SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૫ ૪૨ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે. તેના યોગથી વનખંડ પણ કણ છે, ઉપચાર મણથી કૃષ્ણ કહ્યાં નથી, પણ તેવા પ્રતિભાસથી કહ્યું છે, તેથી કહે છે – કૃષ્ણાવભાસ, જેટલાં ભાગમાં કૃષ્ણખો છે, તેટલા ભાગમાં તે વનખંડ અવીવ કૃષ્ણ અવભાસે છે. • x • તથા પ્રદેશાંતરમાં નીલ પગના યોગથી વનખંડ પણ નીલ છે, એ પ્રમાણે નીલાdભાસ ઈત્યાદિ... નીલ-મયૂરના કંઠવત, હરિત-પોપટના પીંછા સમાન. તથા પ્રાયઃ સૂર્યના પ્રવેશથી વૃક્ષોના પત્રો શીત થાય છે, તેના યોગથી વનખંડ પણ શીત છે. આ ઉપચાર માગી નથી, તેથી કહે છે - શીત-વિભાસ, અધોવર્તી દેવ-દેવીના તે યોગ શીત-વાત સ્પર્શથી શીત વનખંડ અવભાસે છે તથા આ કૃણ-નીલ-હરિત વણ યથારૂં પોત-પોતાના સ્વરૂપમાં અત્યર્થ ઉcકટ, સ્નિગ્ધ અને તીવ્ર કહેવાય છે, તેથી તેના યોગથી વનખંડ પણ સ્નિગ્ધ અને તીવ્ર કહેલ છે. આ ઉપચાર માત્ર નથી, પરંતુ પ્રતિભાસ પણ છે. આ અવભાસ ભાંત પણ હોય, જેમા રણમાં જળનો અવાભાસ હોય, તેથી અવભાસમાગ ન દર્શાવીને યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ વર્ણવેલ છે. • x - ૪ - કૃષ્ણવનખંડ, કઈ રીતે ? કૃણછાય- X- જે કારણે કૃણા છાયા-આકાર સર્વ અવિસંવાદિતાથી તેને છે, તે કારણે કૃષ્ણ-સર્વ અવિસંવાદિતાથી તેમાં કૃષ્ણ આકાર પ્રાપ્ત થાય છે. ભાંતિથી નહીં. - - તેથી તવવૃત્તિથી તે કૃષ્ણ ભ્રાંત અવમાસમાન સ્થાપેલ નથી. એ રીતે નીલ-નીલછાય આદિ પણ કહેવા. વિશેષ એ કે – શીત, શીતળાય, આદિમાં છાયા શબ્દ આતષ પ્રતિપક્ષ વાવાયી જાણવો. ‘uT' આ શરીરના મધ્ય ભાગમાં કટિ, તેથી બીજાનો પણ મધ્યભાગ કટિ સમાન, કટિ જ કહેવાય છે. કટિતટ માફક ધન અર્થાતુ અન્યોન્ય શાખા, પ્રશાખા અનુપ્રવેશતી નિબિડ કટિતટ-મધ્ય ભાગમાં છાયા જેની છે તે ધનકટિતટછાય • મધ્ય ભાગમાં નિબિડતર છાયા અથવા -x- ધન નિબિડ કટિલકટની માફક અધોભૂમિમાં છાયા જેની છે, તે ઘનકટિત કટછાયા છે, તેથી જ સ્મણીય. જળભારથી નમેલ પ્રાતૃકાળ ભાવી જે મેઘસમૂહ, તે ગુણ વડે પ્રાપ્ત મહામેઘછંદની ઉપમા. જે સંબંધી વનખંડ છે, તે વૃક્ષો મૂળવાળા આદિ દશ પદો છે. તેમાં મૂળ પ્રભૂત દૂર રહેલ હોય છે, તેથી મૂળવાળા. જે કંદની નીચે છે, તે મૂલ. તેની ઉપર રહે છે તે કંદ. સ્કંધ-વડ, જેમાંથી મૂળ શાખા નીકળે છે. ત્વચા-છાલ, શાલા-શાખા, પ્રવાલ-પલ્લવ અંકુર, પત્ર-પુષ્પ-ફળ-બીજ પ્રસિદ્ધ છે. * * * * * કવર - સ્નિગ્ધપણે દીપ્યમાન શરીરવાળા તથા વૃત ભાવથી પરિણત અથતુિ એ પ્રમાણે. બધી દિશા-વિદિશામાં શાખાદિ વડે પ્રકૃત, જે રીતે વર્તુલ આકૃત્તિ થાય છે. તથા તે વૃક્ષો પ્રત્યેક એક સ્કંધવાળા છે. • x - અનેક શાખા-પ્રશાખા વડે મધ્યભાગમાં વિસ્તાર જેનો છે તે, તથા તીછ બે બાહુ પ્રસારણ પ્રમાણ વ્યામ. અનેક પુરુષ વામ વડે સુપ્રસારિતથી ગ્રાહ્ય નિબિડ વિસ્તીર્ણ અંધવાળા. જેના પત્રો અછિદ્ર છે, તે અછિદ્રx. અર્થાત્ તે પત્રોમાં વાયુદોષ કે કાળદોષની ગરિક આદિ ઈતિ ઉપજતી નથી, કે જે તેમાં છિદ્રો કરશે, માટે અછિદ્રપત્ર અથવા એવી અન્યોન્ય શાખા-પ્રશાખાના અનુપવેશથી પત્રો પગો ઉપર જતાં, જેના વડે કંઈપણ અંતરાલરૂપ છિદ્ર દેખાતા નથી. અવિરલપત્ર - જે કારણે અવિરલ પત્ર છે, તેથી અછિદ્રપત્ર છે. અવિરલપત્ર પણ કઈ રીતે? તે કહે છે - વાયુ વડે ઉપહત અથ વાયુ વડે પાડેલ. એવા પત્રો નથી, તે અવાતીન પત્રો જેના છે તે અત્િ કઠોર વાયુવાય છે, જેથી પગો તુટીને ભૂમિ ઉપર પડે છે. તેથી અવાતીન પત્રવથી અવિરતપણ. | ‘અછિત્રપ' એમાં પ્રથમ વ્યાખ્યાપક્ષમાં હેતુ કહે છે - જેમાં ઈતિ વિધમાન નથી તે. ઈતિ-ગકિાદિપ જેમાં નથી તે અનીતિ. અનીતિપકપણાથી અછિદ્રમ તથા દૂર કરાયેલ છે જરઠ-પુરાણત્વથી કર્કશ, તેથી જ પાંડુર પળો જેમાં છે. આ આશય છે . જે વૃક્ષસ્થાનમાં ઉકત સ્વરૂ૫ મો છે, તે વાયુ વડે ઉડાડીને ભૂમિ ઉપર પડાય છે, * * તથા નવા-તાજા ઉગેલા હરિત-પોપટના પીંછાની આભાથી ભાસમાનપણાથી નિગ્ધત્વચા દીપ્યમાનતાથી પ્રભાર-દલસંચય વડે જે અંધકાર થાય છે, તેના વડે ગંભીર-મધ્યભાગ પ્રાપ્ત હોય. | ઉપવિતિર્ગત-નિરંતર વિનિર્ગત નવતરણ પત્ર-પલ્લવ વડે તથા કોમલ-મનોજ્ઞ ઉજ્જવલ શુદ્ધ ચલન વડે - કંઈક કંપતા એવા કિશલય-અવસ્થાવિશેષોપેતથી પલ્લવ વિશેષ વડે તથા સુકુમાર પલ્લવાંકુર વડે શોભિત વરાંકુર યુક્ત અગ્ર શિખરો જેના છે કે, અહીં અંકુર-પ્રવાલ કાલકૃત અવસ્થાવિશેષ કહેવા. પોપટ, મેના, મોર, કોકિલ ઈત્યાદિ સારસ સુધીના અનેક પાિ કુળોના યુગલ-સ્ત્રીપુરુષ યુગ્મ વડે વિરચિત ઉન્નત શબ્દ અને મધુર સ્વરનો જેમાં નાદ સંભળાય છે તે. તેથી જ અતિમનોજ્ઞ છે. અહીં શુકન - પોપટ, 1 - મોર, મદનશલાકા-મેના, - x• બાકીના જીવ વિશેષો લોકથી જાણવા. સંપિડિત-એકત્ર પિંડીભૂત, મદોન્મતપણે, ભ્રમર-મધુકરીનો સંઘાત, જેમાં છે તે. પરિલીયમાનઅત્યંત આવી-આવીને મત ભ્રમર આશ્રય કરે છે. તે ભ્રમરો કિંજલ્કના પાનમાં લંપટ, મધુર ગુનગુનાહટ કરતાં, ગુંજન કરતાં દેશ ભાગો જેમાં છે તે. - x - x - જેમાં આંતવર્તી પુષ-ફળો છે તે. તથા બહાર પત્રો વડે વ્યાપ્ત છે તથા પત્રો અને પુણો વડે છન્ન-પરિછન્ન-એકાર્લિક બંને શબ્દોના ઉપાદાનથી અત્યંત આચ્છાદિત. નીરોગ-રોગવર્જિત વૃક્ષ ચિકિત્સા શાસ્ત્રોમાં, જેમાં પ્રતિક્રિયા છે, તે રોગ વડે સ્વત જ વિરહિત છે. અકંટક-તે વૃક્ષોમાં બોર આદિ નથી. તેમાં સ્વાદુ ફળો છે. ક્યાંક સ્નિગ્ધફળ છે. વિવિધ ગુચ્છ-છંતાકી આદિ વડે, ગુભ-નવમાલિકાદિ વડે, મંડપક-દ્રાક્ષાદિના મંડપ વડે, શોભિત અર્થાત્ ઉક્તરૂપ ગુચ્છાદિ વડે સંશ્રિત. વિચિત્ર શુભ કેતુ-ધ્વજાને પ્રાપ્ત. તેમાં શુભ-મંગલભૂત ધ્વજા વડે વ્યાપ્ત, તથા વાપી-ચોખૂણી હોય. વૃત-પુષ્કરિણી, દીધિંકા-ઋજુ સારિણી, તે સારી રીતે નિવેશિત
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy