેલી સખ હાથમાં લીધી. તે પણ જોયું છે. ગઈ કાલે સૂર્યોદય પહેલાં સંધાટન્ને કહ્યું – ચાલો વિહાર કરીએ, સૂર્યોદય થઈ ગયો છે. તે ન સાંભળ્યું ? આમાં જે મોટો નવદીક્ષિત છે તે ઉપયોગ વગર સૂઈ ગયો, વીજળી અગ્નિકાયથી સ્પર્શ ક્યયો, તેં તેને જોયો છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy