________________
મહાનિશયછેદક-અનુવાદ ધમધનામાં તું પાર પામનારો થા. વડી દીક્ષામાં, ગણીપદની અનુજ્ઞામાં સાત વખત આ વિધાનો જાપ કરવો અને નિલ્લાસણ પામ્યા હોય એમ કહેવું. અંતિમ સાધના અનશન અંગીકાર રે ત્યારે મંત્રીને વાસક્ષેપ કરવામાં આવે તો આત્મા આરાધક બને છે. આ વિધાના પ્રભાવથી વિપ્નના સમૂહો ઉપશાંત થાય છે. શૂરવીર પુરુષ સંગ્રામમાં પ્રવેશ કરે તો કોઈથી પરાભવ પામતો નથી. કક્ષાની સમાપ્તિમાં મંગલ અને ક્ષેમ કરનાર થાય છે.
પિ૯૮] તેમજ સાધુ, સાળી, શ્રાવક, શ્રાવિકાઓ એ ચારે પ્રકારના શ્રમણ સંઘના વિપ્નો ઉપરાંત થાય છે અને ધર્મ કાર્યમાં સફળતા મેળવે છે. વળી તે મહાનુભવને એમ કહેવું કે ખરેખર તે ધન્ય છે, પૂણ્યવંત છો, એમ બોલતા વાસક્ષેપ મંત્રીને લેવો.
- ત્યાર પછી જગત ગુરુ જિનેન્દ્રની આગળા સ્થાનમાં ગંધયુક્ત, ન કરમાયેલી શ્રેત માળા ગ્રહણ કરીને ગુરુ મહારાજ પોતાના હસ્તથી બંને ખભા ઉપર આરોપણ ક્રતા કરતા નિઃ સંદેહ પણે આ પ્રમાણે તેને કહે કે- અરે મહાનુભવ. જન્માંતમાં ઉપાર્જિત મહાપુણ્ય સમૂહવાળા ! તેં તારો મેળવેલ, સુંદર રીતે ઉપાર્જિત માનવજન્મ સફળ ક્ય. તારા નરક અને તિર્યંચગતિના દ્વારા બંધ થઈ ગયા. હવે તેને અપયશ, અપકીર્તિ, નીચ ગોત્ર કર્મનો બંધ નહીં થાય. ભવાંતરમાં પંચ નમસ્કારના પ્રભાવથી
જ્યાં જ્યાં ઉત્પન્ન થઈશ ત્યાં ત્યાં ઉત્તમજાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ પુરુષ, આરોગ્ય, સંપત્તિ પ્રાપ્ત થશે. આ બધું તને મળશે જ.
વળી પંચ નમસ્કારના પ્રભાવથી તને દાસપણું, દારિદ્ર, દુર્ભાગ્ય, હીનકુળમાં જન્મ, વિક્લેન્દ્રિયપણું નહીં મળે. વધુ શું કહેવું?
હે ગૌતમ ! આ કહેવી વિધિથી જે કોઈ પંચ નમસ્કારાદિ શ્રતજ્ઞાન ભણીને તેના અનુસાર પ્રયત્ન નામે થાય. સર્વ આવશ્યક આદિ નિત્ય અનુષ્ઠાનો તથા અઢાર હજાર શીલાંગોને વિશે રમણના ક્રના થાય, કદાચ તે સસગપણે સંયમ ક્રિયાનું સેવન રે તે #રણે નિવણ ન પામે તો પણ ગ્રેવેચક, અનુતર આદિ ઉત્તમ દેવલોકમાં દીર્ઘાળ આનંદ કરીને અહીં મનુષ્ય લોકમાં ઉત્તમ કુળમાં જન્મ પામીને ઉત્કૃષ્ટ સુંદર લાવણ્ય યુક્ત સંવગ સુંદર દેહ પામીને સર્વ ળામાં નિષ્ણાંતપણું મેળવીને લોકોના મનનને આનંદ પામનારો થાય છે. સુરેન્દ્ર સમાન ઋધિ પાનીને, એકાંત દયા અને અનુકંપામાં તાર, કમભોગોથી કંટાળેલો યથાર્થ ધર્માચરણથી કર્મરાજ ખંખેરીને સિદ્ધિ પામે છે. પિ૯] ભગવન્! જેવી રીતે પંચમંગલ ઉપધાન તપ ક્રીને વિધિપૂર્વક ગ્રહણ ક્યું, તેવી રીતે સામાવિકદિ સમગ્ર ગ્રુતજ્ઞાન ભણવું જોઈએ ?
ગૌતમ ! હા, તે જ પ્રમાણે વિનય અને ઉપધાન તપ પૂર્વક વિધિથી અધ્યયન કરવું જોઈએ. ખાસ કરીને તે શ્રુતજ્ઞાન ભણવાની અભિલાષાવાળાએ સર્વ પ્રયત્નશી આઠ પ્રકારના ફલાદિ આચારોનું રક્ષણ ક્રવું જોઈએ. અન્યથા શ્રુતજ્ઞાનની મહાઆશાતના થાય. બીજી એ વાત પણ ધ્યાનમાં રાખવી કે બાર અંગના શ્રત જ્ઞાન માટે પહેલા અને છેલા પ્રહરે ભણવા-ભણાવવાનો રોજ પ્રયત્ન કરવો અને પંચમંગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org