SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧0૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ માર્ગ સમાન દશવૈકલિક નામે શ્રતસ્કંધની નિયુહણા ધશે. ભગવદ્ ! કોના નિમિત્તે? ગૌતમ ! મનકના નિમિત્તે. એમ માનીને કે આ મનક પરંપરાએ અલ્પાળમાં મોટા ઘોર દુ:ખ સમુદ્ધ સમાન આ ચારે ગતિ સ્વરૂપ સંસારસાગરથી કેવી રીતે પાર પામે ? તે તે પણ સર્વાના ઉપદેશ વિના તો ન જ બની શકે. સર્વજ્ઞનો ઉપદેશ અપાર અને દુરવગાહ છે. અનંતગમ પર્યાયિોથી યુક્ત છે. અ૫ક્રળમાં આ સર્વજ્ઞોક્ત સર્વ શાસ્ત્રોમાં અવગાહી ન શકાય. તેથી હે ગીતમાં અતિશય જ્ઞાની શય્યભવ એમ ચિંતવશે કે જ્ઞાનસમુદ્રનો છેડો નથી. કાળ અા છે, વિપ્નો અનેક છે, માટે જે સારભૂત હોય છે જેમ ખારા જળમાંથી હંસ મીઠું જળ ગ્રહણ વે, તેમ ગ્રહણ ક્રી લેવું. [૮૧૪] તેમણે આ ભવ્યાત્મા મનને તત્વનું પરિફાન થાય એમ જાણીને પૂર્વોમાંથી દશવૈકલિક શ્રુતસ્કંધની નિસ્પૃહણા ક્રી. તે સમયે જ્યારે બાર અંગો અને તેના અર્થો વિચ્છેદ પામશે ત્યારે દુષ્યમ કાળના છેડા સુધી - દુuસહ અણગાર સુધી દશક્રલિક સૂત્ર અને અર્થથી ભણાશે. ગૌતમ ! આ દુસહ અણગાર પણ તે દશવૈકલિન્ના અર્થાનુસાર પ્રવર્તશે, પણ સ્વમતિ કલ્પનાથી સ્વછંદ આચામાં નહીં પ્રવર્તે. તે દશવૈકલિક શ્રુતસ્કંધમાં તે કાળે બાર અંગો રૂપ શ્રત સ્કંધની પ્રતિષ્ઠા થશે. ગૌતમ ! આ કારણે એમ કહેવાય છે કે ગમે તે રીતે ગચ્છ વ્યવસ્થા મર્યાદાનું ઉલ્લંઘન ન ક્રવું. [૮૧૫] ભગવદ્ ! અત્યંત વિશુદ્ધ પરિણામવાળા ગણનાયકની પણ ક્રેઈ તેવા દુશીલ શિષ્ય સ્વછંદતાથી, ગારવના કારણે કે જાતિમદ આદિથી જો આજ્ઞા ન માને કે ઉલ્લંઘે તો શું તે આરાધક થાય ખરો ? ગૌતમ ! શત્રુ અને મિત્રમાં સમભાવી, ગુરુ ગુણોમાં વર્તતા નિરંતર સૂત્ર અનુસાર વિશુદ્ધાશયથી વિચરતા હોય તેવા ગણીની આજ્ઞાનું ઉલ્લંઘનાર ૪૯૯ સાધુની જેમ અનારાધક થાય. [૧] ભગવન 1 તે ૪૯૯ સાધુઓ જેઓએ તેવા ગુણયુક્ત મહાનુભાવ ગુરુ મહારાજની આજ્ઞા ઉલ્લંઘીને આરાધકન બન્યા તે કોણ હતા? ગૌતમ ! ઋષભદેવ પરમાત્માની પૂર્વે થયેલ વેવીશ ચોવીશી અને તે ચોવીશીના ચોવીસમાં તીર્થક્ર નિર્માણ પામ્યા પછી લોક બળ ગુણથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી પર્વતનો ચૂરો ક્રનાર મહાયશા, મહાસત્વી, મહાનુભાવ, સવારમાં નામ ગ્રહણ ક્રવા યોગ્ય વઈર નામે ગચ્છાધિપતિ થયા. સાળી સિવાય તેમને પo૦ શિષ્યોના પરિવારવાળો ગ૭ હતો. સાધ્વી સહિત ગણોનો ૦૦૦ની સંખ્યા હતી. ગૌતમ ! તે સાધ્વીઓ અત્યંત પરલોક ભીરુ હતા. અત્યંત નિર્મળ અંત:ક્રણવાળા, ક્ષમાધારી, વિનયવતી, ઇન્દ્રિયદમી, મમત્વ રહિત, અતિ અભ્યાસ, સ્વશરીરથી પણ અધિક છ નયના જીવો ઉપર વાત્સલ્ય ક્રનારી, ભગવતે શાસ્ત્રમાં હેલા એવા અતિશય ઘોર વીર તપશ્ચરણનું સેવન ક્રી શોષવેલા શરીરવાળી, તીર્થક્ટ પ્રરૂપિત ક્યાં મુજબ અદીનમનથી, માયા, મદ, અહંકાર, મમત્વ, રતિ, હાસ્ય, ક્રીડા, કંદર્પ, નાથવાદ સહિત, સ્વાભીભાવ આદિ દોષોથી મુક્ત તે સાધ્વીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy