________________
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
બહારના શરીરના અવયવોથી જ્ઞાત, મહાસત્વશાળી, કામદેવથી કંટાળેલા, વૈરાગ્ય પામેલા આત્માઓને જ્ઞાત, સર્વોત્તમ ઉત્તમ ધર્માધર્મ સ્વરૂપ સમજેલાને આવા પ્રકારની ઉક્ત સ્ત્રીની અભિલાષા ક્ષણવાર પણ કેમ થાય ?
[૪૦૯, ૪૧૦] જેની અભિલાષા પુરુષ રે છે, તે સ્ત્રીની યોનિમાં પુરુષના એક સંયોગમાં નવ લાખ પંચેન્દ્રિય સંમૂમિ જીવોનો વિનાશ થાય છે. તે જીવો અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી ગ્રમયક્ષુથી જોઈ શક્યતા નથી. તેથી કહે છે કે સ્ત્રી સાથે એક કે અનેક્વાર વાત ન કરવી. તેના અંગોપાંગ રાગથી ન નીરખવા, યાવત્ બ્રહ્મચારી પુરુષે માર્ગમાં સ્ત્રી સાથે ગમન ન કરવું.
[૪૧૧] ભગવન ! સ્ત્રી સાથે સંલાપ ન કરવો, અંગોપાંગ ન જોવા કે મૈથુન સેવન તજવું ? ગૌતમ ! તે બધું છોડવું. ભગવન ! સ્ત્રીના સમાગમરૂપ મૈથુન જવું કે ઘણાં પ્રારે સચિત્ત-અચિત્ત વસ્તુ વિષયક મૈથુન પરિણામ ત્રિવિધે સર્વથા યાવજીવન તવા ? હે ગૌતમ ! તે સર્વે સર્વ પ્રકારે ત્યાગ કરવા.
ભગવન ! જે કોઈ સાધુ-સાધ્વી મૈથુન સેવે, તે વંદન રાવે ? ગૌતમ ! જે કોઈ સાધુ-સાધ્વી દિવ્ય-માનુષી કે તિર્યંય સંગથી યાવત્ હસ્તદિ સચિત્ત વસ્તુ વિષયક દુષ્ટાધ્યવસાયથી ત્રિવિધ પોતે મૈથુન સેવે, બીજાને પ્રેરીને મૈથુન સેવડાવે, સેવતાને સારા માને, કૃત્રિમ અને સ્વાભાવિક ઉપકરણથી તે જ પ્રમાણે ત્રિવિધ-ત્રિવિધે મૈથુન સેવે-સેવડાવે-અનુમોદે, ને સાદુ-સાધ્વી દુરંત વિપાકી, અસુંદર, અતિ ખરાબ, ને અદર્શનીય, સંસાર માર્ગ સેવી, મોક્ષમાર્ગથી દૂર, મહાપાપમાં છે. તે વંદન કરવાકરાવવા કે નારને સારો માનવા લાયક નથી. ત્રિવિધે અવંધ છે. જયાં સુધી પ્રાયશ્ચિત્ત કરી વિશુદ્ધ ન થાય, ત્યાં સુધી બીજા પાસે વંદન ન ાવે.
ભગવન ! એવાને વંદન કરનાર શું મેળવે ? ૧૮૦૦૦ શીલાંગધારી મહાનુભાવ તીર્થની મહાન આશાતના કરનારો થાય, આશાતનાથી યાવત્ અનંત સંસારીપણું
મેળવે છે.
[૪૧૩ થી ૪૧૫] ગૌતમ ! એવા પણ કેટલાંક છે, જેઓ સ્ત્રીનો ત્યાગ સારી રીતે રે છે, મૈથુન પણ છોડે છે, પણ પરિગ્રહ મમતા છોડી શક્તા નથી. સચિત્ત-અચિત્ત કે ઉભય, થોડું ઘણું જેટલાં પ્રમાણમાં તેની મમતા રાખે, ભોગવે, તેટલા પ્રમાણમાં સંગવાળો કહેવાય. સંગવાળો પ્રાણી જ્ઞાનાદિ ત્રણ સાધી ન શકે, માટે પરિગ્રહ તજવો.
[૪૧૬] ગૌતમ ! એવા પણ છે, જેઓ પરિગ્રહ પણ તજે છે. પણ આરંભ તજતા નથી, તેઓ પણ ભવ પરંપરા પામનારા કહેવાય.
[૪૧૭] ગૌતમ ! આરંભાર્થે સજ્જ થઈ એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય જીવના સંઘટ્ટન આદિ કર્મ રે, તો જેવું પાપ કર્મ બાંધે છે તે તું સમજ.
[૪૧૮ થી ૪૨૦] કોઈ બેઇંદ્રિયજીવને બળાત્કારે, તેની ઇચ્છા ન હોય તો પણ એક સમય માટે હાથ-પગ-સળી આદિ ઉપરણથી છ માસ સુધી ભોગવવા પડે છે. તે જ કર્મ ગાઢ સંઘટ્ટાથી બાર વર્ષ સુધી ભોગવવું પડે છે. અગાઢ પરિતાપે ૧૦૦૦ વર્ષ, ગાઢ પરિતાપે ૧૦,૦૦૦ વર્ષ અગાઢ કીલામણાથી લાખ વર્ષ, ગાઢ કીલામણાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org