SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૦ થી ૧૨ ૧૬૯ ૧૩૦ સંતારકપ્રકીર્ણકસબ-સટીક અનુવાદ • ગાથા-૧૦૦ થી ૧૦૨ - આ શરીર જીવથી અન્ય છે, જીવ શરીરથી અન્ય છે. એવી નિયમતિથી દુઃખ અને ક્લેશના મૂળ ઉત્પાદન સમાન શરીરના મમત્વને છેદી નાંખ... તેથી જે ઉત્તમ સ્થાનને ઈચ્છતો હો તો હે સુવિહિત! શરીર આદિ સંપૂર્ણ અભ્યતર અને બાહા મમત્વને છેદી નાખ... જગત આધાર રૂપ સમસ્ત સંઘ માસ સઘળાં અપરાધોને ખમો, હું પણ શુદ્ધ થઈને ગુણોના સંઘાતરૂપ સંઘને માનું છું. • વિવેચન-૧૦૦ થી ૧૦૨ : ત્રણે ગાયા સ્પષ્ટ છે. વિશેષથી ફરી ક્ષપક-શ્રમણ કહે છે - મારા બધાં પણ ઈષ્ટ-અનિષ્ટને ખમો, હું પણ ગુણસમૂહ યુક્ત સંઘને ખમાવું છું. • ગાથા-૧૦૩ થી ૧૦૪ : આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણને મેં જે કોઈ કષાય કરાવેલ હોય, તેને હું વિવિધ નમાવું છું. મસ્તકે અંજલી કરીને પૂજ્ય એવા શ્રમણ સંઘને સર્વ અપરાધો માટે ખમાવીને, હું પણ બધાંને ખમું છું ભાવથી ધર્મમાં સ્થાપિત ચિત્તવાળો હું સર્વ જીવાશિને સર્વ અપરાધો માટે ખમાવીને, હું પણ બધાંને ખમું છું. • વિવેચન-૧૦૩ થી ૧૦૪ - [અહીં ૧૦૩ થી ૧૦૪ એટલા માટે લખ્યું કે અહીં ગાથા કણ છે, પણ ભુલથી ૧03નો ક્રમાંક બે વખત નોંધાયેલ છે.] ત્રણે ગાથાઓ સ્પષ્ટ છે. • ગાથા-૧૦૫,૧૦૬ - આ રીતે અતિચારોને ખમીને, અનુત્તર તપ-સમાધિએ આરૂઢ, ઘણાં પ્રકારે બાધા કરનાર કર્મોને ખપાવતો વિચરે છે... અસંખ્યય લાખ કોટિ ભવોની પરંપરા દ્વારા જે ગાઢ કર્મ બાંધેલ હોય, તે સવન સંથારે આરૂઢ થયેલો એક સમયમાં ખપાવે છે. • વિવેચન-૧૦૫,૧૦૬ - આ રીતે પૂર્વોક્ત પ્રકારે અતિયાર ખમાવ્યા. જે અશુભ કર્મ અસંખ્યય લાખ કોટિ ભવથી બાંધ્યા તે એક સમયે ખપાવે છે. • ગાથા-૧૦૩ થી ૧૦૯ : આ અવસરે સંથારા આરૂઢને કદાચ વિનકારી વેદના ઉદયમાં આવે તો તેને શમાવવા માટે નિયમિક આચાર્યમાં હિતશિક્ષા આપે છે... આત્મામાં આરાધનાનો વિસ્તાર આરોપી પર્વતના ભાગે પાદપોગમ અનશન કરે.. ધૃતિ • સંતોષ, ગુણપણે બદ્ધ કક્ષા. - ૪ - સુકોશલાદિ માફક ઉત્તમાનિ સાધે. • ગાથા-૧૧૦,૧૧૧ - વીર અને સ્વસ્થ મનોવૃત્તિવાળ અણગારે જયારે સહાય કરનારા છે, ત્યારે સમાધિ ભાવને શમીને શું આ સંથારાની આરાધનાને પાર ન પામી શકાય? કેમકે જીવ એ શરીરથી અલ્ય છે, શરીર એ જીવથી ભિન્ન છે, તેથી શરીરના મમત્વને છોડી દેનારા સુનિહિતો ધર્મના કારણે શરીરને પણ તજી દે છે. • વિવેચન-૧૧૦,૧૧૧ - વિશેષ ઉપસર્ગ રહિતપમાથી કે તેના અભાવે, સિદ્ધાંતને સાંભળીને અને આd-રૌદ્ર હિત મનવાળાનો વિસ્તાર કેમ ન થાય ? નિતાર થાય જ. ૩૨૪ - ત્યક્ત દેહ. • ગાથા-૧૧૨ થી ૧૧૪ - સંથારે આરૂઢ ક્ષપક પૂર્વકાલિન કર્મોદયથી ઉત્પન્ન વેદના સમભાવે સહીને કર્મ કલંકની વેલડીને મૂળથી હલાવી દે છે. અજ્ઞાની જે કર્મ ઘણાં કોટિ વર્ષોથી અપાવે છે, તેને જ્ઞાની, મણ રીતે ગુપ્ત, શ્વાસમમમાં ખપાવે છે... બહુ ભવોના સંચિત આઠ પ્રકારના કર્મોને તે જ્ઞાની ઉચ્છવાસમાગમાં ખપાવે છે. • વિવેચન-૧૧૨ થી ૧૧૪ - પુરાતન - રોગ, જરાદિ વેદના. પ્રત્યુતપન્ન - ભુખ, તાદિ, કર્મ જ કલંકલ - અશુભ વસ્તુ, તેની સંતતિ - તેને તોડે છે. ઉશ્વાસ મારા કાળથી” એમ જાણવું. આઠ પ્રકારના કર્મોનું મૂળ તે અર્જિત પાપ છે. • ગાથા-૧૧૫ - આ પ્રમાણેના આલંબનથી સુનિહિતો ગુરુજન વડે પરાસ્ત સંથારે ધીરતાથી આરોહી, મરીને તે જ ભવે કે ત્રણ ભવમાં કમરજને ખપાવીને અવશ્ય સિદ્ધ થાય છે. • વિવેચન-૧૧૫ - એ પ્રમાણે મરીને ધીરો, સંતાક અને ગુણથી ગરિષ્ટ તે ભવે કે બીજા ભવે કર્મયજ ક્ષીણ થતાં સિદ્ધ થાય છે. • ગાથા-૧૧૬,૧૧૩ :| ગુપ્તિ, સમિતિથી ગુણા, સંયમ-તપ-નિયમ કરણથી કરેલ મુગટ, સમ્યફ જ્ઞાન-દર્શન કરનથી મહાઈ છે. શ્રી સંઘરૂપ મુગટ દેવ-મનુષ્ય-અસુર સહિત લોકમાં દુલભતર છે, વિશુદ્ધ છે, સુવિશુદ્ધ છે. • વિવેચન-૧૧૬,૧૧૩ - સંઘ, મુગટ સમાન. કેવો ? સંયમ-તપ-નિયમયુક્ત ઈત્યાદિ - x- વૃિત્તિ ઘણી ખંડિત જણાય છે, માટે નોંધી નથી.]. • ગાથા-૧૧૮ થી ૧૨૦ :ગ્રીષ્મમાં અગ્નિથી લાલચોળ લોખંડના તાવડા જેવી કાળી શિલામાં આરૂઢ
SR No.009062
Book TitleAgam 29 Sanstaraka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 29, & agam_sanstarak
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy