SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪ so જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પડ્યો પડાવવેદિકા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત છે. વ્યુત્પત્તિ આ પ્રમાણે છે . પ વડે પ્રધાન વેદિકા તે પાવરવેદિકા. હવે બીજું નિમિત શું? તે કહે છે – પાવક્વેદિકા એ શાશ્વત નામ કહેલ છે - તેનો અભિપ્રાય આ છે - પ્રસ્તુત પુદ્ગલ પ્રચય વિશેષમાં પરાવરવેદિકા એ શબ્દની નિયુક્તિ નિપેક્ષ અનાદિકાલીન રઢિ છે. પાવર વેદિકા શાશ્વતી છે કે અશાશ્વતી ? અર્થાત તે નિત્ય છે કે અનિત્ય? ભગવંતે કહ્યું – ગૌતમ! કદાચ શાશ્વતી છે, કદાચ અશાશ્વતી અર્થાત કથંચિતુ નિત્ય-કથંચિત્ અનિત્ય. આ જ વાત સવિશેષ જિજ્ઞાસુ પૂછે છે • x - કયા કારણે ભદંત! એમ કહેવાય છે કે - કથંચિત્ શાશ્વતી-કચંચિત્ અશાશ્વતી ? ભગવંતે કહ્યું - ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વતી, દ્રવ્ય-તે પયય વિશેષમાં જાય છે, એમ વ્યુત્પત્તિ છે. દ્રવ્ય જ અર્થ - તાત્વિક પદાર્થ પ્રતિજ્ઞામાં જેના પયિો નહીં, તે દ્રવ્યાર્થ-દ્રવ્ય માત્ર અસ્તિત્વ પ્રતિપાદક નય વિશેષ, તેનો ભાવ તે દ્રવ્યાર્થતા. તે નયથી શાશ્વતી. કેમકે દ્રવ્યાર્થિકનય મત પર્યાલોચનમાં ઉક્તરૂપ પાવરપેરિકાના આકારનો અભાવ છે. તથા વર્ણ પર્યાયથી કૃષ્ણાદિ, ગંધપયચથી સુગંધાદિ, સાયયિથી-તિક્તાદિ, સ્પર્શ પર્યાયિથી - કઠિનવાદિ વડે અશાતી-અનિત્ય. તેના વણિિદ પ્રતિક્ષણ કે કેટલાંક કાળાન્તરે અન્યથા-અન્યથા થાય છે. આ પણ ભિguધિકરણ નિત્યવ-અનિત્યવા નથી. • X - X - X - X - X - તેથી એમ કહ્યું. અહીં દ્રવ્યાસ્તિક નયવાદી સ્વમત પ્રતિષ્ઠાપનાર્થે એમ કહે છે - ઉત્પાદ અત્યંત અસત્ નથી, સત નથી, ભાવો પણ અસતું કે સત્ વિધમાન નથી. જે પ્રતિવસ્તુનો ઉત્પાદ-વિનાશ દેખાય છે, તે આવિર્ભાવ કે તિરોભાવ મણ છે. જેમ સર્પનુ ફેણ ફેલાવવું-સંકોચવું તેથી બધું વસ્તુ નિત્ય છે. એ પ્રમાણે તેના મતની વિચારણામાં સંશય થાય કે - શું ઘટ આદિ માફક દ્રવ્યાર્થપણે શાશ્વતી કે સર્વકાળ એવા સ્વરૂપે છે? તેથી સંશય નિવારવા ભગવંતને ફરી પૂછે છે - હે ભગવ! પરમ કલ્યાણ યોગી! પાવરવેદિકા કેટલા કાળથી છે? કેટલો કાળ રહેશે? ભગવંતે કહ્યું – કદાપી ન હતી, તેમ નથી. અથ હંમેશાં હતી જ, કેમકે અનાદિ છે. કદિ નહીં હોય તેમ નહીં અથતુ સર્વદા વર્તમાન છે, કેમકે સર્વદા હોય છે. કદિ નહીં હશે, તેમ પણ નથી, પણ સર્વધા રહેશે કેમકે. અપર્યવસિત છે. એ રીતે ત્રણ કાળમાં ‘નાસ્તિત્વ'નો પ્રતિષેધ કરી, હવે અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે. હતી-છે અને રહેશે. એ પ્રમાણે ત્રિકાળ અવસ્થાયી છે. મેર આદિવ4 ઘવ છે, ધુવત્વથી સદા સ્વસ્વરૂપથી નિયત છે. નિયતપણાથી જ શાશ્વતી છે - સતત ગંગા સિંધુ પ્રવાહ પ્રવૃત છતાં પદ્મદ્રહ સમાન અનેક પુદ્ગલના વિઘટનમાં પણ તેટલાં માત્ર પુદ્ગલના ઉચ્ચટનના સંભવથી અક્ષય - જેનો ક્ષય થતો નથી - યથોક્ત સ્વરૂપ આકાર પરિભ્રંશ જેનો છે તેવી. અક્ષયત્વથી અવ્યય, સ્વ-રૂપ ચલનનો થોડો પણ સંભવ નથી. અવ્યયત્વથી જ સ્વ પ્રમાણમાં અવસ્થિત, માનુષોત્તર પર્વત પછીના સમુદ્રવ છે. એમ સ્વસ્વ પ્રમાણમાં સદા અવસ્થાનપણે વિચારતા નિત્ય છે. હવે જગતી ઉપર પાવક્વેદિકાથી આગળ શું છે ? • સૂત્ર-૫ : તે જગતીની ઉપર અને પરાવરવેદિકા બહાર એક વિશrળ વનખંડ કહેલ છે. તે દેશોન બે યોજના વિકંભથી, જગતી સમાન પરિધિથી છે, વનખંડ વર્ણન જાણી લેવું. • વિવેચન-૫ - જગતીની ઉપર, પડાવસ્વેદિકાની બહાર, આગળ જે પ્રદેશ છે ત્યાં, ચોક મહાન વનખંડ કહેલ છે, અનેક જાતીય ઉત્તમ અને પૃથ્વીમાંથી ઉગેલ સમૂહનો વનખંડ છે. * * તે વનખંડ દેશોન કંઈક ન્યૂન બે યોજન વિસ્તારચી છે. દેશ અહીં ૫૦ ધનુણ જાણવો તે આ રીતે - ચાર યોજન વિસ્તૃત જગતીનાશિરે બહુ મધ્યભાગે ૫૦૦ ધનુષ્પ વ્યાસવાળી પડાવસ્વેદિકા છે, તેના બાહ્ય ભાગમાં એક વનખંડ, બીજું અંતભરમાં છે. હવે જગતી મસ્તક વિસ્તાર વેદિકા વિસ્તાર-૫૦૦ ધનુનો અડધો કરવો. તેથી ચયોક્ત માન આવે તથા જગતી સમ એટલે જગતીયુલ્ય પરિક્ષેપથી છે. વનખંડ વર્ણક • બધું જ અહીં પહેલા ઉપાંગથી જાણવું, તે આ છે – કૃણકૃષ્ણાવભાસ, નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ, શીત-શીતાવભાસ, સ્નિગ્ધનિષ્પાવભાસ, તિવ-તિવાવભાસ, એ રીતે જ કૃણ-કૃણછાય યાવતુ તિવ્ર-તિdછાય, ધનકડિતછાયા, રમ્ય, મહામેઘ નિકુબ ભૂત... ...તે વૃક્ષો મૂલવાળા, સ્કંધવાળા, ત્વચાવાળા, શાખાવાળા, પ્રવાલવાળા, પગવાળા, પુષ્પવાળા, ફળવાળા, બીજવાળા, આનુપૂર્વી સુજાત રુચિર વૃત ભાવ પરિણત, એક રૂંધવાળા, અનેક શાખા-પ્રશાખા વિડિમા, ઈત્યાદિ તથા અછિદ્રપત્ર, અવિરત પત્ર, અવાદીણબ, અણઇતિબ ઈત્યાદિ - X - X - નિત્ય કુસુમિત, નિત્ય મુકુલિત, નિત્ય લવકિત, નિત્ય સ્તબકિત, નિત્ય ગુલયિત, નિત્ય ગુચિત, નિત્ય યમલિત, નિત્ય યુગલિત, નિત્ય વિનમિત, નિત્ય પ્રણમિત, નિત્ય કુસુમિત મુકુલિતાદિ, સુવિભક્ત પ્રતિમંજરીવતંકઘર. શુક, બરહિણ, મદનશલાકા, કોકિલક, ઉગ, ભંગારક, કોંડલક, જીવંજીવક, નંદીમુખ, કપિલ, પિંગલાક્ષ, કારંડ, ચકવાલ, હંસ, સારસ અનેક શુકન ગણ વિરચિત શબ્દોન્નતિક મધુર, સુરમ્ય, સંપિડિત દૈત ભ્રમર મધુકર ઈત્યાદિથી ગુંજતો દેશભાગ, અત્યંતર પુષપફળ, બાહ્ય પત્રછન્ન પુષ્ક અને ફૂલ વડે ઈત્યાદિ • * * * * * * પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ. ઉક્ત સૂાની વ્યાખ્યા - આ પ્રાયઃ મધ્યમ વયમાં વર્તમાન પત્રો કૃણ હોય
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy