________________
૧/૧૫ થી ૧૮
દક્ષિણાદ્ધ ભરતકૂટ દેવ છે.
આ જ અર્થને વ્યક્ત કરતી ગાથા કહેલ છે – જ નામના કૂટો છે, તે નામના દેવો પલ્યોપમ સ્થિતિક નિશ્ચે હોય છે અને તે પ્રત્યેક કૂટના જાણવા. આના દ્વારા આઠ ફૂટોના સ્વામી કહ્યા. સિદ્ધાયતન ફૂટમાં સિદ્ધાયતનના જ મુખ્યપણાથી તેના સ્વામી દેવનું નામ જણાવેલ નથી.
Еч
(શંકા) દક્ષિણાદ્ધ ભરત કૂટોના સન્દેશ નામ દેવ આશ્રય ભૂતત્વથી નામો અન્વર્ય થાય છે. જેમકે દક્ષિણાદ્ધ ભરત નામના દેવ સ્વામીત્વથી ઉપચારથી - ૪ - દક્ષિણાદ્ધ ભરત એવું નામ છે. એમ બીજામાં પણ છે. પરંતુ ખંડપ્રપાત ગુફાકૂટ અને તમિસ ગુફા કૂટમાં તે કઈ રીતે છે ? તેના સ્વામી નૃતમાલ, કૃતમાલ વિસર્દેશ નામપણે છે. ખંડપ્રપાત ગુફાના ઉપરવર્તીકૂટ ખંડપ્રપાત ગુફાકૂટ ઈત્યાદિ જ અન્વર્થ થતો નથી.
આ સૂત્રમાં દક્ષિણા ભરતકૂટ સમાન, બીજા કૂટના અતિદેશથી બૃહક્ષેત્ર સમાસવૃત્તિમાં “એ પ્રમાણે શેષ છૂટો પણ સ્વ-સ્વ અધિપતિ યોગથી પ્રવૃત્ત છે, તેમ જાણવું. ખંડપ્રપાતગુફાધિપતિનો ફૂટ ખંડપ્રપાતકૂટ એ યૌગિક નામાંતર અપેક્ષાથી અહીં પણ અન્વર્થ ઘટે છે જ. તેથી જ કહે છે કે – ત્રીજા કૂટમાં ખંડપ્રપાતગુફાધિપતિ દેવ આધિપત્યાદિ કરે છે, તેથી તે ખંડપ્રપાતગુફાકૂટ કહેવાય છે. ત્યારપછી રાજદાની વિષયક સૂત્ર છે. તે સરળ છે - ૪ - રાજધાની ખંડપ્રપાતગુફા નામે છે, માણિભદ્ર દેવ છે. - x -
• સૂત્ર-૧૯,૨૦ :
[૧૯] ભગવન્ ! વૈતાઢ્ય પર્વતને વૈતાઢ્ય પર્વત કેમ કહે છે ? ગૌતમ ! વૈતાઢ્ય પર્વત ભરતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતો રહેલ છે. તે આ પ્રમાણે – દાક્ષિણા ભરત, ઉત્તરાઈ ભરત. અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક વૈતાઢ્યકુમાર દેવ વસે છે. તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે - વૈતાઢ્ય પર્વત એ વૈતાઢ્ય પર્વત કહેવાય છે.
અથવા હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વત એ શાશ્વત નામ કહેલ છે, જે કદી નાં હતું તેમ નહીં, કદી નથી તેમ નહીં, કદી નહીં હશે એમ પણ નથી, હતું • છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્વ છે. [૨] ભગવન્ ! જંબુદ્વીપમાં ઉત્તરાઈ ભરતક્ષેત્ર કયાં આવેલ છે ? ગૌતમ ! લઘુહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તરમાં પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે, અહીં બૂદ્વીપ દ્વીપમાં ઉત્તરાઈ ભરત નામે વાસ ક્ષેત્ર કહેલ છે.
આ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું પલ્યક સંસ્થાને રહેલ, બે તરફ લવણ સમુદ્રને સૃષ્ટ, પૂર્વ કોટિથી પૂર્વ લવણ સમુદ્રને સ્પષ્ટ અને પશ્ચિમ કોટિથી યાવત્ સૃષ્ટ છે. ગંગા-સિંધુ મહાનદી વડે ત્રણ ભાગમાં વિભક્ત, ૨૩૮ યોજન અને એક યોજનના ૩/૧૯ ભાગ વિકભક્ષી છે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
તેની બાહા પૂર્વ-પશ્ચિમથી ૧૮૯૨ યોજન અને એક યોજનના (૧૯ ભાગ અને અર્ધભાગ લંબાઈથી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, લવણસમુદ્રને બે બાજુ સૃષ્ટ છે યાવત્ ૧૪,૪૭૧ યોજન અને ૬/૧૯ ભાગથી કંઈક વિશેષ ન્યૂન આયામથી કહેલ છે. તેનું ધનુપૃષ્ઠ દક્ષિણથી ૧૪,૫૨૮ યોજન અને યોજનના ૧૧/૧૯ ભાગ પરિક્ષેપથી છે.
Εξ
ભગવન્ ! ઉત્તરાદ્ધ ભરતક્ષેત્રનો કેવો આકાર પ્રત્યવતાર કહેલ છે? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ કૃત્રિમ અને કૃત્રિમ વડે છે.
ભગવન્ ! ઉત્તરાઈ ભરતના મનુષ્યના કેવા આકારભાવ પ્રત્યવતાર કહેલ છે? તે મનુષ્યો ઘણાં સંઘયણી યાવત્ કેટલાંક સિદ્ધ થાય છે, યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે.
• વિવેચન-૧૯,૨૦ :
હવે વૈતાઢ્ય નામની નિરુક્તિ પૂછે છે ઉત્તરમાં કહે છે - ભરતક્ષેત્રને બે ભાગમાં વિભાગ કરીને રહેલ છે. તેથી જે ભરત ક્ષેત્રના બે અડધા કરે છે, તેથી વૈતાઢ્ય કહ્યો. હવે બીજા પ્રકારે નામનો અન્યર્થ કહે છે – અહીં વૈતાઢ્યગિકુિમાર દેવ મહદ્ધિક, મહાધુતિકાદિ છે. પલ્યોપમસ્થિતિક દેવ અહીં વસે છે. તેનાથી વૈતાઢ્યનો નામાત્વર્થ વિજયદ્વારવત્ જાણવો. કેમકે સર્દેશ નામના સ્વામી છે. અનુત્તર ઈત્યાદિ પૂર્વવત્ છે.
-
હવે ઉત્તરાર્ધ્વભરતક્ષેત્ર ક્યાં છે ? એ પ્રશ્નસૂત્ર કહે છે. દક્ષિણાદ્ધ ભરતના સમાન ગમત્વથી વ્યક્ત છે. વિશેષ એ કે – પણૂંકવત્ સંસ્થાન જેનું છે તે. તે ૨૩૮/૩/૧૯ યોજન વિધ્યુંભ છે. આનો શર પણ પ્રાચ્યશર સહિત સ્વક્ષેત્ર વિસ્તારથી ૫૨૬ યોજન અને ૬-કળા છે.
હવે તેની બાહા – ઉત્તરાદ્ધ ભરતની બાહા - પૂર્વોક્ત સ્વરૂપ પૂર્વાપર દિશામાં એકૈક ૧૮૯૨|/૧૯ ભાગ અને યોજનનો અર્ધભાગ પણ ૧૯માં ભાગનો છે અર્થાત્ યોજનનો ૩૮મો ભાગ છે.
આનું કરણ – ગુરુધનુ પૃષ્ઠ કલારૂપ ૨,૭૬,૦૪૨. તેમાંથી ૨,૦૪,૧૩૧ કળારૂપ લઘુ ધનુઃપૃષ્ઠ શોધિત કરતાં થશે - ૭૧,૯૧૧. તેને અડધું કરતાં ૩૫,૯૫૫ કલાદ્ધ થાય છે. તેના યોજનો ૧૮૯૨ અને ૭-કલાદ્ધ થશે. આ એક પડખાંની બાહાની લંબાઈ છે.
હવે તેની જીવા કહે છે – તેની જીવા-પૂર્વોક્ત સ્વરૂપા ઉત્તરમાં લઘુહિમવંતગિરિની દિશામાં પૂર્વ-પશ્ચિમ લાંબી બંને બાજુ લવણસમુદ્રને સ્પષ્ટ, દક્ષિણાદ્ધ ભરત જીવા સૂત્રવત્ જ જાણવી. - ૪ - ૧૪,૪૭૧ - ૬/૧૯ ભાગથી કિંચિત્ વિશેષ ન્યૂન લંબાઈથી છે.
આના કરણ આ રીતે – કલીકૃત્ જંબુદ્વીપ વ્યાસ ૧૯ શૂન્ય-૫, ઈયૂનિત ૧૮૯ શૂન્ય-૪, ઈષુગુણ-૧૮૯, શૂન્ય-૮, ચાર ગણું કરતાં-૭૫૬, શૂન્ય-૮. આ ઉત્તરાર્ધ્વ ભરતનો જીવાવર્ગ છે. આનું વર્ગમૂળ કરતાં પ્રાપ્ત કળા છે ૨,૩૪,૯૫૪, શેષ
-