SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૨ ત્યારે તે દાસી રેલણાએ આમ કહેતા હાથ જોડી યાવત્ તેણીના વચનને વિનયથી સ્વીકારીને, તે બાળકને બે હાથમાં લઈ અશોક વાટિકામાં જઈ, તે બાળકને એકાંતે ઉકરડામાં ફેંકે છે. તે બાળકને ત્યાં ફેંકતા - ૪ - ત્યાં અશોક વાટિકામાં ઉધૌત થયો. ૨૯ પછી શ્રેણિક રાજાને આ વૃત્તાંત પાપ્ત થતાં અશોકવાટિકાએ ગયો, જઈને તે બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંકાયેલો જોયો, જોઈને ક્રોધિત થઈ યાવત્ મિસમિસાહટ કરતાં તે બાળકને બે હાથ વડે ગ્રહણ કરીને ચિલ્લણાદેવી પાસે આવ્યો. તેણીને ઉચ્ચ-નીચ વચનો વડે આક્રોશ કર્યો, નિર્ભર્સના કરી, ઉદ્ધર્ષણા કરી. કરીને કહ્યું – તેં મારા પુત્રને એકાંતે ઉકરડામાં કેમ ફેંક્યો ? એમ કહીને ચેલ્લણા દેવીને આકરા સોગંદ આપીને કહ્યું – દેવાનુપિયા ! તું આ બાળકને અનુક્રમે સંરક્ષણ સંગોપન સંવર્ધન કર. ત્યારે યેલ્લણા શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળી લજ્જિત, વીડિત, વિડા થઈ [ઘણી જ શરમાઈ] બે હાથ જોડી શ્રેણિક રાજાના વચનને વિનયથી સ્વીકાર્યું. તે બાળકને અનુક્રમે સંરક્ષણ સંગોપન-સંવર્ધન કરવા લાગી. • વિવેચન-૧૨ : આક્રોશ, નિર્ભર્ત્યના, ઉદ્ઘર્ષણા સમાનાર્થી શબ્દો છે. • સૂત્ર-૧૩ : ત્યારે તે બાળકને એકાંતે ઉકરડામાં ફેંકેલો ત્યારે ગાંગુલી કુકડાના પીંછાથી દુભાઈ હતી. વારંવાર પરુ અને લોહી નીકળતા હતા. ત્યારે તે બાળક વેદનાભિભૂત થઈ, મોટા-મોટા શબ્દોથી રડતો હતો. ત્યારે તે શ્રેણિક રાજા તે બાળકને બરાડતો સાંભળી સમજી તે બાળક પાસે આવ્યો. આવીને તે બાળકને બે હાથ વડે ગ્રહણ કરે છે, અગાંગુલીને પોતાના મુખમાં નાંખી, લોહી અને પરુને મુખ વડે ચુસે છે. ત્યારે તે બાળક સમાધિ પામી, વેદના રહિત થઈ મૌન રહ્યો. જ્યારે તે બાળક વેદનાથી - ૪ - ભરાડતો હતો, ત્યારે શ્રેણિક રાજા તે બાળકને હાથમાં લેતો યાવત્ તે બાળક વદેના રહિત થતો શાંત થતો હતો. તે બાળકના માતાપિતાએ ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યું ચાવત્ બારમો દિવસ આવતા આવા પ્રકારનું ગુણનિષ્પન્ન નામ કર્યું. આ બાળકની - x - આંગળી કુકડાના પીંછાથી દુભાઈ, તેથી તેનું નામ કોણિક થાઓ. - x - એ રીતે કોણિક નામ કર્યું. પછી અનુક્રમે સ્થિતપતિતાદિ મેઘની માફક યાવત્ ઉપરી પ્રાસાદે વિચરે છે. • વિવેચન-૧૩ : . સ્થિતિપતિતા - કુળક્રમથી આવેલ જન્માનુષ્ઠાન. • સૂત્ર-૧૪ : પછી કોણિકકુમારને મધ્યરાત્રિએ યાવત્ આવો સંકલ્પ થયો. હું શ્રેણિક રાજાની વ્યાઘાતથી સ્વયં રાજ્યથી કરવા, પાળવા સમર્થ નથી. તો મારે શ્રેણિક નિચાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ રાજાને બેડીમાં નાંખીને, મનો પોતાને અતિ મહાન્ રાજ્યાભિષેકથી અભિસિંચિત કરવો. એમ વિચારી શ્રેણિક રાજાના અંતર, છિદ્રો, વિરહોને જોતો-જોતો રહેવા લાગ્યો. પછી કોકિ તેમના અંતર યાવત્ મર્મ ન પામતા, કોઈ દિવસે કાલાદિ દર્શ કુમારોને પોતાને ઘેર બોલાવ્યા. કહ્યું કે નિશ્ચે આપણે શ્રેણિક રાજાના વ્યાઘાતથી સ્વયં રાજ્યશ્રીને કરતા-પાળતા વિચરવા સમર્થ નથી. તે આપણે તેમને બેડીમાં નાંખીને રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, કોશ, કોષ્ઠાગાર, જનપદને ૧૧-ભાગે વહેંચી સ્વયં રાજ્યશ્રીને કરતા, પાળતા યાવત્ વિચરીએ. 30 - ત્યારે કાલાદી દર્શ કુમારો કોણિકના આ અર્થને વિનયથી સ્વીકારે છે. પછી કોણિક કુમારે કોઈ દિવસે શ્રેણિક રાજાના અંતરને જાણીને શ્રેણિક રાજાને કેદમાં નાંખે છે. પોતાને અતિ મહાન રાજાભિષેક વડે અભિસિંચિત કરાવે છે. પછી તે કોણિક રાજા થયો પછી કોઈ દિવસે કોણિક રાજા નાન યાવત્ સવલિંકારથી વિભૂષિત થઈ યેલ્લણા દેવીને પાદ વંદનાર્થે શીઘ્ર આવે છે. • વિવેચન-૧૪ : અંતર - અવસર, છિદ્ર-અલ્પ પરિવારાદિ, વિરહ-નિર્જન. • સૂત્ર-૧૫ : ત્યારે કોણિક રાજાએ ચેાણા દેવીને અપહત યાવત્ ચિંતા મગ્ન જોઈ, જોઈને તેણીના પગે પડ્યો અને કહ્યું – કેમ માતા ! તમને તુષ્ટિ, ઉત્સવ, હર્ષ કે આનંદ નથી ? કે જેથી હું પોતે જ રાજ્યલક્ષ્મીને ભોગવતો યાવત્ વિચરું છું. ત્યારે ોલ્લણા દેવીએ કોણિક રાજાને કહ્યું – હે પુત્ર ! મને કર્યાથી તુષ્ટિ આદિ થાય ? જે તે તારા પિતા, દેવ સમાન, ગુરુજનસમાન, તારા પર અતિ સ્નેહાનુરાગ વડે ફ્ક્ત એવા શ્રેણિક રાજાને બેડીમાં બાંધી પોતાનો રાજ્યાભિષેક કરાવેલ છે ? ત્યારે કોણિક રાજાએ રોલ્લણા દેવીને આમ કહ્યું – શ્રેણિક રાજા મારો ઘાત કરવા ઈચ્છતા હતા, મને મારવા-બાંધવા-નિછુભણા કરવા ઈચ્છતા હતા. તો તેમને મારા ઉપર અતિ સ્નેહાનુરાગ કેમ હોય ? ત્યારે રેલ્લણાદેવીએ કોણિકને કહ્યું – પુત્ર ! તું મારા ગર્ભમાં આવ્યો, ત્રણ માસ પુરા થતાં દોહદ ઉત્પન્ન થયો ઈત્યાદિ પૂર્વવત્ પુત્ર ! તારા ઉપર આવો સ્નેહાનુરાગ હતો. – ત્યારે કોણિક રાજા, ચેલ્લા દેવી પાસે આ અર્થને સાંભળી, સમજીને ચેલ્લણાદેવીને કહ્યું – મેં ખોટું કર્યું, પિતા-દેવ-ગુરુજનસમ, અતિ સ્નેહાનુરાગ કત શ્રેણિક રાજાને બેડીમાં નાંખ્યા તો હું જઉં અને શ્રેણિક રાજાની જાતે જ બેડી છે.. એમ કહી હાથમાં કુહાડી લઈ કેદખાનામાં જવા નીકળ્યો. ત્યારે શ્રેણિક રાજાએ કોણિકને હાથમાં પરસુ લઈને આવતો જોયો, જોઈને કહ્યું – આ કોણિકકુમાર પાર્થિત પાર્થિત યાવત્ શ્રી-ઠ્ઠી પરિવર્જિત છે, હાથમાં પરસુ લઈ જલ્દી આવે છે. જાણતો નથી કે તે મને કયા કુમાર વડે મારશે, એમ કહી ડરી યાવત્ સંજાત ભયથી તાલપુટ વિષ મુખમાં નાંખે છે. ત્યારે
SR No.009052
Book TitleAgam 19 Nirayavalika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages26
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy