SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ 3/-૫૫ E ત્યારે યથાશક્તિ જગત ગુરુ તીર્થંકર ભગવંતને પૂજવા યોગ્ય ઉપરણો એક્ઠાં રીને, સાધુ ભગવંતોને પ્રતિલાભીને ભક્તિપૂર્ણ હૃદયી, રોમાંચિત બની, પુલક્તિ થયેલા શરીરવાળો, હર્ષિત થયેલ મુખારવિંદવાળો, શ્રદ્ધા-સંવેગ-વિવેપરમ વૈરાગ્યથી તેમજ જેણે ગાઢ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વરૂપ મલક્યુંને નિર્મૂળપણે વિનાશ કર્યાં છે. તેવી, સુવિશુદ્ધ-અતિનિર્મળ, વિમળ, શુભ, વિશેષ શુભ એવા પ્રકારે ઉલ્લાસ પામતા, ભુવનગુરુ, જિનેશ્વરની પ્રતિમા વિશે સ્થાપન રેલો નેત્ર અને માનસવાળો, એકાગ્ર ચિત્તવાળો ખરેખર હું ધન્ય છું, પુણ્યશાળી છું. જિનેશ્વરોને વંદન કરવાથી મેં મારો જન્મ સફળ ર્યો છે, એમ માનતા પાળની ઉપર બે હાથ જોડી, અંજલિ રચી, સજીવ વનસ્પતિ બીજ આદિથી રહિત ભૂમિ વિશે બંને જાનુઓ સ્થાપન કરીને સારી રીતે સ્પષ્ટપણે સુંદર રીતે જાણેલા, સમજેલા જેણે યથાર્થ સૂત્ર-અર્થ-તદુભય-નિઃશક્તિ ર્યા છે તેવો, પદે પદોના અર્થની ભાવના ભાવતો, દૃઢ ચારિત્રી, શાસ્ત્રોનો જાણકાર, અપ્રમાદાતિશયાદિ અનેક ગુણ સંપત્તિવાળા ગુરુની સાથે સાધુ, સાધ્વી, સાધર્મિક સમગ્ર બંધુવર્ગ કુટુંબ પરિવાર સહિત પ્રથમ તેણે ચૈત્યોને જુહારવા જોઈએ. ત્યાર પછી યથાશક્તિ, સાધર્મિક બંધુને પ્રણામ વાપૂર્વક અતિ કિંમતી, કોમળ, સ્વચ્છ વસ્ત્રોની પહેરામણી કરીને તેમનો મહાઆદર કરવો. તેમનું સુંદર સન્માન કરવું. આ સમયે જેમણે શાસ્ત્રના સાર સારી રીતે જાણેલા છે. એવા ગુરુમહારાજે વિસ્તારથી આક્ષેપથી, નિક્ષેપણી, ધર્મક્થા કહી સંસારનો નિર્વેદ, ઉન્માદ, શ્રદ્ધાસંવેગવર્ધક ધર્મોપદેશ ક્લેવો. [૫૯૬, ૫૯૭] ત્યારપછી પરમ શ્રદ્ધા સંવેગ તત્પર બનેલો જાણીને જીવન પર્યન્તના કેટલાંક અભિગ્રહ આપવા જેવા કે હે દેવાનુપ્રિય! તે ખરેખર આવો સુંદર મનુષ્ય ભવ મેળવ્યો. તેને સફળ ર્યો ત્યારે આજથી જીવજ્જીવ હંમેશા ત્રણે કાળ ત્વરા રહિત, શાંત અને એકાગ્ર ચિત્તે ચૈત્યોના દર્શન-વંદન કરવા. અશુચિ અશાશ્વત ક્ષણભંગુર એવા મનુષ્યત્વનો આજ સાર છે, રોજ સવારે ચૈત્ય અને સાધુને વંદન ન - દર્શન ન ત્યાં સુધી મૂખમાં પાણી ન નાંખવું, બપોરે ચૈત્યાલયમાં દર્શન ન ત્યાં સુધી મધ્યાહ્ન ભોજન ન કરું, સાંજે પણ ચૈત્ય દર્શન ક્યાં સિવાય સંધ્યાકાળનું ઉલ્લંઘન ન કરવું. તે આવા પ્રકારના અભિગ્રહના નિયમો જીવનપર્યન્ત કરાવવા. પછી હે ગૌતમ ! આગળ ક્હીશું તે [વર્ધમાન વિધાથી મંત્રીને ગુરુએ તેના મસ્તક ઉપર સાત મુષ્ટી ગંધચૂર્ણ નાખવી અને એવા આર્શીવચનો હેવા કે આ સંસાર સમુદ્રનો નિસ્તાર રીને પાર પામનારો થા. — વર્ધમાન વિધા - ૐ નમો મળવો અઓ સિય મે માવતી મહાવિજ્ઞા वीरे महावीरे जयवीरे, सेणवीरे वद्धमाणवीरे जये विजये जयंते अपराजिए स्वाहा. ઉપવાસ કરીને વિધિપૂર્વક સાધના કરવી જોઈએ. આ વિધા વડે દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy