________________
૩/×/૬૧, ૬૨૨
પ
(૬૦) હાહાભૂતશરણા, (૬૧) રુક્ષા, (૬૨) સ્નિગ્ધા, (૬૩) રુસાસ્નિગ્ધા. આ પ્રમાણે કુશીલદૃષ્ટિઓ અહીં જણાવી છે. તે નામના અનુસારે વ્યાખ્યા સમજી લેવી. સ્ત્રીઓના ચરણ, અંગૂઠા, તેનો અગ્રભાગ, નખ, હાથ, જે સારી રીતે આલેખેલ હોય, લાલરંગ કે અલતાથી ગાત્રો અને નખ રંગેલા હોય, મણિના ણિો એકઠા થવાી મેઘધનુષ્ય હોય તેવા નખને, કાચબા જેવા ઉન્નત ચરણને, સરખા ગોઠવાયેલ ગોળાકાર ગૂઢ જાનુને, જંઘાને, વિશાળ કટિ તટના સ્થાનને, જધન, નિતંબ, નાભિ, સ્તન, ગુપ્તસ્થાન પાસેના સ્થાનો, કંઠ, ભૂજાલષ્ટિ, અધર, હોઠ, દંતપંક્તિ, કાન, નાક, નેત્રયુગલ, ભ્રમર, મુખ, પાળ, મસ્ત, કેશ, સેંથો, વાંકી કેશલટ, પીઠ, તિલક, કુંડલ, ગાલ, ખંજન, શ્યામવર્ણી, તમાલપત્ર સમાન કેશક્લાપ, દોરો, નુપુર, બાહુરક્ષક મણિરત્ન જડિત કડાં, કંકણ, મુદ્રિકાદિ મનોહર અને ઝળહળતા આભૂષણો, રેશમી ઝીણાં વસ્ત્રો, સુતરાઉ વેશભૂષા આદિથી સજાવટ કરીને કામાગ્નિનને પ્રદીપ્ત કરનારી નારકી અને તિર્યંચગતિમાં અનંત દુઃખ અપાવનારી આ સ્ત્રીઓના અંગો, ઉપાંગો, આભૂષણો આદિ અભિલાષાપૂર્વક સરાગ દૃષ્ટિથી દેખવું તે ચક્ષુકુશીલ કહેવાય.
[૬૨૩, ૬૨૪] ઘ્રાણકુશીલ તેને કહેવાય, જેઓ સારી સુગંધ લેવા જાય અને દુર્ગન્ધ આવતી હોય તો નાક મચકોડે – દુર્ગંધ કહે, શ્રવણકુશીલ બે ભેદે પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં જે ભિક્ષુ અપ્રશસ્ત એવા કામરાગને ઉત્પન્ન કરનાર, ઉદ્દીપન નાર, ઉજ્જવલન કરનાર, ગંધર્વ, નાટક, ધનુર્વેદ, હસ્તશિક્ષા, કામશાસ્ત્ર, રતિશાસ્ત્ર આદિ શ્રવણ કરીને તેની આલોચના ન કરે યાવત્ તેનું પ્રાયશ્ચિત આચરી ન આપે તે અપ્રશસ્ત શ્રવણ કુશીલ જાણવો. તથા જીહ્વા કુશીલ અનેક પ્રકારે જાણવા. તે આ પ્રમાણે કડવા, તીખા, તુરા, મધુર, ખાટા, ખારા રસોનો સ્વાદ કરવો. ન દંખેલાં, ન સાંભળેલાં, આલોક પરલો ઉભયલોક વિરુદ્ધ દોષવાળા માર-જકારવાળા અપશબ્દોને ઉચ્ચારવા, અપયશ થાય તેવા ખોટાં આળ આપવાં, અછતાં ંક ચડાવવા, શાસ્ત્ર જાણ્યા વિના ધર્મદેશનાની પ્રવૃત્તિ કરવી તે જિલ્લા કુશીલ જાણવા.
ભગવન્ ! ભાષા બોલવાથી પણ શું કુશીલપણું થઈ જાય છે ? ગૌતમ ! હા, તેમ થાય છે. ભગવન્ ! તો શું ધર્મદેશના ન કરવી ? ગૌતમ ! સાવધ-નિવધ વચનોનો તફાવત જે જાણતો નથી. તેને બોલવાનો પણ અધિકાર નથી. તો પછી ધર્મદેશના કરવાનો તો અવકાશ જ ક્યાં છે ?
[૬૫] શરીર કુશીલ બે ભેદે જાણવા- ચેષ્ટાકુશીલ, વિભૂષા શીલ. તેમાં જે ભિક્ષુ આ કૃતિ સમૂહના આવાસરૂપ પક્ષીઓ અને શ્વાનોના માટે ભોજનરૂપ, સડવું-પડવુંનાશ પામવું એવા સ્વભાવવાળું અશુચિ, અશાશ્વત, સંસાર એવા શરીરને હંમેશા આહારાદિથી પોષે, પંપાળે, તેવી શરીર ચેષ્ટા કરે, પરંતુ સેંકડો ભવોમાં દુર્લભ એવા જ્ઞાન-દર્શનાદિ સહિત એવા શરીર વડે અત્યંત ઘોર વીર ઉગ્ર કારી ઘોર તપ સંયમના અનુષ્ઠાનો ન આયરે તે ચેષ્ટા કુશીલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org