________________
૩૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ [અ થી ૨૫] અશરણ તે જીવને ક્લેશ ન આપી સુખી કર્યો, તેથી અતિ હર્ષ પામે. સ્વાસ્થચિત્ત થઇ વિચારે કે જો એક જીવને અભયદાન આપ્યું. હવે હું નિવૃતિ પામ્યો. ખાણવાથી ઉત્પન્ન થનાર પાપ ર્ક્સના દુ:ખનો પણ મેં નાશ ક્યોં. ખણવાથી અને તે જીવની વિરાધનાથી હુ મેળે ન જાણી શક્ત કે હું રૌદ્રધ્યાનમાં જાત કે આત ધ્યાનમાં ? તે બંને ધ્યાનથી એ દુઃખનો વર્ગ ગુણાંક ક્રેતાં જતાં અનંતાનંત દુઃખ સુધી પહોંચી જાત. સમયના પણ આંતરા વિના રાત-દિસ એક ધારું દુઃખ ભોગવતા મને વચ્ચે થોડો પણ વિસામો ન મળત. નરક અને તિર્યંચમાં એવું દુઃખ સાગરોપમના અસંખ્યાતા કાળ સુધી ભોગવવું પડતું, તે સમયે હૃદય રસરૂપ બનીને દુખાગ્નિ વડે જાણે પીગળી જતું હોય તેવું અનુભવત.
[9] કુંથુઆનો સ્પર્શ કરીને ઉપાર્જિત દુઃખ ભોગવતી વેળા મનમાં એમ વિચાર થાય કે આ દુઃખ ન હોય તો સુંદર, પણ તે સમયે ચિંતવવું કે આ શુના સ્પર્શથી ઉત્પન્ન થયેલ ખણનું દુઃખ મને ક્યા હિસાબમાં ગણાય ?
[૭] ફ્રેંચુઆના સ્પર્શનું દુઃખ અહીં માત્ર ઉપપલક્ષણથી ક્યું સંસારમાં સર્વ દુઃખ પ્રત્યક્ષ છે, અનુભવવા છતાં કેટલાંક જાણતા નથી.
રિ૮, ૨૯] બીજા પણ મહાઘોર દુઃખ સર્વે સંસારીને હોય છે. ગોતમ ! કેટલાંક દુઃખ અહીં વર્ણવવા ? જન્માંતરમાં માત્ર એટલું જ બોલ્યો હોય કે – હણો, મારોતેટલાં વચમારનો વિપાક હું છું.
રિ૮૦ થી ૨૮] જયાં જયાં તે ઉત્પન્ન થાય, ત્યાં ત્યાં ઘણાં ભવનમાં હંમેશાં મરાતો, પીટાતો, કૂટાતો હંમેશાં ભ્રમણ ક્રે છે. જે કોઈ પ્રાણીના કે કીડા-પતંગીયાદિ જીવોના અંગો, ઉપાંગો, આંખ, કાન, નાસિકા, કેડ, હાડકાં, પીઠ ભાગાદિ શરીર અવયવોને ભાંગી નાખે તોડી નાંખે કે મંગાવી-તોડાવી નખાવે અથવા તેમ ક્રનારને સારો માને તો તે રેલા કર્મના ઉદયથી પાણીમાં તલની જેમ પીલાશે. આ રીતે એક, બે, ત્રણ વીસ, ત્રીશ, તો હજાર કે લાખ નહીં પણ સંખ્યાતા ભવો સુધી દુખની પરંપરા પામશે.
રિ૮૪ થી ૮) પ્રમાદ, અજ્ઞાન કે ઇર્ષાથી જે કોઈ અસત્ય વચન બોલે, સામાને અણગમતા અનિષ્ટ વચન સંભળાવે, કામદેવ કે શઠપણાંના અભિમાનથી, દુરાગ્રહી વારંવાર બોલે, બોલાવે કે અનુમોદે, કોધ-લોભ-ભય-હાસ્યથી અસત્ય, અણગમતું, અનિષ્ટ વચન બોલે તો તે કર્મના ઉદયથી મંગો, ગંધાતા મુખવાળો, મૂર્ખ, રોગી, નિષ્ફળ વચની, દરેક ભવમાં પોતાના તરફથી જ લઘુપણું, સારા વર્તનવાળો હોવા છતાં બધે ખોટા ક્લંક મેળવનાર થાય.
[૨૮] જીવનિમયના હિતાર્થે યથાર્થ વચન બોલાયું હોય તે વચન નિર્દોષ છે. અસત્ય હોય તો પણ અસત્યનો દોષ ન લાગે.
રિ૮૮) એમ ચોરી આદિના ફળો જાણવા, ખેતી આદિ આરંભ થી પ્રાપ્ત ધનની આ કે પૂર્વજન્મમાં કૃપાપથી હાનિ દેખાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org