________________
૧/૨
૧૯
સૂત્ર-૨ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્ય સુધર્મા નામે અણગાર જાતિસંપન્ન, કૈશી ગણધર સમાન હતા. ૫૦૦ અણગારો સાથે પરિવરેલા, પૂર્વાનુપૂર્વીથી વિચરતા, જ્યાં રાજગૃહનગર યાવત્ થાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરી સંયમ વડે યાવત્ વિચરતા હતા.
પર્યાદા નીકળી, ધર્મ કહ્યો, પર્યાદા પાછી ફરી. • વિવેચન-૨ :
જાતિસંપન્ન - ઉત્તમ માતૃપક્ષયુક્ત. અન્યથા માતૃપક્ષ સંપન્નત્વ પુરુષ માત્રને હોય, તેથી ઉત્કર્ષના અભિધાન માટે આ વિશેષણ ગ્રહણ કરેલ છે. કુલ - પિતૃપક્ષ. બલ-સંહનન વિશેષથી સમુત્પન્ન પ્રાણ. અહીં કેશી સ્વામીનું વર્ણન કહેવું. વિનયથી યુક્ત, નાયવ - દ્રવ્યથી અલ્પ ઉપધિત્વ, ભાવથી - ત્રણ ગૌરવનો ત્યાગ. ઓવંસી - મનના ધૈર્યવાળા, તેવી - શરીરની પ્રભાવાળા, વજંસી - સૌભાગ્યાદિયુક્ત વચનવાળા,
નસંસી - ખ્યાતિવાળા.
ક્રોધ, માન, માયા, લોભને જીતનારા અર્થાત્ ઉદરપ્રાપ્ત ક્રોધાદિને વિફળ કરનારા, જીવવા-પ્રાણ ધારણની વાંછા અને મરણના ભયથી વિપ્રમુક્ત અર્થાત્ તે બંનેના ઉપેક્ષક. બીજા મુનિજનની અપેક્ષાથી તપમાં ઉત્તમ તે તપોપ્રધાન, સંયમગુણમાં પ્રધાન, ચાપિધાન, અનાચાર પ્રવૃત્તિના નિષેધથી નિગ્રહપ્રધાન, અલ્પ સત્વવાળા જીવો વડે દુઃખે કરીને આચરી શકાય તેવા ઘોર બ્રહ્મચર્યવાસી. શરીરને તજેલ હોય તેવા અર્થાત્ શરીરસત્કારમાં નિસ્પૃહી. કેવળ જ્ઞાન સિવાયના ચાર જ્ઞાનોપયુક્ત.
એવા આચાર્ય સુધર્મા ૫૦૦ અણગારો સાથે પરિવરી પૂર્વાનુપૂર્વી - અનુક્રમથી સંચરતા, વિવક્ષિત ગામથી બીજે ગામ તે ગ્રામાનુગ્રામ જતાં - એક ગામથી બીજું ગામ ઉલ્લંધ્યા સિવાય જતાં, આના વડે અપ્રતિબદ્ધ વિહાર કહ્યો. તેવો વિહાર પણ ઉત્સુકતા રહિત કહ્યો. સુખેસુખે - શરીરના ખેદના અભાવે, સંયમની બાધા રહિત વિચરતા કે ગ્રામાદિમાં રહેતા હતા.
જ્યાં રાજગૃહ નગર, જ્યાં ગુણશિલક ચૈત્ય છે, ત્યાં આવે છે. આવીને યથોચિત મુનિજન અવગ્રહ - આવાસને અનુજ્ઞાપૂર્વક ગ્રહણ કરીને, સંયમ અને
તપથી આત્માને ભાવિત કરતાં રહે છે.
શ્રેણિકરાજાદિ લોકો-પર્ષદા સુધર્માસ્વામીના વંદનાર્થે નીકળી, ધર્મ સાંભળીને, જે દિશાથી આવેલા, તે જ દિશામાં પર્યાદા-પાછી ગઈ.
• સૂત્ર-૩ :
તે કાળે તે સમયે આર્ય સુધર્મા અણગારના શિષ્ય જંબૂ નામે અણગાર, સમચતુરસ સંસ્થાન સંસ્થિત યાવત્ સંક્ષિપ્ત-વિપુલ તેજ વેશ્યાવાળા, સુધર્મા અણગારની કંઈક સમીપ, ઉર્ધ્વાનૂ થઈ યાવત્ વિચરતા હતા.
• વિવેચન-૩ :
- * - આર્ય જંબૂનામે અણગાર કાશ્યપ ગોત્રીય હતા. સાત હાથ ઉંચા,
નિચાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
સમચતુરસ સંસ્થાન સંસ્થિત, વજ્રઋષભનારાય સંઘયણી, સુવર્ણનો પુલક, તેની જે કપટ્ટ રેખારૂપ, પડાગર્ભવત્ જે ગૌર. - ૪ - ૪ - ઉગ્ર-અપ્રકૃષ્ટ તપવાળા. તાપિત
૨૦
તપ યુક્ત - જેના વડે કર્મો તપાવાય, તે તપથી સ્વાત્મા પણ તપોરૂપ સંતાપિત છે. દીપ્તતપ - હુતાશન માફક જવલત તેજ, કર્મવનના દાહકવથી છે. ઉદાર-પ્રધાન. ઘોર-નિઘૃણ પરીષહ-ઈન્દ્રિય-કષાય નામક શત્રુનો વિનાશ કરવા નિર્દે. બીજા વડે આચરી ન શકે તેવા વ્રતવાળા, ઘોર તપ વડે યુક્ત, શરીરની અંદર લીન, અનેક યોજન પ્રમાણ ક્ષેત્ર આશ્રિત વસ્તુના દહનમાં સમર્થ, વિશિષ્ટ તપોજન્ય લબ્ધિવિશેષ પ્રભાવ - તેજોલેશ્યા આદિ ગુણવિશિષ્ટ જંબૂસ્વામી, સુધર્માસ્વામી સ્થવિરની બહુ દૂર નહીં - બહુ નીકટ નહીં તેવા ઉચિત પ્રદેશે રહ્યા.
કઈ રીતે? શુદ્ધ પૃથ્વી આસન વર્ઝન, ઔપગ્રહિક નિષધાના અભાવથી ઉત્કટુક આસને રહીને, તે ઉર્ધ્વ જાનુ, અધોમુખ - ઉંચે કે તીર્દી દૃષ્ટિ રાખીને. નિયત ભૂભાગે નિયમિત દૃષ્ટિવાળા. ધ્યાનરૂપ જે કોષ્ઠ, જેમાં કોઠામાં રહેલ ધાન્ય વિખેરાતું નથી તેમ, તે ભગવન્ ધર્મધ્યાન કોષ્ઠમાં પ્રવેશીને, ઈન્દ્રિય અને મનને આશ્રીને સંવૃતાત્મા થાય છે. સંવર અને તપ વડે આત્મામાં વાસિત થઈને રહે છે.
• સૂત્ર-૪ :
ત્યારે તે જંબૂરવામાં જાતશ્રદ્ધ થઈ યાવત્ પર્યાપાસના કરતાં આમ કહે છે કે – ભગવન્ ! શ્રમણ યાવત્ સંપ્રાપ્તે ઉપાંગોનો શો અર્થ કહેલો છે ? નિશ્ચે હૈ જંબૂ ! શ્રમણ ભગવંતે યાવત્ એ પ્રમાણે ઉપાંગોના પાંચ વર્ગો કહ્યા છે, તે આ પ્રમાણે નિયાવલિકા, કલ્પવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા
-
અને વૃષ્ણિદશા.
ભગવન્ ! જો શ્રમણ ભગવંતે ઉપાંગના પાંચ વર્ગો કહેલા છે - x - તો ભગવન્ ! પહેલાં વર્ગરૂપ ઉપાંગ - નિયાવલિકાના શ્રમણ ભગવંતે કેટલાં અધ્યક્ષનો કલા છે ?
-
નિશ્ચે હે જંબુ ! શ્રમણ ભગવંતે ઉપાંગોના પ્રથમ વર્ગ નિરયાવલિકાના દશ અધ્યયનો કહેલા છે કાલ, સુકાલ, મહાકાલ, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીકૃષ્ણ, રામકૃષ્ણ, પિતૃસૈનકૃષ્ણ અને મહારોનકૃષ્ણ.
• વિવેચન-૪ :
ધ્યાન પછી તે આર્ય જંબૂ, કેવા થયા ? જેને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. તેવા જાતશ્રદ્ધ - વઢ્યમાણ વસ્તુ તત્વ પરિજ્ઞાન માટેની ઈચ્છાવાળા થયા. તયા સંશયવાળા, કુતૂહલ - ઉત્સુકતા વાળા - બધી વસ્તુનો વ્યતિકર અંગસૂત્રોમાં કહ્યા પછી ઉપાંગોમાં બીજો શો અર્થ ભગવંતે કહ્યો હશે ? તેને હું કઈ રીતે જાણીશ ? તેવી ઉત્સુકતાથી ઉભા થઈને આર્ય સુધનિ ત્રણવાર આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે - દક્ષિણ બાજુથી આરંભીને પરિભ્રમણ કરતાં ફરી દક્ષિણ પાર્શ્વની પ્રાપ્તિ, તેને કરે છે. પછી વચનથી સ્તુતિ કરે છે, કાયાથી નમન કરે છે, ઉચિત દેશે શ્રવણની ઈચ્છાથી નમન કરતાં, અંજલિ જોડીને, વિનયથી, પપાસના કરતા બોલ્યા –