SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૩૩ થી ૨૪૦ – અડધા સાગરોપમથી ઓછા આયુષ્યવાળા દેવો અવધિજ્ઞાનથી તીર્જી સંખ્યાત યોજન જુએ છે. – તેનાથી અધિક ૨૫-સાગરોપમવાળાનો અવધિ વિષય પણ જઘન્યથી સંખ્યાત યોજન હોય છે. તેનાથી વધારે આયુવાળા દેવો તીર્જી અસંખ્યાત દ્વીપસમુદ્ર સુધી અવધિથી જાણે છે. ઉપર બધાં દેવો પોતાના કાની ઉંચાઈ સુધી જાણે. અબાહ્ય અર્થાત્ જન્મથી અવધિજ્ઞાનવાળા નાસ્કી, દેવ, તીર્થંકર પૂર્ણપણે જુએ છે, બાકીના દેશથી જુએ છે. મેં સંક્ષેપથી આ અવધિજ્ઞાન વિષયક વર્ણન કર્યુ. હવે વિમાનોના રંગ, જાડાઈ, ઉંચાઈ કહીશ. • ગાથા-૨૪૧ થી ૨૪૬ : સૌધર્મ અને ઈશાન કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૭૦૦ યોજન છે અને તે રત્નથી ચિત્રિત જેવી છે. ૨૪૭ સુંદર મણિની વેદિકાથી યુક્ત, ધૈર્યમણિના પોથી યુક્ત, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત એવાં ઘણાં પ્રાસાદ આ વિમાનમાં હોય છે. - જેમાં દેવતા વસે છે. તેમાં જે કૃષ્ણ વિમાન છે, તે સ્વભાવથી અંજન ધાતુસમ તથા મેઘ અને કાકસમાન વર્ણવાળા છે. જે લીલારંગના વિમાન છે, તે સ્વભાવથી મેદક ધાતુ સમાન અને મોરની ગર્દન જેવા વર્ણવાળા છે. જે દીપશિખાના રંગવાળા વિમાન છે, તે જાસુદ પુષ્પ, સૂર્ય જેવા અને હિગુંલ ધાતુ સમાન વર્ણવાળા છે. જે કોરંટક ધાતુ સમાન રંગવાળા વિમાન છે, તે ખિલેલા ફૂલની કણિકા સમાન અને હળદર જેવા પીળા રંગના છે. • ગાથા-૨૪૭ થી ૨૫૨ : આ દેવતાઓ કદી ન મુરઝાનારી માળાવાળા, નિર્મળ દેહવાળા, સુગંધિત શ્વારાવાળા, અવ્યવસ્થિત વયવાળા, સ્વયં પ્રકાશમાન અને અનિમેષ આંખવાળા હોય છે. બધાં દેવતા ૭૨-કળામાં પંડિત હોય છે. ભવસંક્રમણની પ્રક્રિયામાં તેનો પ્રતિપાત હોય છે. શુભ કર્મોના ઉદયવાળા તે દેવોનું શરીર સ્વાભાવિક તો આભુષણ રહિત હોય છે, પણ પોતાની ઈચ્છાનુસાર વિવેલા આભુષણને દેવો ધારણ કરે છે. સૌધર્મ-ઈશાનના આ દેવો માહાત્મ્ય, વર્ણ, અવગાહના, પરિમાણ અને આયુ મર્યાદા આદિ સ્થિતિ વિશેષમાં હંમેશાં ગોળ સરસવની સમાન એકરૂપ હોય છે. આ કલ્પોમાં લીલા, પીળા, લાલ, શ્વેત અને કાળા વર્ણના ૫૦૦ ઉંચા પ્રાસાદ શોભે છે. દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ત્યાં સેંકડો મણીઓથી જડિત ઘણાં પ્રકારના આસન, શય્યા, સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમય માળા અને વિવિધ પ્રકારના અલંકારો રહેલાં હોય છે. • ગાથા-૨૫૩ થી ૨૫૫ : ૨૪૮ સાવકુમાર અને માહેન્દ્રકલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૬૦૦ યોજન છે, તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે. ત્યાં લીલા, પીળા, લાલ, સફેદ, કાળા એવા ૬૦૦ ઉંચા પ્રાસાદો શોભી રહેલા કહ્યા છે. ત્યાં સેંકડો મણીઓથી જડિત, ઘણાં પ્રકારના આસન-શય્યા-સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમયવાળા, અલંકાર હોય છે. • ગાથા-૨૫૬ થી ૨૫૮ : બ્રહ્મ અને લાંતક કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૫૦૦ યોજન હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણિની વેદિકાથી યુક્ત, ધૈર્ય મણિઓની રૂપિકા યુક્ત, રત્નમયમાલા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદો આ વિમાનોમાં હોય છે. ત્યાં લાલ, પીળા અને સફેદ વર્ણવાળા ૭૦૦ ઉંચા પ્રાસાદો શોભાયમાન રહેલાં છે. • ગાથા-૨૫૯ થી ૨૬૨ - શુક્ર અને સહસાર કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૪૦૦ યોજન હોય છે, તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણી અને વેદિકા, વૈસૂર્ય મણિની સ્તુકિા, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત એવાં ઘણાં પ્રકારના પ્રાસાદ ઉક્ત બંને કલ્પના વિમાનોમાં હોય છે. પીળા અને સફેદ વર્ણવાળા ૮૦૦ ઉંચા પ્રાસાદો છે. ત્યાં સેંકડો મણિથી જડિત ઘણાં પ્રકારના આસન, શય્યા, સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમયમાળા અને અલંકાર હોય છે. • ગાથા-૨૬૨ થી ૨૬૫ : આણત-પ્રાણત કલ્પમાં પૃથ્વી જાડાઈ-૨૩૦૦ યોજનોની હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણિઓની વેદિકા, ધૈર્ય મણિની રૂપિકા, રત્નમય માળા, અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ઉક્ત બંને કલ્પના વિમાનોમાં હોય છે. શંખ અને હિમ જેવા શુક્લ વર્ણના ૯૦૦ ઉંચા પ્રાસાદો છે. • ગાથા-૨૬૬ થી ૨૬૮ : ત્રૈવેયક વિમાનોમાં ૨૨૦૦ યોજન પૃથ્વીની જાડાઈ હોય છે અને તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણિની વેદિકા, ધૈર્ય મણિની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદો ઉક્ત ત્રૈવેયક વિમાનોમાં ત્યાં રહેલાં હોય છે. શંખ અને હિમ જેવા શ્વેત વસ્ત્રવાળા એવા ૧૦૦૦ ઉંચા પ્રાસાદો તે શોભિત છે, તેમ કહેલ છે.
SR No.009066
Book TitleAgam 32 Devendrastava Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 32, & agam_devendrastava
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy