________________
૪૪
મહાનિશીથછેદર-અનુવાદ મનને રોક્કને પોતાના આત્માને નિંદીને ગહેં. પણ ફરી તે જન્મમાં બીજી વખત સ્ત્રીની અભિલાષા મનથી પણ ન રે.
[૩૨] વળી જે ઉત્તમોત્તમ પ્રકારના પુરુષ હોય તે અભિલાષા ક્રતી સ્ત્રીને જોઈને ક્ષણવાર કે મુહૂર્ત સુધી દેખીને મનથી પણ તેને ન ઇચ્છે. પ્રહર કે અર્ધ પ્રહર સુધી તે સ્ત્રી સાથે અયોગ્ય કર્મ ન સેવે. | [૩૯] જે તે બ્રહ્મચારી હોય કે અભિગ્રહ પ્રત્યાખ્યાન કરેલ હોય કે તે બંને ન હોય તો પોતાની પત્નીના વિષયમાં ભજના, તે ક્રમભોગમાં તીવ્ર અભિલાષી ન હોય. ગૌતમ ! આ પુરુષને કર્મનો બંધ થાય, પણ તે અનંત સંસારમાં રખડવા યોગ્ય કર્મ ન બાંધે.
[૩૪] વળી જે વિમધ્યમ પુરુષ હોય તે સ્વપત્ની સાથે આ પ્રમાણે કર્મ સેવન કરે, પણ પરસ્ત્રી સાથે તેવું અયોગ્ય ર્મ ન સેવે. પરંતુ પરસ્ત્રી સાથે આવો પુરુષ જો પછી ઉગ્ર બ્રહાચારી ન થાય તો અધ્યવસાય વિશેષ અનંત સંસારી થાય કે ન પણ થાય. અનંત સંસારી કોણ ન થાય? કોઈ તેવો ભવ્ય આત્મા જીવાદિ નવ પદાર્થોનો જાણક્કર હોય, આગમશાસ્ત્રાનુસાર ઉત્તમ સાધુને ધર્મોપારી, આહારાદિ દાન દેનાર, દાનાદિ ચતુર્વિધ ધર્મનું યથાશક્તિ અનુષ્ઠાન ક્રતો હોય. કોઇપણ પ્રકારે ગમે તેવા સંકટમાં પણ ગૃહીત નિયમો અને વ્રતોનો ભંગ ન કરે તો શાતા ભોગવતો પરંપરાએ ઉત્તમ મનુષ્યત્વ કે ઉત્તમ દેવત્વ, તેમજ સમ્યક્તથી પ્રતિપતિત થયા સિવાય નિસર્ગ કે આભિગમિક સમ્યકત્વ થઈ ઉત્તરોત્તર ૧૮૦૦૦ શીલાંગઘર થઈ આશ્રવ દ્વારોનો બંધ રીને ફર્મરાજ અને પાપમલથી રહિત બની પાપ ક્રમોને ખપાવીને સિદ્ધિગતિ પામે.
[૩૫] જે અધમપુરુષ હોય તે સ્વ કે પર સ્ત્રીમાં આસક્ત મનવાળો હોય, દરેક સમયમાં ક્રર પરિણામ જેના ચિત્તમાં ચાલુ હોય આભ-પરિણાદિ વિશે તલ્લીન મનવાળો હોય. તેમજ વલી જે ધમાધમ પુરુષ હોય તે મહાપાપ મૈ ક્રનાર સર્વ સ્ત્રીઓનો વચન, માયા, કયાથી ત્રિવિધે દરેક સમય અભિલાષ રે. અત્યંત ક્રુર અધ્યવસાયોથી પરિણામેલા ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં આસક્ત રહીને પોતાનો આયુષ્ય કલ ગમન કરે છે. આ પ્રમાણે અધમ અને અધમાધમ બંનેનું અનંત સંસારીપણું સમજવું.
[૩૯] ભગવન્! જે અધમ અને અધમાધમ પુરુષ બંનેનું એક સરખું અનંત સંસારીપણું આમ જણાવ્યું. તો અધમ અને અધમાધમ વચ્ચે તફાવત શો? ગૌતમ! અધમપુરુષ સ્વ કે પરસ્ત્રીમાં આસક્ત મનવાળો, ક્રર પરિણામ ચિત્ત, આરંભ-પરિગ્રહ તલ્લીન હોવા છતાં પણ દીક્ષિત સાળી તેમજ શીલસંરક્ષણની ઇચ્છાવાળો હોય, પૌષધ-વ્રત-ઉપવાસ પ્રત્યાખ્યાનમાં ઉધમવાળી દુઃખી ગૃહસ્થ સ્ત્રીના સહવાસમાં આવી પડી હોય, તેને અયોગ્ય અતિચારની માંગણ ક્ટ, પ્રેરણા કરે, આમંત્રણ , પ્રાર્થના કરે તો પણ કામવશ બની દુરાચાર ન સેવે.
પરંતુ જે અધમાધમ પુરુષ હોય તે પોતાની માતા, બહેન વગેરે યાવતુ દીક્ષિત સાધ્વીની સાથે પણ શારીરિક અયોગ્ય અનાચાર સેવન કરે. તે કારણે તેને મહાપાપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org