SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/-/૬૬૨ ૧ સાથે ચાલ્યા. માત્ર એક મુક્રમે જવા પ્રયાણ કર્યું, ત્યાં નાગિલે સુમતિને હ્યુંહરિવંશના તિલસ્મૂત મરક્ત રત્ન સમાન શ્યામાંતિવાળા સુગ્રાહ્યનામવાળા બાવીસમાં તીર્થંકર શ્રી અરિષ્ઠનેમિના ચરણ મળમાં મેં આ પ્રમાણે સાંભળીને અવધારેલ કે આવા પ્રકારના અણગાર રૂપને ધારણ કરનારા કુશીલ ગણાય છે. જે કુશીલ છે તેમને દૃષ્ટિથી પણ જોવા ન ૫ે. આ સાધુઓ તેવા છે, તેમના સાથે થોડો પણ ગમન સંસર્ગ ન ો. માટે તેમને ચાલ્યા જવા દો. આપણે કોઈ નાના સાર્થ સાથે જઈશું. કેમ કે તીર્થં વચનનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. દેવો અને અસુરોવાળા આ જગતને પણ તીર્થં વાણી ઉલ્લંધવા લાયક નથી, બીજું એ કે - જ્યાં સુધી તેમની સાથે યાલીએ ત્યાં સુધી તેમના દર્શન તો ઠીક આલાપ-સંલાપાદિ પણ નિયમા કરવા પડે. તો શું આપણે તીર્થંકરની વાણી ઉલ્લંઘીને જવું. એમ વિચારી સુમતિનો હાથ પક્ડી નાગિલ ત્યાંથી નીકળી ગયો. [૬૬૩ થી ૬૬૯] નેત્રથી નીહાળેલ, શુદ્ધ અને નિર્જીવભૂમિ ઉપર બેઠો. ત્યાર પછી સુમતિએ કહ્યું કે જ્ઞાન આપનાર ગુરુ, માતા-પિતા, વડીલબંધુ તેમજ બહેન અથવા જ્યાં સામો પ્રત્યુત્તર આપી શકાતો ન હોય ત્યાં હે દેવ! મારે શું ક્લેવું. તેઓની આજ્ઞા થાય તે પ્રમાણપૂર્વક તહત્તિ એમ કહીને સ્વીકારવાની જ હોય. મેં મારા માટે ઈષ્ટ છે કે અનિષ્ટ છે તેનો તેમાં વિચારવાનો અવકાશ નથી. પણ આજે તો આ વિષયમાં આર્યને આનો ઉત્તર આપવો જ પડશે અને તે પણ આા ઠોર શ અનિષ્ટ દુષ્ટ નિષ્ઠુર શબ્દોથી જ અથવા તો મોટા ભાઈ પાસે મારી જીભ કેમ ઉપડે કે જેના ખોળે હું વસ્ત્ર રહિત, અશુચિથી ખરડાયેલ અંગવાળો અનેક વખત રમેલો છું અથવા તે પોતે આવું અણઘટતું બોલતા શરમાતા નથી? કે આ કુશીલો છે, તે સાધુને નજરે પણ ન જોવા જોઈએ. જેટલામાં તે આ વિચારે છે, તેટલામાં ઈંગિતાકાર જાણવામાં કુશળ મોટાભાઈ નાગિલે તેનો હૃદયગત ભાવ જાણી ગયા કે આ સુમિત ખોટો ક્યાયવાળો થાય છે. તો હવે તેને શો પ્રત્યુત્તર આપવો? - [૬૩૦ થી ૬૩૬] કારણ વિના, પ્રસંગ વિના ક્રોધાયમાન થયેલો ભલે હાલ એમ જ રહે, અત્યારે ક્દાચ ક્હીશ તો પણ માનશે નહીં. તો હાલ તેને સમજાવવો કે કાલક્ષેપ કરવો ? કાળ પસાર થતા તેના ક્યાયશાંત થશે પછી મારી વાત સ્વીકારશે. અથવા તો હાલ તેના સંશયને દૂર . વિશેષ સમજ વિના આ ભદ્રિને કંઈ સમજાશે નહીં. એમ વિચારીને નાગિલે સુમતિને ક્યું – હે બંધુ! હું તને દોષ આપતો નથી. હું આ વિષયમાં મારો જ દોષ માનું છું. હિતબુદ્ધિથી સગાભાઈને ક્હીએ તો પણ કોપાયમાન થાય છે. આઠ ક્ર્મની જાળમાં સપડાયેલા જીવોનો અહીં જ દોષ છે કે ચારે ગતિથી બહાર કાઢનાર હિતોપદેશ તેને અસર ન કરે. સજ્જડ રાગ, દ્વેષ, ાગ્રહ, અજ્ઞાન, મિથ્યાત્વ દોષથી ખવાઈ ગયેલા મનવાળાઓને હિતોપદેશરૂપ અમૃત પણ કાલક્ટ વિષ લાગે છે. [૬૭] એમ સાંભળી સુમતિએ કહ્યું કે તમે જ સત્યવાદી છો અને આમ બોલી શકો છો, પણ સાધુના અવર્ણવાદ બોલવા તે બિલકુલ યોગ્ય ન ગણાય, તે 30 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy