SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩/૨૦૯ થી ૨૯૧ અધ્યયન-૨, ઉદ્દેશો-૩ -*-*-*-*-* [૨૮૯ થી ૨૯૧] એ રીતે મૈથુન દોષથી સ્થાવરપણું ભોગવીને કેટલાંક અનંત કાળે મનુષ્ય યોનિમાં આવ્યા. મનુષ્યત્વમાં કેટલાંની હોજરી મંદ હોવાથી મુશ્કેલીએ આહાર પાયન થાય. થોડો અધિક આહાર લે તો પેટમાં પીડા થાય કે ક્ષણે ક્ષણે તૃષા લાગ્યા કરે. ક્દાય માર્ગમાં મૃત્યુ થાય. વધુ બોલકા હોવાથી કોઈ પાસે ન બેસાડે. સુખેથી કોઈ સ્થાને સ્થિર ન બેસે. મુશ્કેલીથી બેસવા મળે. સ્થાન થાય તો પણ ક્લા-વિજ્ઞાનાદિ અભાવે ક્યાંય આવકાર ન મળે, પાપના ઉદયવાળો તે બિચારો નિદ્રા પણ ન પામે. ૩૫ [૨૯૨, ૨૯૩] એ પ્રમાણે, પરિગ્રહ અને આરંભ દોષથી નરાયુપ બાંધીને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ નળ સુધી નારક્ની તીવ્ર વેદનાઓ ભોગવી અહીં માનવભવમાં આવ્યો, અહીં પણ ક્ષુધાથી પીડાય, ગમે તેટલાં ભોજન છતાં સંતોષ ન થાય. પ્રવાસીને જેમ શાંતિ ન મળે, તેમ આ બિચારો ભોજન કરવા છતાં તૃપ્ત થતો નથી. [૨૯૪, ૨૯૫] ક્રોધાદિ ક્યાયોના દોષથી ઘો, આશીવિશ્વ, દૃષ્ટિવિષ સર્પપણું પામીને, પછી રૌદ્રધ્યાની મિથ્યાર્દષ્ટિ થાય છે. મિથ્યાર્દષ્ટિ મનુષ્યત્વમાં ધૂર્ત, ફૂડ પટ, પ્રપંચ, દંભ આદિ લાંબો સમય કરી સ્વ મહત્તા લોકોને જણાવતો, તે તિર્યંચપણું પામ્યો. [૨૯૬ થી ૨૯૮] અહીં પણ અનેક વ્યાધિ, રોગ, દુઃખ શોખ્ખું ભાજન બને છે. દરિદ્રતા અને જીયાયી પરાભવિત થયેલો અનેક લોક્ના તિરસ્કારનું પાત્ર બને છે. તેના ક્રમોદયના દોષથી નિરંતર ચિંતાથી ગળતાં દેહવાળો ઇર્ષ્યા-વિવાદરૂપ અગ્નિ જવાલા વડે સતત બળી રહેલા શરીરવાળા હોય છે. આવા અજ્ઞાન-બાળ જીવો અનેક દુઃખથી પરેશાન થાય છે એમાં તેમના દુચરિત્રનો જ દોષ હોય છે. એટલે તેઓ અહીં કોના ઉપર રોષ રે ? [૨૯૯, ૩૦૦] આ રીતે વ્રત-નિયમ ભંગથી, શીલખંડનથી, અસંયમ પ્રવર્તનથી, ઉત્સૂત્ર પ્રરૂપણા-મિથ્યા માર્ગ પર્તાવવાથી, જિનાજ્ઞા વિપરીત અનેક પ્રકારે આચરણાથી, પ્રમાદાચરણથી, કંઇક મન કે વચન કે કાયાથી, કરવા-કરાવવા અનુમોદવાથી અને મન-વચન-કાય યોગના પ્રમાદાચરણથી દોષ લાગે છે. [૩૦૧] આ લાગેલા દોષોની વિધિવત ત્રિવિધે નિંદા, ગા આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત ર્યા વિના દોષોની શુદ્ધિ ન થાય, ૧ [૩૨] શલ્ય સહિત રહેવાથી અનંતી વખત ગર્ભમાં ૧ થી ૬ માસ સુધી તેના હાડકાં, હાથ, પગ, મસ્તક, આકૃતિ બંધાય નહીં તે પહેલાં જ ગર્ભ પીગળી જાય. [૩૦૩ થી ૩૦૬] મનુષ્ય જન્મ પ્રાપ્તિ છતાં તેમાં કોઢ, ક્ષય આદિ વ્યાધિવાળો થાય. જીવતો હોય પણ શરીરમાં કૃમિ થાય. અનેક માખી શરીરે બેસે, બણબણે, 'નિરંતર શરીરના અંગે અંગ સડતા જાય. હાડકાં વાતા જાય. એવા દુઃખોથી પરાભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy