________________
ગાથા-૭ થી ૧૦
૨૩૩
૨૩૪
દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
છે ? (૪) ભવન-પરિગ્રહ કેટલો છે ?
(૫) કોના વિમાન કેટલા છે ? (૬) કેટલા ભવન છે ? (૭) કેટલા નગર છે ? (૮) ત્યાંની પૃથ્વીની પહોળાઈ-ઉંચાઈ કેવી છે ?
(૯) તે વિમાનોનો વર્ણ કેવો છે ? (૧૦) આહારનો જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટકાળ કેટલો છે ?
(૧૧) શ્વાસોચ્છવાસ, અવધિજ્ઞાન કેવા છે ? તે કહો. • ગાથા-૧૧ -
જેણે વિનય અને ઉપચાર દૂર કર્યા છે, હાસ્યરસને સમાપ્ત કર્યો છે, તેવી પ્રિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેના પતિ કહે છે - હે સુતનું ! સાંભળો.
• ગાથા-૧૨,૧૩ :
પ્રશ્નના ઉત્તરરૂપ શ્રુતજ્ઞાનરૂપી સાગરથી જે વાત ઉપલબ્ધ છે, તેમાં ઈન્દ્રોની નામાવલીને સાંભળો.
અને વીર દ્વારા પ્રણામ કરાયેલ તે જ્ઞાનરૂપી રત્ન કે જે તારાગણની પંક્તિ જેમ શુદ્ધ છે, તેને પ્રસન્ન ચિત્તે સાંભળો.
• ગાથા-૧૪ થી ૧૯ :હે વિકસિત નયનોવાળી સુંદરી !
રત્નપ્રભા પૃથ્વીમાં રહેવાવાળા, તેજલેશ્યાગી સહિત વીશ ભવનપતિ દેવોના નામ મારી પાસે શ્રવણ કરો.
(૧) અસુરોના બે ભવનપતિ ઈન્દ્રો - અમરેન્દ્ર, અસુરેન્દ્ર (૨) નાગકુમારના બે ઈન્દ્રો - ધરણ, ભૂતાનંદ. (3) સુવર્ણકુમારના બે ઈન્દ્રો - વેણુદેવ, વેણુદાલી. (૪) ઉદધિકુમારના બે ઈન્દ્રો - જલકાંત, જલપભ. (૫) દ્વીપકુમારના બે ઈન્દ્રો - પૂર્ણ, વશિષ્ટ. (૬) દિશાકુમારના બે ઈન્દ્રો - અમિતગતિ અને અમિતવાહન. (૩) વાયુકમારના બે ઈન્દ્રો - વેલંબ, પ્રભંજન (૮) સ્વનિતકુમારના બે ઈન્દ્રો - ઘોષ, મહાઘોષ. (૯) વિદુકુમારના બે ઈન્દ્રો - હરિકાંત, હરિસ્સહ. (૧૦) અગ્નિકુમારના બે ઈન્દ્રો - અગ્નિશિખ, અગ્નિમાનવ. • ગાથા-૨૦ થી ૨૭ :
વિકસિત યશ અને વિકસિત નયનોવાળી ! સુખપૂર્વક ભવનમાં બેસેલી સુંદરી ! મેં જે આ ૨૦-ઈન્દ્રો કહ્યા, તેમનો ભવન પરિગ્રહ સાંભળ!
- તે ચમરેન્દ્ર, વૈરોચન, અસુરેન્દ્ર મહાનુભવોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૬૪ લાખ છે,
- તે ભૂાનંદ અને ધરણ નામના બંને નાગકુમાર ઈન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની
સંખ્યા ૮૪-લાખ છે.
- હે સુંદરી ! વેમુદેવ અને વેણુદાલી એ બંને સુવર્ણ ઈન્દ્રોના ભવનોની સંખ્યા-૩ર લાખની છે. આ રીતે અસુરેન્દ્રાદિના ભવનોની સંખ્યા આ પ્રમાણે - (૧) અસુરકુમારેન્દ્રની ભવનસંખ્યા-૬૪ લાખ, (૨) નાગકુમારેન્દ્રની ભવન સંખ્યા-૮૪ લાખ, (3) સુવર્ણકુમારેન્દ્રની ભવન સંખ્યા-૩ર લાખ, (૪) વાયુકુમારેન્દ્રની ભવન સંખ્યા-૯૬ લાખ,
(૫થી૧૦) દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિદુકુમાર, અનિતકુમાર અને અગ્નિકુમાર આ છ એ યુગલોની ભવન સંખ્યા પ્રત્યેકની ૭૬ લાખ • 9૬ લાખ છે.
હે લીલાસ્થિત સુંદરી ! હવે આ ઈન્દ્રોની સ્થિતિ અર્થાતુ આયુષ્ય વિશેષને ક્રમથી સાંભળ -
• ગાથા-૨૮ થી ૩૦ :હે સુંદરી ! (૧) ચમરેન્દ્રની ઉત્કૃષ્ટ આયુ સ્થિત એક સાગરોપમ. (૨) બલિ અને (3) વૈરોયન ઈન્દ્રની પણ એ જ છે.
(૪) ચમરેન્દ્ર સિવાયના બાકીના દક્ષિણ દિશાના ઈન્દ્રોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ દોઢ પલ્યોપમ છે.
(૫) બલિ સિવાયના બાકીના ઉત્તર દિશાના ઈન્દ્રો છે, તેની આયુસ્થિતિ કંઈક ન્યૂન બે પલ્યોપમ છે.
• ગાથા-૩૧ થી ૩૮ :આ બધું આયુ-સ્થિતિનું વિવરણ છે.
હવે તું ઉત્તમ ભવનવાસી દેવોના સુંદર નગરોનું, સુંદરી ! માહામ્ય છે તે સાંભળ.
સંપૂર્ણ રત્નપ્રભા પૃથ્વીમાં ૧૧,૦૦૦ યોજન છે. - તેમાં ૧૦૦૦ યોજન જતાં ભવનપતિના નગર છે. - આ (નગર) ભવન બધાં અંદરથી ચતુકોણ અને બહારથી ગોળાકાર છે.
- તે સ્વાભાવિક રીતે અત્યંત સુંદર, રમણીય, નિર્મળ અને વજનના બનેલા છે.
- ભવન નગરોના પ્રાકાર સોનાના બનેલા છે.
- શ્રેષ્ઠ કમળની પાખંડી ઉપર રહેલા આ ભવનો વિવિધ મણીઓથી શોભિત અને સ્વભાવથી મનોહારી છે.
- લાંબા સમય સુધી ન મુઝાનારી પુષ્પમાળા અને ચંદનથી બનાવેલા દરવાજાથી યુક્ત છે.
- તે નગરોના ઉપરના ભાગ પતાકાથી શોભે છે તેથી તે શ્રેષ્ઠ નગર રમણીય છે.