________________
3/93
લાલ ભાગ, બંધુજીવક-મધ્યાહે વિકશતા પુષ્પ, સંમતિ હિંગલોનો સમૂહ, સિંદુર, કુંકુમ, કબૂતરના પગ, કોકિલના નેત્ર, અધરોષ્ઠ-તે સામુદ્રિકમાં અતિ લાલવ વર્ણવેલ છે. રતિદ-મનોહર અતિક્તિ-અધિક અરુણ અશોકવૃક્ષ, આવા સુવર્ણ, કિંશુક-પલાપપુ તથા ગજતાલુ, સુરેન્દ્રગોપક-વર્ષામાં લાલવર્ણી ક્ષુદ્ર જંતુ વિશેષ તેની સદેશ પ્રભા જેની
છે તે, એવો પ્રકાશ - તેજનો પ્રસાર જેનો છે તે. બિંબફળ, શિલપ્રવાલ - અહીં અશ્લીલ શબ્દ સમાન - “શ્રીને લાવે તે” તેનું શ્લીલ થયું, એવો જે પ્રવાલ, તે શ્લીલપ્રવાલ - પરિકર્મિત વિક્રમ અથવા શિલાપ્રવાલ. ઉગતો સૂર્ય, તેની સમાન, છ ઋતુમાં થનાર સુગંધી અગ્રથિત પુષ્પ અને ગ્રચિતપુષ્પો જેમાં છે તે. ઉંચો કરેલ શ્વેત ધ્વજ જેમાં છે તે. મહામેઘનું જે ગર્જન, તેની જેમ ગંભીર સ્નિગ્ધ ઘોષ જેનો છે તે. - ૪ -
પ્રભાતે - અટ્ઠમતપના પારણા દિવસે, - ૪ - પૌષધિક-તુરંત પાતિ પૌષધવત, તેવો નરપતિ ચતુર્ઘટ અશ્વરણમાં આરૂઢ થયો. સશ્રીક નામક પૃથ્વી વિજયલાભ નામે પ્રખ્યાત છે. અહીં બેઠેલ પુરુષ પૃથ્વીનો વિજય પામે છે એવું સાન્વર્ય નામ છે. કેવો નરપતિ ? લોક વિદ્યુત યશવાળો, અહત-ક્યારેય પણ અવયવમાં અખંડિત અથવા સર્વત્ર અસ્ખલિત ચાલનારો સ્થ. થમાં બેસીને ભરતે શું કર્યુ?
૫૧
-
પછી ભરતરાજા ચતુર્ઘટ અશ્વરથમાં બેઠો, બાકી પૂર્વવત્. - ૪ - માગધતીર્થના આલાવા મુજબ જાણવું. હવે કહે છે – વરદામ નામક તીર્થ-અવતરણમાર્ગથી લવણસમુદ્રમાં અવગાહે છે. “બાકી પૂર્વવત્” એ વચનથી અશ્વ, હસ્તિ, રથ, પ્રવર યોદ્ધાયુક્ત - સંપવૃિત્ત, મહા ભટ્ટ-ચડગર પથકરવૃંદ પરિક્ષિપ્ત, રાક્રરત્ન દેશિત માર્ગે અનેક હજાર રાજા દ્વારા અનુસરાતા માર્ગે, મહા-ઉત્કૃષ્ટ સીંહનાદ બોલ કલકલરવથી પ્રભુભિત મહારામુદ્રના રવ સમાન કરતાં-કરતાં. કેટલે દૂર લવણસમુદ્રમાં અવગાહે છે ? જ્યાં સુધી રથના કૂપર ભીના થાય છે. અહીં યાવત્ પદ સંગ્રાહ્ય પદ સંગ્રાહક નથી, પરંતુ જળનું અવગાહ પ્રમાણને સૂચનાર્થે છે. અહીં પણ માગધદેવ સાધનાધિકારમાં કહેલ સૂત્ર પ્રીતિદાન સુધી કહેવું. તે તીર્થાધિપસુરના પ્રીતિદાન શબ્દથી-પ્રીતિદાનાર્થે વિવક્ષિત ચૂડામણિ આદિ વસ્તુ કહે છે. અહીં “ચાવત્ દક્ષિણી અંતપાલ” સુધી કહ્યું, - ૪ - ચાવત્ અષ્ટાહિકા મહોત્સવ કરે છે.
ઉક્ત વાક્યોનો આ અર્થ છે – પ્રીતિદાન નિમિત્તે ચૂડામણી આદિ વસ્તુ ગ્રહણ પ્રતિપાદક સૂત્ર છે. તેનો સમુદિત અર્થ આ છે – અશ્વોને રોકવા, થ ઉભો રાખવો, ધનુષુ ઉપાડવું, બાણ છોડવું - x - પ્રીતિદાન સૂત્ર સુધી માગધતીર્થાધિકારના સૂત્રવત્ જાણવું. વિશેષ એ કે પ્રીતિદાનમાં ચૂડામણિ અને મનોહર સર્વ વિષ
-
અપહારી મસ્તકના ભૂષણરૂપ, વાઃના ભૂષણરૂપ, ડોકનું આભરણ, કટિ મેખલાં, ત્રુટિક લેવા. તે સૂત્ર ક્યાં સુધી કહેવું ? “હું દક્ષિણ દિશાનો અંતપાલ છું” સુધી. પ્રીતિવાક્ય, ભેંટણું ધરવું, ભરત દ્વારા તેનો સ્વીકાર કરવો, દેવનું સન્માન, વિદાય દેવી, સ્થ પાછો વાળવો, છાવણીમાં જવું, સ્નાનગૃહમાં જવું, સ્નાન-ભોજન કરવું, શ્રેણિ-પ્રશ્રેણિને બોલાવવાનું સૂત્ર કહેવું. ક્યાં સુધી? અઢાર શ્રેણિ-પ્રશ્રેણિ વડે
અષ્ટાહિકા મહામહોત્સવ કરે છે આજ્ઞા પાછી સોંપે છે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
હવે પ્રભાસતીર્થની સાધના માટે ચાલે છે – બધું પૂર્વવત્. વિશેષ એ કે – વાયવ્ય દિશામાં, શુદ્ધ દક્ષિણવર્તી વરદામતીર્થથી શુદ્ધ પશ્ચિમવર્તી પ્રભાસમાં જવાને માટે નીકળ્યો, કેમકે આ જ માર્ગ સરળ છે અન્યથા વરદામથી પશ્ચિમમાં જતાં અનુવારિધિવેલ જાથી પ્રભાસતીર્થની પ્રાપ્તિ દૂરથી થાત. પ્રભાસ તીર્થ, જ્યાં સિંધુ નદી સમુદ્રમાં પ્રવેશે છે. હવે તેવા ચક્રરત્નને જોઈને જે રાજા કરે છે, તે કહે છે – બધું પૂર્વવત્. માત્ર પ્રિતીદાનમાં ભેદ છે, - ૪ - રત્નમાળા, મુગટ, દિવ્ય મોતીનો ઢગલો, સુવર્ણરાશિ. બાકી આ પ્રીતિદાનનો સ્વીકાર, દેવ સન્માન, વિદાય ઈત્યાદિ માગધ દેવાધિકાર સમાન કહેવું. - x - હવે સિંધુદેવી સાધનાધિકાર –
=
પર
• સૂત્ર-૪ :
ત્યારે તે દિવ્ય ચક્રરત્ન પ્રભાસતિકુમાર દેવના અષ્ટાલિકા મહામહોત્સવ નિવર્તી ગયા પછી આયુધગૃહશાળાથી નીકળ્યું, નીકળીને યાવત્ બરતલને પૂરતા સિંધુ મહાનદીથી દક્ષિણી કૂળથી પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવન અભિમુખ પ્રયાણ કર્યું.
ત્યારપછી તે ભરત રાજા તે દિવ્ય ચક્રરત્નને હિંદુ મહાનદીના દક્ષિણી મૂળથી પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવનની અભિમુખ જતું જુએ છે, જોઈને હર્ષિત-સંતુષ્ટ ચિત્ત થઈ, પૂર્વવત્ યાવત્ જ્યાં સિંધુદેવીનું ભવન છે, ત્યાં જાય છે, જઈને હિંદુ દેવીના ભવનની કંઈક નીકટ બાર યોજન લાંબી, નવ યોજન પહોળી શ્રેષ્ઠ નગરસશ વિજય સ્કંધાવાર નિવેશ કરે છે, યાવત્ સિંધુદેવી નિમિત્તે ક્રમભક્ત સ્વીકાર કરે છે, કરીને પૌષધશાળામાં પૌષધિક હાચારી થઈ યાવત્ દર્ભના સંસ્તારકે બેસી અટ્ટમભક્તિથી સિંધુદેવીને મનમાં કરીને રહ્યો.
ત્યારપછી તે ભરતરાજા અક્રમભક્ત પરિણમમાણ થતાં સિંધુદેવીનું આરસન ચલિત થયું, ત્યારે તે સિંધુદેવી આસનને ચલિત થયું જુએ છે. જોઈને અવધિજ્ઞાન પ્રયોજે છે, પ્રયોજીને ભરત રાજાને અવધિ વડે જુએ છે. જોઈને તેણીને આ આવા સ્વરૂપનો અભ્યર્શિત, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. નિશ્ચે જંબુદ્વીપ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયો છે. તો અતીત-વર્તમાન-અનાગત એવો જીત-કલ્પ છે કે સિંધુદેવી ભરતના રાજાને ભેંટણું કરે. તો હું પણ જઉં અને ભરતરાજાને ભેંટણું કરું.
એમ વિચારી સિંધુદેવી રત્નમય ૧૦૦૮ કળશ, વિવિધ મણિકનક-રત્નમય ચિત્રયુક્ત વર્ણ નિર્મિત બે ભદ્રાસન, કટક અને ત્રુટિત યાવત્ આભરણોને લે છે. લઈને તેણી ઉત્કૃષ્ટી યાવત્ ગતિથી જઈ આ પ્રમાણે બોલી – દેવાનુપિય વડે કેવલકલ્પ ભરતક્ષેત્ર જીતાયું છે, હું આપ દેવાનુપ્રિયની દેશવાસિની છું. હું આપ દેવાનુપિયની આજ્ઞાવર્તી દાસી છું. હે દેવાનુપ્રિય ! આપ મારું આ આવા વરૂપનું પ્રીતિદાન સ્વીકાર કરો. એમ કહીને ૧૦૦૮ રત્નમયી કુંભો, વિવિધમણીસુવર્ણ-કટક ચાવત્ પૂર્વવત્ ચાવત્ વિદાય આપી.
ત્યારપછી તે ભરત રાજા પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને જ્યાં સ્નાનગૃહ