SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧૨૧ ૧૦૩ પૂર્વના સત્રમાં વિનીતામાં પ્રત્યાગમનમાં જે વર્ણન કર્યું છે, તે અહીં પ્રવેશમાં પણ કહેવું. વિશેષ એ કે - નવ મહાનિધિ પ્રવેશતી નથી. - x - ચારે સેના પણ પ્રવેશતી નથી, બાકી તે જ પાઠ કહેવો, તે નિર્દોષ નાદિત વડે યુક્ત વિનીતા રાજધાનીના મધ્યભાગથી જ્યાં પોતાનું ગૃહ છે, પ્રધાનતર ગૃહ છે, તેનું બાહ્ય દ્વાર છે, ત્યાં જવાને પ્રવૃત થયો. પ્રવેશ પછી ચકીના આભિયોગિક દેવો જે રીતે વાસભવનને પરિકૃત કરે છે, તે કહે છે - x • x • કેટલાંક દેવો વિનીતાને અંદર-મ્બહારથી આસિક્ત-સંમાજિતઉપલિપ્ત કરે છે. કેટલાંક મંચાતિમંચયુક્ત કરે છે, કેટલાંક રંગેલ ઉંચી દdજા-પતાકા યુક્ત કરે છે, કેટલાંક લીંપણ-ગુંપણ કરે છે, કેટલાંક ગોશીષ સરસ રક્તચંદનાદિ યુક્ત કરે છે. ગંઘવર્તીભૂત કરે છે કેટલાંક સુવર્ણ કે રત્ન કે વજાદિની વર્ષા કર છે. ફરી પ્રવેશતો રાજાને જે થયું, તે કહે છે - ત્યારે શૃંગાટકાદિમાં યાવત્ શબ્દથી બિક, ચતુષાદિમાં મહાપર પર્યન્ત સ્થાનોમાં ઘણાં દ્રવ્યના ચાર્ટી વગેરે, તેવી ઉદારાદિ વિશેષણયુક્ત વાણી વડે અભિનંદતા, અભિવતા કહે છે. તેમાં શૃંગાટકાદિની વ્યાખ્યા પૂર્વવત્. અર્થાર્થી-દ્રવ્યાર્થી, કામાર્થી-મનોજ્ઞ શબ્દ રૂપાર્થી, ભાગાર્થી-મનોજ્ઞ ગંધરસ સ્પશર્થીિ, લાભાર્થી - ભોજન માત્રાદિ પ્રાપ્તિના અર્થી, ઋદ્ધિગાય આદિ સંપત્તિ, તેના અભિલાષી, તે ઋધ્યેષ, કિબિષિક-પરવિદૂષકવથી પાપવ્યવહારી ભાંડાદિ, કારોટિક-કાપાલિક કે તાંબુલuત્રીવાહક, ક-રાજદેય દ્રવ્ય તેને વહન કરનાર, તે કારવાહિક, શાંખિકાદિની વ્યાખ્યા પૂર્વવતુ. તેઓ શું બોલે છે? હે નંદ! તમારો જય થાઓ ઈત્યાદિ બે પદ પૂર્વવત. તમારું કલ્યાણ થાઓ, ન જીતેલા શત્રુને જીતો, આજ્ઞાવશ થયેલાનું પાલન કરો, વિનિત પજિનથી પરિવૃત રહો. વૈમાનિકો મળે શ્વર્યશાળી, જયોતિકોમાં ચંદ્ર સમાન, અસુરોમાં ચંદ્રવતુ, હાથીઓમાં ધરણવત જાણવો, - x• x- ઘણાં લાખો ચાવત્ ઘણાં કોટીપૂર્વ, ઘણાં કોડાકોડી પૂર્વ વિનીતા રાજધાનીના - લઘુ હિમવંતગિરિ અને સાગર મયદાના પરિપૂર્ણ ભારતત્રના ગામ, નગરાદિમાં સારી રીતે પ્રજાપાલન વડે ઉપાર્જિત, પોતાની ભુજા વડે અર્જિત પણ નમુગીની જેમ સેવાદિ ઉપાય વડે લબ્ધ નહીં એવા, મોટા અવાજ નૃત્યગીત વા િdબી તલ-તાલ ગુટિત ધન મૃદંગના પટુ પ્રવાદીના રવ વડે વિપુલ ભોગોપભોગ ભોગવતો રહે છે. આધિપત્ય, સ્વામીત્વ, ભર્તુત્વાદિ કરતા-પાલના કરતા આદિ. વ્યાખ્યા પૂર્વવતુ. વિચરો એમ કહી જય-જય કરે છે. - હવે વિનીતામાં પ્રવેશીને ભરત શું કરે છે ? ત્યારે તે ભત રાજા હજારો નયનમાલા વડે જોવાતો ઈત્યાદિ વિશેષણ પદો શ્રી ઋષભ તિક્રમણ મહાધિકારમાં વ્યાખ્યાત કરેલ છે, ત્યાંથી જાણવું. વિશેષ એ કે – જનપદથી આવેલા લોકોનાપૌરજનો વડે હજારો ગતિમાલા વડે દેખાડાતા. જયાં પોતાનું ઘર - પૈતૃક પ્રાસાદ છે, ત્યાં જ જગતવર્તી વાસગૃહ શેખરરૂપ રાજયોગ્ય વાસગૃહ, તેના પ્રતિદ્વારે જાય છે. પછી કરે છે ? જઈને આભિપેક્ય હસ્તિરન ઉભો રાખીને ત્યાંથી ઉતરે. છે, ઉતરીને વિસર્જનીય લોકોને વિસર્જન અવસરે અવશ્ય સકાસ્વા જોઈએ, એ વિધિજ્ઞ ભરત ૧૬,ooo દેવોને સત્કારે છે - સન્માને છે, પછી ૩૨,૦૦૦ રાજાને, પછી ૧૦૪ જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ સેનાપતિન, ગૃહપતિનાદિને સકારે-સન્માવે છે. પછી ૩૬૦ રસોઈયાને, પછી ૧૮ શ્રેણિ-પ્રશ્રેણિને, પછી બીજા પણ ઘણાંને રાજા-ઈશ્વર-તલવરાદિને સકારે છે - સન્માને છે. પછી ઉત્સવપૂર્ણ થતાં અતિથિની માફક વિદાય આપી. હવે રાજા વાગૃહમાં પ્રવેશ્યો તે કહે છે – સ્ત્રીરન-સુભદ્રા, ૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, ૩૨,૦૦૦ બગીશ બદ્ધ નાટકો સાથે પરીવરેલ શ્રેષ્ઠ ભવનમાં પ્રવેશે છે. •X - કુબેરદેવરાજ, ધનદ-લોકપાલ, કૈલાસ-સ્ફટિકા ચલ. શ્રેષ્ઠ ભવનાવતંસક ગિરિશિખર સદેશ ઉચ્ચત્વથી હતું - આ દૃષ્ટાંત લોક વ્યવહાર મુજબ છે. --- પ્રવેશીને શું કરે છે ? તે કહે છે – • સૂત્ર-૧૨૨ - ત્યારે તે ભરત રાજ અન્ય કોઈ દિને રાજ્યની ધુરાની ચિંતા કરતા, આવા સ્વરૂપનો સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. મેં પોતાના બળ, વીર્ય, પુરુષાકાર પરાકમથી લઘુહિમવંતગિરિ અને સમુદ્રની મર્યાદામાં રહેલ પરિપૂર્ણ ભરતોને જીતેલ છે. તેથી હવે ઉચિત છે કે હું વિરાટ રાજ્યાભિષેક આયોજિત કરાવું, જેથી મારું તિલક થાય. એ પ્રમાણે વિચારીને કાલે પ્રભાત થતાં યાવતુ સૂર્ય જવલંત થતાં જ્યાં નાનગૃહ છે યાવત બહાર નીકળે છે, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનાા છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને તે શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂવઈભિમુખ બેસે છે, બેસીને ૧૬,૦૦૦ દેવોને, ૩૨,૦૦૦ મુખ્ય રાજાઓને, સેનાપતિરન ચાવવ પુરોહિતનને, ૩૬૦ સોઈયાને, અઢાર શ્રેણિ-પ્રશ્રેણિજનોને, બીજી પણ ઘણા રાજ, ઈશ્વર યાવતું સાર્થવાહાદિને બોલાવીને કહ્યું - દેવાનુપિયો . મેં નિજ બળ, વીર્યથી સાવત્ પરિપૂર્ણ ભરત અને જીતી લીધેલ છે. દેવાનુપિયો ! તમે મારા માટે મહારાજાભિષેક રચાવો. ત્યારે તે ૧૬,ooo દેવો યાવત સાર્થવાહ આદિ, ભરતરાજાએ એમ કહેતા, તેઓ હર્ષિતસંતુષ્ટ થઈ, બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, ભરત રાજાના આ કથનને સારી રીતે વિનયથી સાંભળે છે. ત્યારપછી તે ભરત રાજ જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને યાવત અમભકિતક થઈ તિ જાગૃત થઈ વિચરે છે. ત્યારપછી તે ભરત રાજા અમભકત પરિપૂર્ણ થતાં આમિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને પ્રમાણે કહ્યું - જલ્દીથી, ઓ દેવાનપિયો! વિનીતા રાજધાનીના ઉત્તર-પૂર્વ દિશાભાગમાં એક મોટો અભિષેક મંડપ વિક, વિકળીને મારી આ આજ્ઞાને પાછી સોંપો. ત્યારે તે અભિયોગિક દેવો ભરત રાજાએ આ પ્રમાણે કહેતા હર્ષિતસંતુષ્ટ થઈ યાવત એ પ્રમાણે સ્વામીના આજ્ઞા વચનને વિનયથી સ્વીકારે છે, સ્વીકારીને વિનીતા રાજધાનીની ઉત્તર-પૂર્વીય દિશામાં જાય છે. જઈને વૈક્રિય સમુઘાત કરે છે, કરીને સંખ્યાત યોજન દંડ કાઢે છે. તે આ પ્રમાણે - રનો યાવતુ રિટરોના યથા ભાદર યુગલોને છોડી દે છે, યથાસૂમ યુગલોને ગ્રહણ કરે છે. બીજી
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy