SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૬૨ થી ૨૬૫ ૨૪૯ ૨૫o દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ • ગાથા-૨૬૬ થી ૨૭ર : પાંચ અનુત્તર વિમાનોમાં ૨૧૦૦ યોજન પૃથ્વીની જાડાઈ હોય છે, તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે. સુંદર મણિની વેદિકા, વૈડૂર્ય મણિની તૃપિકા, રનમય માળા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં છે. શંખ અને હિમના જેવા શ્વેત વર્ણવાળા ૧૧૦૦ ઉંચા પ્રાસાદ આ અનુત્તર વિમાને શોભે છે. સેંકડો મણિથી જડિત, ઘણાં પ્રકારના આસન, શય્યા અને સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રનમયમાળા, અલંકાર ત્યાં હોય છે. • ગાથા-૨૭૩ થી ૨૭૮ - સવથિ સિદ્ધ વિમાનના સૌથી ઉંચા સ્તુપને અંતે બાર યોજન ઉપર ઈષતુ પ્રાગભારા પૃથ્વી આવેલી છે. તે પૃથ્વી નિર્મળ જળકળ, હિમ, ગાયનું દૂધ, સમુદ્રના ફીણ જેવી ઉજ્જવળ વર્ણવાળી છે. તથા ઉલટા કરાયેલા છમના આકારે સ્થિત છે. તે ૪૫-લાખ યોજન લાંબી-પહોળી છે. - તેના કરતાં ત્રણ ગણાંથી અધિક તેની પરિધિ છે. જેનું માપ - ૧, ૪૨, ૩૦,૨૪૯ યોજન છે. – તે પૃથ્વી મધ્ય ભાગે આઠ યોજન જાડી છે. - ઘટતાં ઘટતાં માખીની પાંખ જેવી પાતળી થઈ જાય છે. - તે શંખ, શ્વેત રત્ન, અર્જુન સુવર્ણ સમાન વર્ણવાળી તથા ઉલટા છગના આકારવાળી છે. • ગાથા-૨૭૯,૨૮૦ - સિદ્ધશિલાની ઉપર એક યોજન પચી લોકનો અંત આવે. તે એક યોજનના ઉપરના ૧૬માં ભાગમાં સિદ્ધોનું સ્થાન અવસ્થિત છે. [તેમ તું જાણ.] ત્યાં તે સિદ્ધ ભગવંતો નિશ્ચયથી વેદનારહિત, મમતારહિત, આસક્તિ રહિત, શરીર રહિત એવા ધનીભૂત આત્મપ્રદેશોથી નિર્મિત આકારવાળા (જો કે નિરાકાર જ હોય હોય છે. • ગાથા-૨૮૧ થી ૨૯૧ :(૧) સિદ્ધો ક્યાં અટકે છે ? (૨) સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત થાય છે ? (3) તેઓ પોતાના શરીરનો ક્યાં ત્યાગ કરે છે ? (૪) તેઓ ક્યાં જઈને સિદ્ધ થાય છે ? - શરીર છોડતી વખતે અંતિમ સમયે જે સંસ્થાન હોય, તે સંસ્થાને જ આત્મપ્રદેશો ધનીભૂત થઈ તે સિદ્ધાવસ્થા પામે છે. - અંતિમ ભવે શરીરનું જે દીર્ધ કે દૂરવ પ્રમાણ હોય છે, તેનો એક તૃતિયાંશ ભાગ ઘટી જઈને સિદ્ધાવગાહના થાય છે. - સિદ્ધોની ઉત્કૃષ્ટાવગાહના સાધિક ૩૩૩ ધનુષ જાણ. - સિદ્ધોની મધ્યમાવગાહના ચાર હાય પૂર્ણ ઉપર બે તૃતિયાંશ હાથ પ્રમાણ કહી છે. [નોંધ :- અહીં રની શબ્દ છે, રસ્તી એટલે એક હાથ પ્રમાણ, જેને કોશમાં દોઢ ફૂટ પ્રમાણ કહી છે.] - જઘન્યાવગાહનાથી સિદ્ધો એક હાથ પ્રમાણ અને આઠ અંગુલથી કંઈક અધિક કહેવાયેલા છે. - અંતિમ ભવના શરીરના ત્રણ ભાગમાંથી એક ભાગ ન્યૂન થતુ બે તૃતીયાંશ પ્રમાણ સિદ્ધાવગાહના કહી છે. – જરા અને મરણથી વિમુક્ત અનંત સિદ્ધો હોય છે. - તે બધાં લોકાંતને સ્પર્શતા એકબીજાને અવગાહે છે. - અશરીર સઘન આત્મ પ્રદેશવાળા, અનાકાર દર્શન અને સાકાર જ્ઞાનમાં અપ્રમત્ત એ સિદ્ધોનું લક્ષણ છે. - સિદ્ધ આત્મા પોતાના આત્મપ્રદેશોથી અનંત સિદ્ધોને સ્પર્શે છે. [એ સ્પર્શના દ્વાર જાણ.] દેશ-પ્રદેશોથી સિદ્ધો પણ અસંખ્યાતગણાં છે. • ગાથા-૨૯૨,૨૯૩ : કેવળ જ્ઞાનમાં ઉપયોગવાળા સિદ્ધાં બધાં દ્રવ્યોના દરેક ગુણ અને દરેક પર્યાયોને જાણે છે. અનંત કેવળ દૃષ્ટિથી બધું જ જુએ છે. જ્ઞાન અને દર્શન એ બંને ઉપયોગમાં બધાં કેવળીને એક સમયમાં એક ઉપયોગ હોય, બંને ઉપયોગ સાથે ન હોય. • ગાથા-૨૯૪ થી ૩૦૨ : દેવગણના સમૂના સમસ્ત કાળના સમસ્ત સુખોને અનંતગણાં કસ્વામાં આવે. ત્યારપછી - તે સંખ્યાને અનંતવથી વગત કરાય. - તો પણ મુક્તિના સુખની તુલના ન થઈ શકે. મુક્તિ પ્રાપ્ત સિદ્ધોને જે અવ્યાબાધ સુખ છે, તે સુખ મનુષ્યને કે સમસ્ત દેવતાને પણ નથી. સિદ્ધના સમસ્ત સુખ શશિને જો :(૧) સમસ્તકાળથી ગુણિત કરવામાં આવે (૨) ત્યારપછી તેનું અનંત વર્ગમૂળ કરવામાં આવે (3) તો પણ પ્રાપ્ત સંખ્યા સમસ્ત આકાશમાં ન સમાય. - જેવી રીતે કોઈ પ્લેચ્છ અનેક પ્રકારના નગરના ગુણોને જાણતો હોય તો પણ પોતાની ભાષામાં પ્રાપ્ત ઉપમાઓને કારણે તે ગુણો કોઈને કહી શકતો નથી.
SR No.009066
Book TitleAgam 32 Devendrastava Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 32, & agam_devendrastava
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy