SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ૨૩૬,૩૭ કે મૃતપિંડ નિવેદના હોય છે ? ના, એક અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો આબાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, સ્થાલીપાક, મૃતપિંડ નિવેદના વ્યવહાર રહિત છે. ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં ઈન્દ્ર-સ્કંદ-નાગજH-ભૂત-ગડતડાગકહ-નદી-નૃપવતસ્તુપ કે ચૈત્યનો મહોત્સવ હોય છે? ના, એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો મહોત્સવ મહિમા રહિત કહેલા છે. ભગવતુ ! તે સમયે ભરતક્ષેત્રમાં નટ-નર્તક-જલ-મલ-મૌષ્ટિક-વેલકકથક-પ્લવક કે શાસકની પ્રેક્ષા કહેલી છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો કુતૂહલ રહિત કહેલા છે. ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં શટ, રથ, યાન, સુચ્છ, ગિલિ, થિલ્લિ, સીયા કે અંદમાનિકા છે, ના એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો પાદચાર વિહારી કહેલા છે. ભગવાન ! તે સમયે ભરતોમાં ગાય, ભેંસ, બકરા કે ઘેટા છે ? હા, હોય છે. પરંતુ તે મનુષ્યોના પરિભોગમાં આવતા નથી. ભગવન ! તે સમયે ભરતક્ષેત્રમાં અશ્વ, હાથી, ઉંટ, ગાય, ગવય, બકરા, ઘેટા, પ્રશ્રય, મૃગ, વરાહ, 8, શરભ, અમર, કુ, ગોકર્ણ આદિ હોય છે ? હા, હોય છે. પણ તેમના પરિભોગમાં આવતા નથી. ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં સીંહ, વાઘ, વૃક, હીપિક, છ, તરક્ષ, શિયાલ, બિડાલ, સુનક, કોકતિક કે કોલનક છે ? હા, છે પણ તે મનુષ્યોને આબાધ, વ્યાબાધ, છવિચ્છેદ, કરતા નથી. આયુષ્યમાન શ્રમણો ! તે શાપદમણ પ્રકૃતિથી ભદ્રક છે. ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં શાલી, વીહી, ગોધૂમ, જવ, જવજવ, કલમ, મસૂર, મગ, અડદ, તલ, કળથી, નિફાવ, આલિiદક, અતરી, કુટુંભ, કોદ્રવ, કંગુ, વક, સલક, શણ, સરસવ, મૂલગ કે બીજ છે? હા, હોય છે. પરંતુ તે મનુષ્યોના ઉપભોગમાં આવતા નથી. ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં ગg, દરી, વાતવિષમ કે વિજવલ હોય છે ? ના, એ અર્થ સમર્થ નથી. કેમકે ભરત ક્ષેત્રમાં બહુમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુર ઇત્યાદિ હોય, તેમ ગણવું. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં સ્થાણુ, કંટક, તૃણ, કવર કે કચવર હોય છે ? ના, તે અર્થ સમર્થ નથી. તે ભૂમિ સ્થાણુ, કંટક, તૃણ, કચવર, પત્રકક્રવર રહિત છે. ભગવર્ના / તે સમયે ભરતક્ષેત્રમાં ડાંસ, મશક, જુ લીખ, ટિકુણ કે પિસ્યુ હોય છે ? ના, એ અર્થ સમર્થ નથી તે ભૂમિ ડાંસ, મશક, જુ લીખ, હિકુણ અને પિસ્તુના ઉપદ્રવરહિત કહેલી છે. ભગવના તે સમયે ભરતોમાં સર્ષ કે અજગર હોય છે? હા, હોય ૧૩૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે. પરંતુ તે મનુષ્યોને આબાહ આદિ કરતા નથી. યાવત્ તે પ્રકૃતિદ્ધિક વાલક ગણ કહેલ છે. ભગવાન ! તે સમયે ભારતમાં ઉભ, મર, કલહ, બોલ, ક્ષાર, વૈર, મહાયુદ્ધ, મહાસંમ, મહાશઅપdન કે મહાપુરષ પdન હોય છેગૌતમ ! ના, એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો વૈરાનુબંધ રહિત કહેલા છે. ભગવના તે સમયે ભરતક્ષેત્રમાં દુર્ભત કુલરોગ, ગ્રમ રોગ, મંડલરોગ, પોરોગ, શીવિદના, કર્ણ-હોઠ-અક્ષિ-નખ-દંત વેદના, કાશ, શ્વાસ, શોષ, દાહ, અજીર્ણ, જલોદર, પાંડુરોગ, ભગંદર, એકાહિક-દ્ધઘાહિક-ચાહિકચતુર્દિક (એ બધાં) જાવ-તાવ, ઈન્દ્રગ્રહ, ધનુગ્રહ, સ્કંદગ્રહ, કુમારગ્રહ, યાગ્રહ, ભૂતગ્રહ, મજાકશૂળ, હૃદયશૂળ, પેટશૂળ, કુક્ષીશૂળ, યોનિશૂળ, ગ્રામમારી યાવત સક્તિવેશમારી, પ્રાણીક્ષય, જનક્ષય, કુળક્ષય, વ્યસનભૂત અનાર્ય એ બધું હોય છે ? ગૌતમ ! ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો રોગાતંક રહિત કહેલા છે. • વિવેચન-૩૬,32 - ભગવનતે મનુષ્યો, તે અનંતરોક્ત સ્વરૂપ આહાર કરીને કયા ઉપઆશ્રયમાં જાય છે • વસે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! વૃક્ષરૂપ ગૃહ આલય-આશ્રા જેનો છે તે, એવા પ્રકારે મનુષ્યો કહેલા છે. હે શ્રમણ ! ઈત્યાદિ પૂર્વવતું. હવે આ ગૃહાકાર વૃક્ષો કેવા સ્વરૂપના છે, તેમ પૂછે છે – પ્રસૂત્ર પદયોજના સુલભ છે. આકાર ભાવ પ્રત્યાવતાર પૂર્વવતું. ભગવંતે કહ્યું - હે ગૌતમ! તે વૃક્ષો કૂટ-શિખર, તે આકારે રહેલ છે. પ્રેક્ષાપ્રેક્ષાગૃહ, નાટ્યગૃહ. સંસ્થિત શબ્દ બધે જોડવો. તેથી પ્રેક્ષાગૃહ સંસ્થિત અર્થાત્ પ્રેક્ષાગૃહ આકારથી સંસ્થાનવતું. એ પ્રમાણે છત્ર, વજ, તોરણ, સૂપ, ગોપુર, વેદિકા, ચોફાલ, અટ્ટાલક, પ્રાસાદ, હર્મ્સ, ગવાક્ષ, વાલામ્રપોતિકા વલ્લભીગૃહ સંસ્થિત. તેમાં છત્રાદિ પ્રસિદ્ધ છે. ગોપર-પુરદ્વાર, વેદિકા-ઉપવેશન યોગ્ય ભૂમિ, ચોફાલ - મતવારણ, અરાલક-પૂર્વવતુ, પ્રાસાદ-દેવતા કે રાજાનું ગૃહ કે ઘણો ઉંચો પ્રાસાદ, આ બંનેને અંતે શિખર હોય છે. - - - ••• હમ્પ-શિખરરહિત ધનવાનોનું ભવન, ગવાક્ષ-ગોળ, વાલાપ્રપોતિકાજળની ઉપરનો પ્રાસાદ, વલભી-છદિરાધાર, તેનાથી પ્રધાનગૃહ, અહીં આશય એવો છે – કેટલાંક વૃક્ષો કૂટ સંસ્થિત છે, તે સિવાયના બીજા પ્રેક્ષાગૃહસંસ્થિતા છે, બીજા છત્ર સંસ્થિત છે. એ પ્રમાણે બધે ભાવના કરવી. બીજા કહે છે - અહીં સુષમાસુષમામાં ભરતક્ષેત્રમાં ઘણાં શ્રેષ્ઠ ભવનો, સામાન્યથી વિશિષ્ટગૃહો છે. તેના જે વિશિષ્ટ સંસ્થાન તેના વડે સંસ્થિત, શુભ-શીતલ છાયા જેની છે તે તથા આવા પ્રકારના વૃક્ષગણો કહેલા છે. શ્રમણાદિ પૂર્વવતું. પૂર્વે ગેહાકાર કલાવૃક્ષ સ્વરૂપ વર્ણન કહેવા છતાં પણ આ પરમપુણ્ય પ્રકૃતિક યુગ્મીના આવા સુંદર આશ્રયોમાં વસે છે તે જણાવવાને ફરી તે વર્ણક સૂઝનો આરંભ સાર્થક
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy