SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ વીર્યથી યોગ નિરોધ કરવા રૂપ મહાપ્રયતથી જેઓ સિદ્ધ થયેલા છે. અથવા તો આઠ પ્રશ્નરનો કર્મક્ષય થવાથી જેમણે સિદ્ધપણાની સાધના ક્રી છે, એવા સિદ્ધ ભગવંતો કે શુક્લ ધ્યાનરૂપી અગ્નિથી બાંધેલા કર્મો ભસ્મીભૂત કરીને જે સિદ્ધ થાય છે. તેવા સિદ્ધ ભગવંતો, સિદ્ધ કર્યા છે – પૂર્ણ થયાં છે – રહિત થયાં છે સમગ્ર પ્રયોજન સમૂહ જેઓને એવા સિદ્ધ ભગવંતો. તેઓ સ્ત્રી-પુરુષ-નપુંસક લિંગે યાવત સ્વયંભુદ્ધાદિપણે કર્મક્ષય કરીને સિદ્ધ થયા. એમ અનેક પ્રકારે સિદ્ધોની પ્રરૂપણા જાય છે. ૧૮૦૦૦ શીલાંગોએ આશ્રય ફ્રેલા દેહવાળા ૩૬ ભેદે જ્ઞાનાદિ આચારને નિરંતર આચરનારા તેથી આચાર્ય. સર્વે સત્વો તેમજ શિષ્ય સમુદાયનું હિત આચરનારા હોવાથી આચાર્ય પ્રાણના ત્યાગમાં પણ પૃથ્વીકાયાદિ જીવોનો સમારંભ આયરે. આરંભને ન અનુમોદે, કોઈએ મોટો અપરાધ રેલો હોય તો પણ તેમના ઉપર મનથી પણ પાપ ન આયરે તે આચાર્ય દ્દેવાય છે. આ રીતે નામ સ્થાપનાદિ અનેક ભેદોથી પ્રરૂપિત છે. સારી રીતે આશ્રવ દ્વારોને બંધ રેલા, મન-વચન-કાયાના સુંદર યોગમાં ઉપયોગવાળા, વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માબા, બિંદુ, પદ, અક્ષરથી વિશુદ્ધ બાર અંગો- શ્રુતજ્ઞાન ભણનાર અને ભણાવનારા તથા બીજાના અને પોતાના મોક્ષ ઉપાય જેઓ વિચારે છે. તે ઉપાધ્યાય, સ્થિર પરિચિત રૈલ અનંતગમ પયય વસ્તુ સહિત દશાંગી અને શ્રુતજ્ઞાન એકાગ્ર મનથી ચિંતવે, સ્મરણ રે, ધ્યાન કરે તે ઉપાધ્યાય. - અત્યંય કષ્ટવાળા, ઉગ્ર-ઉગ્રતર ઘોર તપ અને ચાસ્ત્રિ વાળા, અનેક વ્રતનિયમ, ઉપવાસ, વિવિધ અભિગ્રહ, સંયમપાલન, સમતા સહિત પરિષહ-ઉપસર્ગ સહન નારા, સર્વ દુબરહિત મોક્ષની સાધના નાસ તે સાધુ ભગવંત કહેવાય. આ પારોને રેલો નમસ્કાર શું છે ? જ્ઞાનાવરણીય આદિ સર્વ પાપડ્મી વિશેષનો દરેક દિશામાં નાશ રે, આ પદ લિામાં પહેલો ઉદ્દેશો Èવાય -- “એસો પંચ નમુક્કારો- સવ્વપાવપણાસણો.” આ ઉદેશો કેવા પ્રકારનો છે ?' મંગલાણં ચ સોસિં પઢમં હવાઇ મંગલ' તેમાં “મંગલ' શબ્દનો અર્થ નિર્વાણસુખ થાય છે. તેવા મોક્ષસુખને સાધી આપવામાં સમર્થ એવા સમ્યગદર્શનાદિ સ્વરૂપવાળો, અહિંસા લક્ષ ધર્મ જે મને લાવી આપે તે મંગ. અથવા મને ભવ-સંસારથી ગાળ-તારે તે મંગલ. અથવા બદ્ધ, સૃષ્ટ, નિષ્પચિત એવા આઠે પ્રકારના મારા કમી સમૂહને જે ગાળ-નાશ પમાડે તે મંગલ. આ મંગલ અને બીજા સર્વ મંગલોમાં શો તફાવત છે ? પહેલા આદિમાં અરિહંતની સ્તુતિ એ જ મંગલ છે. આ અર્થ સંક્ષેપ થી લ્યો, વિસ્તૃત અર્થ આ પ્રમાણે-તે કાળે, તે સમયે હે ગૌતમ ! જેનો શબ્દાર્થ આગળ કહેવાય છે, એવા જે કોઈ ધર્મ તીર્થક્ટ થાય છે, તેઓ પૂજયોના પણ વિશેષ પૂજય હોય છે. કેમ કે તે સર્વે અહીં આગળ જણાવીશું તેવા લક્ષોથી યુક્ત હોય છે. અચિંત્ય, અપ્રમેય, નિરૂપમ, અતુલ્ય, શ્રેષ્ઠ-શ્રેષ્ઠતર એવા ગુણ સમૂહથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy