________________
૧૧૨
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અંદરથી વિશુદ્ધ હોય તો પણ ગચ્છના આચારો, માંડલીના ધર્મો, છત્રીસ પ્રકારના જ્ઞાનાદિ આચારો યાવત આવશ્યકદિ ક્રણીય કે પ્રવચનના સારને વારંવાર ચૂકે, ખલના પામે અથવા આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનને વિપરીત રૂપ પ્રચારે.
જે કોઈ આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનની અંદર ગૂંથેલા અને અંદર રહેલા એક પદ કે અક્ષરને વિપરીત રૂપે પ્રચારે કે આયરે તે ઉન્માર્ગ દેખાડબ્બારો સમજવો. જે ઉન્માર્ગ દેખાડે તે અનારાધક થાય. આ કારણે હેવાય છે કે તે અનારાધક છે.
૮િ૩૪] ભગવતુ ! એવો કોઈ આત્મા થશે કે જે આ પરમગુરુનું અલંઘનીય પરમ શરણ્ય, સ્કૂટ, અતિપ્રગટ, પરમ કલ્યાણરૂપ, સમગ્ર આઠર્મ અને દુઃખનો અંત ક્રનાર એપ્રવચન દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનને અતિક્રમે અથવા લંઘન કરે, મંડિત રે, વિરોધ, આશાતના રે, મન-વચન-કાયાથી અતિક્રમણ આદિ ક્રી અનારાધક થાય
ગૌતમ ? અનંતો કાળ વર્તતા હવે દશ અચ્છેરા થશે. તેવામાં અસંખ્યાતા અભવ્યો, અસંખ્યાતા મિથ્યાર્દષ્ટિ, અસંખ્યાતા આશાતના નાર, દ્રવ્યલિંગમાં રહીને સ્વછંદતાથી પોતાની મતિ કલ્પના અનુસાર દંભથી સત્કાર #ાવશે, સલ્તરની અભિલાષા રાખશે. કલ્યાણ ન સમજેલા જિનેશ્વરનું પ્રવચન તો સ્વીકારશે, પણ તે સ્વીકારીને જિલ્લારસની કે વિષયની લોલુપતાથી દુર્દમ ઇંદ્રિયોના દોષથી હમેશાં યથાર્થ માર્ગનો નાશ ક્રે છે અને ઉન્માર્ગનો ફેલાવો કરે છે. તે કાળે તે સર્વે તીર્થના પ્રવચનની આશાતના સુધીના પાપો ક્રે છે.
[૮૫] ભગવન ! અનંતાળે ક્યા દશ અચ્છેરા થશે ? હે ગૌતમ ! તે કાળે આ દશ અચ્છેરા થશે. (૧) તીર્થક્રને ઉપસર્ગ, (૨) ગર્ભ પરિવર્તન, (૩) સ્ત્રી તીર્થક્ર, (૪) તીર્થની દેશનામાં અભવ્ય, દીક્ષા ન લેનાર સમુદાયની પર્ષદા એકઠી થવી. (૫) તીર્થના સમવસરણમાં ચંદ્ર-સૂર્યનું મૂળ વિમાને આવવું. (૬) પરસ્પર વાસુદેવનું મળવું, (9) હરિવંશ કુલોત્પત્તિ, (૮) ચમનો ઉત્પાત, (૯) એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ. (૧૦) અસંયતોની પૂજા-સાર,
૮િ૩૬) ભગવદ્ ! જે કોઈ ક્યારેક પ્રમાદ દોષથી પ્રવચનની આશાતના જે તે શું આચાર્યપદ પામી શકે ખરા? ગૌતમ ! જે જોઈ કોઈ પ્રકારે કદાચિત પ્રમાદ દોષથી વારંવાર ક્રોધ, માન, માયા, લોભ કે રાગ-દ્વેષથી ભય-હાસ્યથી, મોહ કે અજ્ઞાનદોષથી પ્રવચનના બીજાકોઈ સ્થાનની આશાતના રે કે ઉલ્લંઘન ક્ટ, અનાચાર, આસામાચારીની પ્રરૂપણા રે, તેની અનુમોદના ક્રે, પ્રવયનની આશાતના રે તે બોધિ પણ ન પામે, પછી આચાર્યપદની વાત જ ક્યાં રહી ?
ભગવન્! શું અભવી કે મિથ્યાષ્ટિ આચાર્યપદ પામે? ગૌતમ ! પામે આ વિષયમાં અંગારકર્દક આદિના દષ્ટાંતો છે. ભગવાન શુિં મિથ્યા દષ્ટિને તેવા પદ પર સ્થાપી શાય? ગોતમ 1 સ્થાપન થાય છે.
ભગવન! આ નક્કી મિટ્યાદષ્ટિ છે, એમ ક્યા ચિલોથી જાણી શકાય ? હે ગૌતમ ! સર્વ સંગથી વિમુક્ત બનવાપૂર્વક જેણે સર્વ સામાયિક ઉચ્ચરેલું હોય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org