SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪૩ થી ૪૯ ૧૯૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિસ્તાર થશે. ભગવાન ! તે મનુષ્યો શું આહાર કરશે ? ગૌતમાં તે કાળે, તે સમયે ગંગા-સિંધુમહાનદી રથ ચાલવાના માર્ગ જેટલી માત્ર વિસ્તારમાં હશે. રાક્ષસોત પ્રમાણમાત્ર ઉંડુ ત્યાં પામી હશે. તે જળમાં ઘણાં મત્સ્ય કાચબા આદિ હશે. તે જળમાં સજાતીય અપૂકાય જીવ વધુ નહીં હોય. ત્યારે તે મનુષ્યો સૂર્યના ઉગવાના મુહૂર્તમાં અને સૂર્ય આથમવાના મહત્તમાં ભિલોમાંથી દોડતા નીકળશે. બિલોમાંથી દોડતા નીકળીને તે મત્સ્ય, કાચબાને પકડીને જમીન ઉપર લઈ આવશે. સ્થળ [જમીન] ઉપર લાવીને શીત અને આતપ વડે મસ્ટ અને કાચબાને રસરાહિત બનાવશે. એ રીતે પોતાની આજીવિકા ચલાવતા ૨૧,૦૦૦ વર્ષ સુધી પોતાનો નિવહિ કરતાં રહેશે. ભગવન્! તે મનુષ્યો નિ:શીલ, નિર્વત, નિપુણ, નિમયદિ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રહિત હશે. વળી તે પાયઃ માંસાહારી, મસ્યાહારી, મુદ્ર આહારી, કુણિમાહારી (હશે) તે કાળમાસે કાળ કરીને કયા જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! પ્રાયઃ નરકગતિ અને તિર્યંચગતિમાં ઉપજશે. ભગવદ્ ! તે આરામાં સીંહ, વાઘ, વૃક, હીપિકા, અચ્છ, તરસ, પરાસર, સરભ, શિયાળ, બિડાલ, સુનક, કોલશુનક, શશક, ચિત્તા, ચિલ્લક પ્રાયઃ માંસાહારી, મત્સાહારી, સુદ્ધાહારી, કુણિમાહારી (હશે) તે મૃત્યુકાળે મૃત્યુ પામી ક્યાં જશે? ક્યાં ઉપજશે? ગૌતમપ્રાયઃ નસ્ક અને તિર્યંચયોનિકોમાં ઉપજશે. ભગવન્! તે ઢંક, કંક, પીલક, મદ્રાક, શિખી પ્રાયઃ માંસાહારી ઈત્યાદિ હશે ચાવતું ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ! પ્રાયઃ નક અને તિર્યંચયોનિમાં ઉપજશે. • વિવેચન-૪૦ થી ૪૯ : તે અનંતર વર્ણિત આરાના કોડાકોડી સાગરોપમ, એટલો કાળ વ્યતીત થતાં અનંતા વપિયો આદિથી પૂર્વવત્ બીજા આરાની પ્રતિપતિના ક્રમથી જાણવું ચાવત્ અનંત ઉત્થાન-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમોથી અનંતગુણ પરિહાની વડે ઘટતાં-ઘટતાં પછી અનંતર એવો દુષમસુષમાં નામનો કાળ આવે છે. ( ધે પૂર્વેના આરાની માફક ભરતક્ષેત્રનું સ્વરૂપ પૂછતા કહે છે - તે સ્પષ્ટ છે. પછી તેમાંના મનુષ્યનું સ્વરૂપ પૂછતા કહે છે - તે કાળે ઈત્યાદિ. આ બંને સૂત્રો પ્રાયઃ પૂર્વના સૂત્ર સદેશ આલાવાવાળા હોવાથી સુગમ છે. વિશેષ એ કે- તે કાળના મનુષ્યો આયુને જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિનું પાલન કરે છે. પાળીને પાંચે ગતિમાં અતિથિ થાય છે. હવે પૂર્વની સમાપ્તિમાં વિશેષ કહે છે – તે આરામાં ત્રણ વંશ સમાન વંશ-પ્રવાહ થયા, તે સંતાનરૂપ પરંપરાના અર્થમાં નથી. કેમકે પરસ્પર પિતાપુત્ર, પૌત્ર-પ્રપત્ર આદિ વ્યવહારનો અભાવ છે. તે ઉત્પન્ન થયા, તે આ પ્રમાણે - અહંતુ વશ, ચક્રવર્તીવંશ, દશાર્હ - બલદેવ અને વાસુદેવોનો વંશ. અહીં જે દશાર શબ્દ વડે બંનેનું કથન કર્યું, તે પછીના સૂત્રના બળથી કરેલ છે. અન્યથા દશાહે શબ્દથી વાસુદેવ જ પ્રતિપાદિત કર્યા હોત. કેમકે મા ૨ HTTTTTTK એ વચન છે. જે પ્રતિવાસુદેવ વંશ કહેલ નથી, તે પ્રાયઃ અંગને અનુસરતા ઉપાંગો છે, કેમકે સ્થાનાંગમાં ત્રણ વંશની પ્રરૂપણા છે. જે હેતુથી ત્યાં નિર્દેશ છે, તેમાં આ વૃદ્ધ પરંપરા છે - પ્રતિવાસુદેવો વાસુદેવ વડે વધ્ય હોવાથી તેની પુરુષોત્તમપણાની વિવા કરતા નથી. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે - તે આરામાં 33-તીર્થકરો, ૧૧ચક્રવર્તીઓ થયા. કેમકે ભગવંત ઋષભ અને ચક્રવર્તી ભરત બંને બીજા આરામાં થયા છે. નવ બળદેવ અને નવ વાસુદેવ થયા. અહીં બળદેવ એ મોટા ભાઈ હોય છે, તેથી તેનું ગ્રહણ પહેલાં કર્યું. ઉપલક્ષણથી પ્રતિવાસુદેવનો વંશ પણ ગ્રહણ કરવો. ચોથો આરો પુરો થયો, હવે પાંચમો કહે છે - તે આરામાં ૪૨,૦૦૦ વર્ષ જૂન એક કોડાકોડી સાગરોપમનો કાળ હતો. તેના દ્વારા પાંચમો અને છઠ્ઠો આરો બંને ૨૧,૦૦૦ - ૨૧,૦૦૦ વર્ષના જાણવા. કાળ વ્યતીત થતાં અનંત વર્ણાદિ પર્યાયો પૂર્વવત્ ચાવતુ પરિહાનિથી ઘટતાંઘટતાં, આ સમયમાં દુઃષમ નામે કાળ આવશે. • x - હવે અહીં ભરતનું સ્વરૂપ પૂછતાં કહે છે - તે બધું પૂર્વે કહેવાઈ ગયેલ છે. વિસેષ એ કે પૂછનારની અપેક્ષાથી “થશે” એવો ભવિષ્યકાળનો પ્રયોગ કરેલ છે. અહીં ભૂમિનું બહુસમરમણીયતર આદિ ચોથા આરાની ઘટતાં-ઘટતાં સર્વયાહીન જાણવું. [શંકા સ્થાણુ-કાંટા અને વિષમતાની બહુલતા ઈત્યાદિ જે પછીના સૂગ વડે અને લોકપ્રસિદ્ધિથી કહ્યું, તે વિરોધ ન આવે. (સમાધાન આવું અવિચારિત ચિંતવવું નહીં. કેમકે અહીં બહુલ શબ્દ વડે સ્થાણુ આદિની બહુલતા વિચારવી, પણ છઠ્ઠા આરાની જેમ એકાંતિકપણું ન વિચારવું. તેથી ક્વચિત્ ગંગા તટાદિમાં, આરામ આદિમાં, વૈતાઢ્ય ગિરિનિકુંજાદિમાં બહુસમરમણીયત આદિ પ્રાપ્ત થાય છે જ, તેથી ઉક્ત વિઘાનમાં કોઈ વિરોધ નથી. હવે તેના મનુષ્યોનું સ્વરૂપ પૂછતાં કહે છે - બધું પૂર્વ વ્યાખ્યા કરાયેલ છે. વિશેષ એ કે – ઘણાં નિ એટલે હાચ, સાત હાથ ઉંચાઈ જેમાં છે તે. જો કે નામકોશમાં બદ્ધમુડી હાથને ત્મિક એમ કહેલ છે. તો પણ સિદ્ધાંતની પરિભાષાથી
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy