SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જોયા. ત્યારે હે ગૌતમ અતિશય સુંદર-મધુર શબ્દોના આલાપપૂર્વક ગચ્છાધિપતિએ હ્યું કે અરે ઉત્તમ કુળ અને નિર્મળ વંશના આભુષણ સમાન અમુક અમુક મહાસત્વવાળા સાધુઓ ! તમે ઉન્માર્ગ પામી રહેલા છે. પંચમહાવતધારી દેહવાળા મહાભાગ્યશાળી સાધુ-સાધ્વી માટે ર૭૦૦૦ ચંડીલ સ્થાનો સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલા છે. મૃતના ઉપયોગવાળાએ તેની વિશુદ્ધિ તપાસવી જોઈએ. તમે શૂન્યાશૂન્ય ચિત્ત અનુપયોગથી કેમ ચાલી રહ્યો છો ? તમારી ઈચ્છાથી તમે ઉપયોગ રાખો. શું તમે આ સૂત્ર અને અર્થ ભૂલી ગયા છો? સર્વ પરમ તત્વોના પરમસારભૂત એવા પ્રકારે આ સૂત્ર છે. એક સાધુ એળે ઇંદ્રિયવાળા પ્રાણીને પોતાના હાથ રે પગથી કે બીજા પાસે અથવા સળી વગેરે અધિણથી કોઈ પણ પદાર્થભત ઉપક્રણથી સંઘટ્ટો કરે-ક્રાવે-અનુમોદે તેનાથી બાંધેલ ર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે ચંદ્રમાં શેરડી પીલાય તેમ તે ર્મનો ક્ષય થાય. જો ગાઢ પરિણામથી કર્મ બાંધેલ હોય તો પાપ કર્મ બાર વર્ષ સુધી ભોગવે. અગાઢ પણે પમાડે તો ૧૦૦૦ વર્ષ સુધી વેદના ભોગવે ત્યારે તે ક્યે ખપે. ગાઢ પરિતાપનથી ૧૦,૦૦૦ વર્ષ સુધી એ પ્રમાણે આગાઢ કલામણાથી દશાલામાં વર્ષે તે પાપકર્મ ખપાવે અને ઉપદ્રવ ૐ તો ક્રોડ વર્ષ દુઃખ ભોગવીને પાપર્મ ક્ષય કરી શાય. એ જ પ્રમાણે ત્રણ ઈન્દ્રિયવાળા જીવને વિશે પણ સમજી લેવું. તમે આટલું સમજનારા છો માટે તેમાં મુંઝાવ નહીં. ગૌતમ ! એ રીતે સૂબાનુસાર આચાર્ય સારણા કરવા છતાં મહાપાપકર્મ, ચાલવાની વ્યાકુળતામાં એક સાથે બધાં ઉતાવળ જતા, તેઓ સર્વ પાપર્મથી મુક્ત જનાર એવા આચાર્યના વયનને બહુમાન્ય જતા નથી. ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય સમજી ગયા કે નક્કી આ મારા શિષ્યો ઉન્માર્ગે પ્રયાણ ક્રી રહેલા છે. સર્વ પ્રકારે પાપમતિવાળા આ દુષ્ટ શિષ્યો છે, તો મારે પાછળ શા માટે ખુશામતના શબ્દો બોલતા બોલતા તેમનું અનુસરણ ક્રવું? અથવા આ જળ વગરની સુક્કી નદીના પ્રવાહમાં વહેવા જેવું છે. આ સર્વે ભલે દેશ દ્વારોથી જતાં રહે. હું હવે મારા આત્મહિતની સાધના ક્રશી. આગમોક્ત તપ અને સંયમના અનુષ્ઠાને વડે પોતાના પરાક્રમથી જ આ ભવ સમુદ્ર તરી શકાશે. તીર્થક્ત ભગવંતોની આ જ આજ્ઞા છે કે [૮] આત્મહિત કરવું અને જો શકાય હોય તો પરહિત પણ ક્રવું. આત્મહિત અને પરહિત બે ક્રવાનો વખત આવે તો પહેલાં આત્મહિત જ સાધવું જોઈએ. ૮િ૧૮] બીજું આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેમનું જ શ્રેય જશે અને જો નહીં આચરશે તો તેમને જ અનુત્તર દુર્ગતિમાં ગમન કરવું પડશે. છતાં પણ મને ગયછે સમર્પણ થયેલો છે તો મારે તેમને સાચો માર્ગ જ ફ્લેવા જોઈએ. વળી તીર્થક્ત ભગવંતે આચાર્યના ૩૬ ગણો નિયેલા છે. તેમાંથી હું એનું અતિક્રમણ ક્રીશ નહીં. મારાપ્રાણનો ભોગે પણ હું આરાધક થઈશ. આગમમાં કહ્યું છે કે આલોક કે પરલોક વિરુદ્ધ કાર્ય ન આચરવું. ન આચરાવવું કે આચરનારને અનુમોદવા નહીં. આવા ગુણયુક્ત તીર્થક્રનું ધેલું પણ તેઓ જતાં નથી તો હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy