SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ offe ૧૬૫ કે પ્રવેશ વો ન સ્પે. કદાચ કોઈ હાથ પકડીને બહાર બઢવા ઇચ્છે તો પણ તેનો સહારો લઇને ન નીકળે પણ જયણાપૂર્વક ચાલતા ચાલતા નીકળે. માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુના પગમાં વંટો, કંરો, ક્ષય થતી જાય ત્યારે કે આંખમાં મચ્છર વગેરે સૂક્ષ્મ જંતુ બીજ રજ આદિ પડે તો તેને મઢવાનું કે શુદ્ધિ ક્રવાનું ન સ્પે. પરંતુ જયણાપૂર્વક રહેવાનું સ્પે. માસિકી ભિક્ષુ પ્રતિમા ધારક સાધુને વિહાર જતા જતાં જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ રહેવું પડે. તે સ્થાન જલ હોય કે સ્થળ, દુર્ગમ માર્ગ હોય કે નિમાર્ગ, પર્વત હોય કે વિષમ માર્ગ, ખાડા હોય કે ગુફા, આખી રાત્રિ ત્યાં જ રહેવું પડે. એક ડગલું પણ આગળ ન જવાય. પરંતુ સવારે સૂર્યની પ્રભા પ્રગટ થાય ત્યાંથી સૂર્ય ઝળહળતો થાય પછી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ કે ઉત્તર દિશા અભિમુખ થઈ જયણા પૂર્વક ગમન ક્રવું પે. માસિકી ભિક્ષ પ્રતિમાઘારક સાઘને સચિત્ત પૃથ્વી ઉપર નિદ્રા લેવી કે સવું ભે નહીં. વળી ભગવંતે તેને કર્મબંધનું કારણ હેલું છે તે સાધુ એ રીતે નિદ્રા લેતા કે સુતા પોતાના હાતેથી ભૂમિને સ્પર્શ ક્રે તો જીવહિંસા થશે. ઉક્ત કરણે તેણે સૂત્રોક્ત વિધિથી નિર્દોષ સ્થાને રહેવું કે વિહાર કરવો જોઈએ. જો તે સાધુને મળ-મૂત્રની શંક થાય તો રોકવી જોઈએ નહીં, પણ પૂર્વે પડિલેબણ રેલી ભૂમિ ઉપર ત્યાગ કરવો જોઈએ. ફરી તે જ ઉપાશ્રયે આવી સૂત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ, સ્થાને રહેવું. માસિકી ભિક્ષુ પ્રતિમાધારક સાધુને સચિત્ત રજવાળા શરીર સાથે ગૃહસ્થો કે ગૃહ સમુદાયમાં ભોજન-પાન માટે જવું કે ત્યાંથી નીકળવું ભતું નથી. જે તેને જાણ થઈ જાય કે શરીર ઉપર સચિત્ત રજ પસીનાથી અચિત્ત થઈ ગઈ છે, તો તેને ત્યાં પ્રવેશ કે નિર્ગમન #વું કહ્યું છે. વળી તેને અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી હાથ, પગ, દાંત, આંખ કે મોટું એકવાર કે વારંવાર ધોવું ૫તું નથી. ફક્ત મળમૂત્રાદિથી લેવાયેલ શરીર કે ભોજન પાનથી લિપ્ત એવા હાથ અને મુખ જ ધોવા ક્ષે છે. માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુની સામે વિહાર કરતી વેળાએ ઘોડો, હાથી, બળદ, ભેંસ, સિંહ, વાઘ, ભેડીયા, રીંછ, ચિત્તો, તેંક, પરાશર, કુતરો, બિલાડો, સાપ, શશલું, શીયાળ, ભુંડ આદિ હિંસક પ્રાણી આવી જાય તો - ભયભીત થઇને એક ડગલું પણ પાછળ ખસવું ન કહ્યું. એ જ રીતે ઠંડી લાગે તો તડામાં જવું કે ગરમી લાગે તો છાયામાં જવું પણ તેને ન જે. પણ જ્યાં જેવી ઠંડી કે ગરમી હોય તેને સહન ક્રવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009072
Book TitleAgam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 37, & agam_dashashrutaskandh
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy