SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧ ૨૩ હવે આ નગરીનું વર્ણન કહે છે – ઋદ્ધ-ભવન અને પૌરજન વડે અતિ વૃદ્ધિને પામેલ. સ્લિમિત - સ્વચક્ર, પરચક્રાદિથી ઉત્પન્ન ભય રહિત. સમૃદ્ધ-ધનધાન્યાદિ યુક્ત. • x - વર્ણ-ઉવવાઈ ઉપાંગમાં બધું વર્ણન છે, તે જોવું. - ૪ * તે મિથિલાનગરીની બહાર ઉત્તરપૂર્વ-ઈશાન ખૂણામાં. - ૪ - ૪ - આ ઉત્તરપૂર્વ દિશાભાગમાં માણિભદ્ર નામે ચૈત્ય હતું. - x - તે સંજ્ઞા શબ્દવથી દેવતા પ્રતિબિંબપણે પ્રસિદ્ધ છે. તેથી તેના આશ્રયભૂત જે દેવતાનું ગૃહ છે, તે પણ ઉપચારથી ચૈત્ય કહેવાય છે, તે અહીં વ્યંતરાયન કહેવું, પણ ભગવંત અરહંતનું આયતન કહેલ નથી. તેના ચિર-અતીત આદિ વર્ણક, તેમાં રહેલ વનખંડ વર્ણન પણ ઉવવાઈ ઉપાંગથી જાણવું. તે મિથિલા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો, તેની સર્વ સ્ત્રીગુણ ધરનારી ધારિણી નામે દેવી-પટ્ટરાણી હતી. અહીં રાજાનું મહયા હિમવંત આદિ અને રાણીનું સુકુમાલ હાથ-પગવાળી ઈત્યાદિ વર્ણન પહેલાં ઉપાંગ મુજબ જાણવું. હવે શું થયું તે કહે છે – તે કાળે તે સમયે, સ્વામીએ સમર્થ વિશેષણ છે, તેનાથી અહીં “શ્રી મહાવીર પધાર્યા'' અર્થ લેવો. તેમનું જ ‘ત્રિભુવનવિભૂ'' એ આત્યંતિક સ્વામીત્વ છે. અહીં જે રીતે નિષ્પતિમ પ્રાતિહાર્યાદિ સમૃદ્ધિ વડે સમન્વિત, જે રીતે શ્રમણાદિ પરિવારથી પરિવૃત્ત સમવકૃત ઈત્યાદિ ઉવવાઈથી જાણવું. પર્વદા નીકળી - મિથિલા નગરીના રહેવાસી લોકો બધાં ભગવંતને આવેલા સાંભળીને પોત-પોતાના આશ્ચર્યથી નીકળ્યા. ત્યારે મિથિલા નગરીના શ્રૃંગાટકે ઈત્યાદિ યાવત્ અંજલી જોડીને પર્યાપાસન કરે છે, ત્યાં સુધી ઉવવાઈ સૂત્રથી જાણવું. તે પર્મદાની આગળ સર્વજનને સ્વભાષામાં પરણામી એવી અને સર્ધમાગધી ભાષા વડે ધર્મ કહ્યો. તે આ રીતે – લોક છે, અલોક છે, જીવો છે, અજીવો છે ઈત્યાદિ. તથા જે રીતે જીવો બંધાય છે, મૂકાય છે, સંક્લેશ પામે છે. કોઈ અપ્રતિબદ્ધ જે રીતે દુઃખોનો અંત કરે છે. આર્ત-દુખાર્ત ચિત્ત વડે જેમ જીવો દુઃખોનો સાગર એકઠો કરે છે. - ૪ - ૪ - ઈત્યાદિ કહે છે. પર્ષદા પાછી ગઈ-સ્વ સ્થાને ગઈ. આ પ્રતિગમનસૂત્ર પણ તે જ ઉપાંગથી જાણવું. હવે પર્ષદા પાછી ફર્યા પછી જે થયું તે કહે છે – • સૂત્ર-૨,૩ : (૨) તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ નામે અણગાર, ગૌતમગોગથી હતા. તે સાત હાથ ઉંચા, સમગ્રતુસ સંસ્થાનવાળા યાવત્ ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, વંદે છે - નમે છે, વાંદી-નમીને આમ કહ્યું – (૩) ભગવા જંબૂદ્વીપ ક્યાં છે?, કેટલો મોટો છે? તેનું સંસ્થાન શું છે? તેના આકાર-ભાવપત્યાવતાર કેવા કહ્યા છે? ગૌતમ! આ જંબુદ્વીપ દ્વીપ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સર્વે દ્વીપ સમુદ્રોમાં સૌથી મધ્યમાં, સૌથી નાનો, વૃત્ત-તેલના પૂડલાં સંસ્થાનથી સંસ્થિત, વૃત્ત-રથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત, વૃત્ત-પુષ્કર કર્ણિકા સંસ્થાન સંસ્થિત, વૃત્ત-રથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત, વૃત્ત-પુષ્કરકર્ણિકા સંસ્થાન સંસ્થિત, વૃત્ત-પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, એક લાખ યોજન લંબાઈ-પહોળાઈથી, ૩,૧૬,૨૨૭ યોજન, ૩-કોશ, ૨૮-ધનુષુ, સાડાત્તેર ગુલથી કંઈક વિશેષ પરિધિથી છે. ૨૮ • વિવેચન-૨,૩ : તે કાળે - ભગવંતના ધર્મદેશનાથી વિરમવાના કાળે, તે સમયે - ૫ર્યાદાના પ્રતિગમન અવસરમાં, શ્રવૃતિ - વિવિધ તપ કરે છે, માટે શ્રમણ. તેના મશ - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ, જેને છે તે - ભગવાન. વીર - કષાય પ્રતિ આક્રમણ કરે છે તે વીર. મહાન્ એવા વીર તે મહાવીર. તેના જ્યેષ્ઠ-પ્રથમ, અંતેવાસી-શિષ્ય. છેલ્લા બે પદ વડે તેનું સકલ સંઘાધિપતિત્વ કહ્યું. ઈન્દ્રભૂતિએ માતા-પિતાએ પાડેલ નામ છે. અંતેવાસીની વિવક્ષાથી શ્રાવક પણ કહેવાય. તેથી કહે છે – અણગાર જેને ઘર નથી તે. આ ગોત્રરહિત પણ હોય, તેથી કહ્યું – ગૌતમ ગોત્રના હતા. - ૪ - એ તે કાળના દેહમાનની અપેક્ષાથી ન્યૂનાધિક દેહવાળા પણ હોય, તેથી - સાત હાથ પ્રમાણ કાયાની ઉંચાઈ હતી - ૪ - એ લક્ષણહીન પણ હોય, તેથી સમચતુરસ - શરીર લક્ષણ શાસ્ત્રોક્ત પ્રમાણ · x · ચાર દિશાને ઉપલક્ષીને શરીર અવયવ જેને છે તેવા કહ્યા. બીજા કહે છે - સમ એટલે અન્યનાધિક, અસ્ત્રય: - પર્યંક આસને બેસીને જાનુના અંતરે - આસનના લલાટથી ઉપરના ભાગનું અંતર, જમણાં ખભાથી ડાબા જાનુનું અંતર, ડાબા ખભાથી જમણા જાનુનું અંતર. યાવત્ શબ્દથી આ વિશેષણો જાણવા - વજ્રઋષભનારાચ સંઘયણ, સુવર્ણ પુલક નિઘસ એવા પક્ષ્મગૌર, ઉગ્રતપસ્વી, ઉદાર-ઘોર-ઘોગુણ-ઘોરતપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીરત્યાગી, સંક્ષિપ્તવિપુલ તેજોલેશ્તી, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનોપયુક્ત, સર્વાક્ષર સંનિપાતિ [એવા તે] ભગવંત મહાવીરની કંઈક સમીપ, ઉર્ધ્વજાનુ, અધોશિર, ધ્યાનકોષ્ઠોપગત, સંયમ અને તપ વડે આત્માને ભાવિ કરતાં વિચરે છે. - ત્યારે તે ગૌતમસ્વામી જાતશ્રદ્ધ, જાતસંશય, જાત કુતૂહલ, ઉત્પન્ન શ્રદ્ધાદિ, સંજાત શ્રદ્ધાદિ, સમુત્પન્ન શ્રદ્ધાવાળા, ઉત્થાનથી ઉઠીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરીને, વાંદી-નમીને, અતિ દૂર નહીં તેમ અતિ નીકટ નહીં, તે સ્થાને શુશ્રુષા કરતાં, નમન કરતાં, અભિમુખ વિનયથી અંજલિ કરતાં પર્યુપાસના કરતાં આમ કહે છે અહીં વ્યાખ્યા – · અનંતરોક્ત વિશેષણ હીન સંહનન પણ હોય, તેથી કહે – વજ્રઋષભનારાચ સંહનની એટલે બંને બાજુ મર્કટબંધ, તેના ઉપર વેસ્ટન છે
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy