SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કુળોથી અંદર અને બહારથી ખવાતો, બચકા ભરાતો, ર૯ વર્ષ સુધી આયુષ્ય પાલન કરીને મરીને અનેક વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, મનુષ્યગતિમાં મહાધનાઢ્ય કોઈ મોટાના ઘેર જમ્યો. ત્યાં પણ વમન કરવાનું, ખારા, ક્કવાં, ભખાં, કષાયેલા સ્વાદવાળા ત્રિફળા ગુગ્ગલ વગેરે ઔષધોના કઢા પીવા પડતા હતા. હંમેશાં તેની સાફ સુફી દ્રવી પડે. અસાધ્ય, ઉપશમ ન થાય તેવા ઘોર ભયંક્ર દુઃખોથી જાણે અગ્નિમાં સેકાતો હોય તેવા આકાર દુઃખો તે સાવધાચાર્યનો જીવ ભોગવતો ભોગવતો, મળેલ મનુષ્ય ભવ નિષ્ફળ ક્ય. એ પ્રમાણે હે ગૌતમ ! સાવધાચાર્યનો જીવ ચૌદ રાજલોક જન્મ મરણાદિકનાં નિરંતર દુઃખ સહન કરીને ઘણાં લાંબા અનંતકાળ પછી અવરવિદેહમાં મનુષ્ય પણે ઉત્પન્ન થયો. ત્યાં ભાગ્ય યોગે લોની અનવૃત્તિથી ભયંક્ર ભગવંતને વંદન વા ગયો. પ્રતિબોધ પામ્યો, દીક્ષા અંગીકાર ક્રી. અહીં તેવીસમાં શ્રી પ્રાર્થનાથ તીર્થકરના શાસનકાળમાં તે જીવ સિદ્ધિગતિને પામ્યો. હે ગૌતમ ! સાવધાચાર્યે આ પ્રમાણે દુ:ખ મેળવ્યું. ભગવાન ! આવા પ્રકારનું દુસ્સહ, ઘોર, ભયંક્ર, મહા દુ:ખ આવી પડ્યું. તેને ભોગવવું પડ્યું. આટલા લાંબાકાળ સુધી આ સર્વે દુઃખો ક્યા નિમિત્તે ભોગવવા પડ્યા ? હૈ ગૌતમ ! તે કળે અને તે સમયે તેણે જે એમ કહ્યું કે “ઉત્સર્ગ અને અપવાદ સહિત તમામ કહેલું છે, એકાંતે પ્રરૂપણા ન mય, પણ અનેકાંતથી પ્રરૂપણા જાય. પરંતુ અપક્ષયનો પરિભોગ, તેઉકાયનો સમારંભ, મિથુન સેવન આ ત્રણે બીજા કોઈ સ્થાને એકાંતે કે નિશ્ચયથી અને દઢ પણે કે સર્વથા સર્વ પ્રકારે આત્મહિતના અર્થીઓ માટે નિષેધેલા છે. અહીં સૂત્રનું ઉલ્લંઘન ક્રવામાં આવે તો સમ્યગ્ર માર્ગનો વિનાશ, ઉન્માર્ગનો પ્રર્ષ થયા છે. તેનાથી આજ્ઞાભંગનો દોષ અને તેનાથી અનંત સંસારી થાય છે. ભગવન્! શું સાવધાચાર્યએ મૈથુન સેવન ક્રેલું? હે ગૌતમ ! સેવ્યું અને ન સેવ્યું એટલે સેવ્યું નથી તેમ પણ નહીં અને સેવ્યું છે તેમ પણ નહીં. ભગવન્! બંને પ્રકારે કેમ કહો છો? ગૌતમ ! જે આર્યાએ તે કાળે મસ્તક્ષ્મી પગનો સ્પર્શ કર્યો કે સ્પર્શ થયો તે સમયે તેણે પગ ખેંચીને સંકોચી ન લીધો. આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે મૈથુન સેવ્યું અને ન સેવ્યું. ભગવન! આટલા માત્ર ઝરણમાં આવું ઘોર દુઃખે ક્રી મુક્ત કરી શકાય તેવું બદ્ધ ભ્રષ્ટ નિકાચિત કર્મબંધ થાય છે? ગૌતમ! એમ જ છે, એમાં ફેરફાર થતો નથી. ભગવન્! તેણે તીર્થક્ટ નામ ર્મ એકઠું કરેલું હતું. એક જ ભવ બાકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy