SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮૧ થી ૮૪ ૧૬૭ ૧૬૮ સંતાકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ગણિપિટકધર, સમસ્ત કૃતસાગરના પાણ, ધીર, ઋષભસેન નામે આચાર્ય પધાર્યા. તેમને સીંહસેન નામે ગણધર હતા, જે વિવિધ શાસ્ત્રાર્થ રહસ્યના જ્ઞાતા હતા, તેની સાથે રિસ્ટમમી વાદમાં પરાજિત થતાં રોષવાળો થયો. પછી તે અનકંપા વગરના એ સવિહિત અને પ્રશાંત એવા સીંહસેન મુનિને અગ્નિથી સળગાવી દીધા. તે રીતે ત્યાં બળતા હોવા છતાં તેમણે ઉત્તમાને સાધ્યો. વિવેચન-૮૧ થી ૮૪ : અરિટ નામે અમાત્ય, સીંહસેન ગણધર - ગણિપિટક ડ્રાતા, બહુશ્રુત, બહુ પરિવાર, રહસ્યજ્ઞાતા, સુવિહિતોના ઉપાશ્રયમાં અગ્નિ વડે બાળીને આવેલ. • ગાથા-૮૫ - કરદd કુમારને પણ ભલી વૃક્ષના લાકડાની જેમ નિ વડે બાળી નાંખ્યા. બળતણ એવા તેણે ઉત્તમાર્થ સાધ્યો. • વિવેચન-૮૫ - હસ્તિનાપુરે કુરદત્ત નામે શ્રેષ્ઠીપુત્ર હતો. સ્થવિરોની પાસે પ્રવજિત થઈ બહુશ્રુત થયો. ક્યારેક એકલ વિહાર પ્રતિમા અંગીકાર કરી. આ નગરની કંઈક સમીપે પાછલી પોરિસિમાં રહ્યા. ચવરથી ગાયો ચરાવી પછી ગોપાલ પાછો આવતો હતો. બે માર્ગ આવતા તેને સમ્યક રીતે ન જાણતાં, પૂછ્યું ત્યારે મુનિએ ઉત્તર ન આપ્યો. કોઈ એક માર્ગે ગોધન લઈ ગયો. મુનિએ જવાબ ન આપવાથી ક્રોધિત થઈ મસ્તકે પાળ બાંધી, ભીની માટી ભરી અંગારા માથામાં ભરી બાળી નાંખ્યા. • ગાથા-૮૬ - શિલાતિપુત્ર મુનિને કીડીઓએ શરીરને ચાલખી માફક કરી નાંખ્યું. તે રીતે ખવાતા છતાં ઉત્તમાને સાધ્યો. • ગાથા-૮૭ - ગજસુકુમાલ મુનિને હજારો ખીલાથી મઢેલ એવું લીલું ચામડું બાંધી પૃથ્વી ઉપર પછાશ છતાં મરણને સાધ્યું. • વિવેચન-૮૭ : ગજસુકુમાલ નામે શ્રેષ્ઠીપુત્ર, તે પણ કુરુદત્તવત્ * [અહીં કથામાં કંઈક મિશ્રણ થયાંનો સંભવ જણાય છે.) • ગાથા-૮૮ - કંખલી ગોશાળ વડે અરહંતના શિષ્યોને તેજોલેરાથી બાળી નાંખ્યા, તે રીતે બળવા છતાં ઉત્તમાથી સાધ્યો. • વિવેચન-૮૮ - મંખલી શબ્દથી ગોશાલકને જાણવો. ભગવંતના શિષ્યો - તે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર હતા. તેજલેશ્યા છોડીને સમીપ આવતાં બાળી નાંખેલા. • ગાથા-૮૯,૯૦ - ત્રણ ગુતિથી ગુપ્ત, જ્ઞ પરિજ્ઞાથી જાણી, જાવજીવ માટે સર્વ આહારને સંધ સમુદાયની મદવે ગરના આદેશથી સાકાર ભાગ કરે... અથવા સમાધિના હેતુથી તે પાનક આહાર કરે. પછીથી તે મુનિ ઉચિત કાળે પાનકને પણ વોસિરાવી દે • વિવેચન-૮૯,૦ - પરિજ્ઞા વડે જાણે છે, પ્રત્યાખ્યાન પરિજ્ઞાચી ત્યાગ કરે છે. શું ? સર્વ આહાર. સાગારી અનશન કરે છે. અથવા ત્રણ પ્રકારે આહારનું પચ્ચખાણ કરે, સમાધિને માટે માત્ર એક પાનક આહાર કરે. પછી તેને - પણ છોડે. • ગાથા-૯૧,૨ - શેષ લોકોને સંવેગ થાય તે રીતે ખુમાવતા બોલે કે – પૂર્વે મન, વચન, કાયાથી મેં કરેલ, કરાવેલ કે અનુમોદેલ જે કંઈ સાપરાધ છે, તેને માટે હું સર્વ સંઘને માનું છું. શલ્ય રહિત થયેલો એવો હું આજે બul અપરાધ પદોને અમાનું છું, માતા-પિતા સમાન બધાં જીવો મને ક્ષમા કરો. • વિવેચન-૯૧,૨ : અંજલી જોડીને બોલે છે - મારા સર્વ અપરાધ માટે સર્વ સંઘ મને ક્ષમા કરો. ગુરુ ાપકને અનુશાસિત કરે છે - • ગાથા-૯૩ - - વીરપરષોએ કહેલ, સત્પરોએ આચરેલ અતિ દુર એવા સંથારાને શિલાલે આરૂઢ ધન્યાત્મા ઉત્તમ અતિ સાધે છે. • વિવેચન-૯૩ :ધીર, બીજા વડે આચરવાનું દુકર – • ગાથા-૯૪ થી ૯ - નક અને તિર ગતિમાં, મનુષ્ય કે દેવપણે વસતા જે સુખ-દુ:ખ પ્રાપ્ત થયા તેને અનન્ય મનથી ચિંતન કર... નરકને વિશે તે સાતાની બહુલતાવાળી અને ઉપમરહિત વેદનાઓ શરીર નિમિત્તે ઘણાં પ્રકારે અનંતીવાર ભોગવી. દેવપણા અને મનુષ્યપણામાં પારકાના દાસપણાંને પામીને તે દુઃખ અને પરમકવેશકારી વેદના અનંત વાર અનુભવી છે. તીચગતિમાં પાર ન પામી શકાય તેવી મહાવેદનાઓ ઘણીવાર ભોગવી છે. એ રીતે જન્મ-મરણ રૂપ રેંટમાં અનંતીવાર ભમેલ છે. તે સુનિહિત ! અતીતકાળમાં, અનંતકાળ સુધી આમતગત અનંતીવેજ અનંત જન્મ-મરણોને અનુભવ્યા છે. મરણ સમાન ભય નથી. જન્મ સમાન કોઈ દુ:ખ નથી. તેથી તું જન્મ-મરણરૂપ આતંકના હેતુ શરીરના મમત્વને છેદી નાંખ. • વિવેચન-૯૪ થી ૯ : ગાથા સ્પષ્ટ છે - x - અનંતકાય મથે આવતા-જતાં ગમનાગમન કરતાં અનંતવાર અનંત જન્મ મરણો કર્યા. જન્મ-મરણ રૂપ આતંક નથી. તેના હેતુરૂપ શરીરની મમત્વ બુદ્ધિને છેદ.
SR No.009062
Book TitleAgam 29 Sanstaraka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 29, & agam_sanstarak
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy