SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/-/૪૧ વિષયમાં પણ આ બે પ્રતિપત્તિ જાણવી. તે આ પ્રમાણે તે બે પરતીર્થિકોમાં એક એમ કહે છે – તે દિવસ હોય છે, જે દિવસમાં સૂર્ય ઉદ્ગમ મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં ચતુપૌરુષી - ચાર પુરુષ પ્રમાણ, પુરુષ ગ્રહણ એ ઉપલક્ષણ છે, તેનાથી સર્વે પણ પ્રકાશ્ય વસ્તુની ચાર ગુણી છાયા નિર્વર્ત છે. એવો પણ દિવસ હોય છે, જે દિવસમાં ઉદ્ગમન અને અસ્તમય મુહૂર્તમાં બે પુરુષ પ્રમાણ છાયાને સૂર્ય નિવર્તે છે. અહીં પણ પુરુષગ્રહણ ઉપલક્ષણ છે, તેથી બધી પણ વસ્તુના પ્રકાશ્યની બમણી છાયા નિર્વર્તતી જાણવી. - ૧૩૧ વળી એક એમ કહે છે – તેવો દિવસ છે, જે દિવસમાં ઉદ્ગમન મુહૂર્ત અને અસ્તમય મુહૂર્તમાં સૂર્ય બે પુરુષ પ્રમાણ છાયાને નિર્વર્તે ચે. અર્થાત્ બધી જ પ્રકાશ્ય વસ્તુને બે ગણી છાયાથી નિર્વ છે. એવો પણ દિવસ છે, જે દિવસમાં સૂર્ય અસ્તમય મુહૂર્ત અને ઉદ્ગમન મુહૂર્તમાં કંઈપણ પૌરુષી છાયાને નિર્વર્તતી નથી. હવે આ જ મતને ભાવિત કરે છે – તે બંનેની મધ્યે જે વાદીઓ છે, તે એમ કહે છે – એવો દિવસ છે, જે દિવસમાં ચતુષ્પૌરિસિ છાયાને નિર્વર્તે છે. એવો દિવસ છે, જે દિવસમાં સૂર્ય બે પૌરિસિ છાયાને નિર્વર્તે છે. એ પ્રમાણે સ્વમતની વિભાવનાર્થે કહે છે – તેમાં જે કાળમાં સર્વાન્વંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં સૂર્ય ચતુપુરુષ પ્રમાણ છાયાને નિર્વર્તે છે. તે આ રીતે – ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં. તે બંને મુહૂર્તોમાં ચતુપૌરુષી છાયાને નિર્વર્તે છે, લેશ્માને વધારતા પ્રકાશ્ય વસ્તુની ઉપર કુદતા દૂર-અતિ દૂર ફેંકતા, પ્રકાશ્યવસ્તુની ઉપર ન કુદતાં નીકટ-અતિ નીકટ ફેંકતા તે પ્રમાણે છાયાના હીન અને અતિ હીનપણાનો સંભવ છે. તેમાં જ્યારે સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, જઘન્ય ૧૨-મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં સૂર્ય બે પુરુષ પ્રમાણ છાયાને નિવર્તે છે, તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં. તે ત્યારે બે પૌરુષી છાયાને નિર્વર્તે છે. લેફ્સાને વધારતા પણ ઘટાડતાં નહીં. આ વાક્યનો ભાવાર્થ પૂર્વવત્ કહેવો. તથા તે બંનેની મધ્યે જે વાદી એમ કહે છે કે – તે દિવસ પણ છે, જેમાં તે સૂર્ય બે પૌરુષી છાયાને નિર્વર્તે છે, તેવો પણ દિવસ છે, જેમાં સૂર્ય કંઈપણ પૌરુષી છાયાને નિર્વર્તતો નથી. તેને સ્વમત વિભાવનાર્થે કહે છે 1 તેમાં જ્યારે સૂર્ય સવચિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં સૂર્ય બે પોરિસિ છાયાને નિર્તિ છે. જેમકે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં. ત્યારે તે બે પોરિસિ છાયાને નિર્વર્તે છે. લેશ્યાને વધારે છે - ઘટાડતા નથી. સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તેમાં જ્યારે સૂર્ય સર્વ બાહ્યમંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો પ્રમાણ દિવસ, તે દિવસમાં ઉદ્ગમન અને અસ્તમય મુહૂર્તમાં સૂર્ય કંઈપણ પૌરુષી છાયાને નિર્વર્તે છે. ત્યારે સૂર્ય લેશ્યાને વધારતો કે ઘટાડતો નથી, અધિક-અધિકતર છાયાને વધારવા કે હીન-હીનતર છાયાને ઘટાડવાનો પ્રસંગ સંભવે છે. ૧૩૨ એ પ્રમાણે પરતીર્થિકની બે પ્રતિપત્તિ સાંભળીને ગૌતમસ્વામી સ્વમતને પૂછે છે – જો આ પરતીર્થિકોની પ્રતિપત્તિ છે, તો ભગવત્ સ્વમતથી આપે કેટલા પ્રમાણમાં સૂર્યની પૌરુષી છાયાને નિર્વતતી કહેલી છે ? ત્યારે ભગવત્ સ્વમાથી દેશવિભાગથી પોિિસ છાયાને તેમ તેમ અનિયત પ્રમાણને કહે છે. પરતીર્થિકો પ્રતિનિયત જ પ્રતિદિવસ દેશવિભાગ વડે ઈચ્છે છે. તેથી પહેલા તેમના મતને જ દર્શાવે છે – તેમાં દેશવિભાગથી પ્રતિ દિવસ, પ્રતિનિયત પૌરુષી છાયાના વિષયમાં ૯૬ પ્રતિપત્તિઓ કહી છે. તે ૯૬-પરતીર્થિકો મધ્યે એક આ પ્રમાણે કહે છે – એવો દેશ છે, જે દેશમાં સૂર્ય આવતા એક પૌરુષી-એક પુરુષ પ્રમાણ, પુરુષ ગ્રહણ ઉપલક્ષણથી બળ પણ પ્રકાશ્ય વસ્તુની સ્વપ્રમાણ છાયાને નિર્વર્તે છે. વળી એક એમ કહે છે કે – એવો પણ દેશ છે, જે દેશમાં આવેલો સૂર્ય બે પુરુષ પ્રમાણ, પુરુષ ગ્રહણના ઉપલક્ષણથી બધી જ વસ્તુના પ્રકાશ્યની બે ગુણી, છાયાને નિર્વર્તે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી આ અનંતરોક્ત આલાવા વડે - સૂત્રપાઠગમથી, બાકીની પ્રતિપત્તિગત સૂત્ર જ્યાં સુધી ચરમ પ્રતિપત્તિગત સૂત્ર છે, ત્યાં સુધી લઈ જવું. તેને જ ખંડથી દર્શાવે છે - “૯૬” ઈત્યાદિ. - આને જ પરિપૂર્ણ જાણવું - વળી એક એમ પણ કહે છે તેવો દેશ છે, જે દેશમાં સૂર્ય ૯૬ પોિિસ છાયાને નિર્વર્તે છે, તેમ કહેલ છે - તે કહેવું. મધ્યમ પ્રતિપત્તિગત આલાવાઓ સુગમ હોવાથી સ્વયં વિચારી લેવા જોઈએ. હવે આ ૯૬-પ્રતિપત્તિઓની ભાવનિકાને કરે છે. તેમાં ૯૬-પરતીર્થિકો મધ્યે જે વાદીઓ એ પ્રમાણે કહે છે કે – તેવો દેશ છે, જે દેશમાં આવેલ સૂર્ય એક પૌરુષી - પ્રકાશ્ય વસ્તુની સ્વપ્રમાણ છાયાને નિર્વર્તે છે, તે જ સ્વમત વિભાવનાર્થે કહે છે– સૂર્યના સર્વ નીચેના સૂર્ય પ્રતિધાનથી અર્થાત્ સૂર્ય નિવેશથી બહાર નીકળેલ જે લેશ્યા, તેના વડે તાડ્વમાનથી આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી જેટલો સૂર્ય ઉર્ધ્વ ઉચ્ચત્વથી વ્યવસ્થિત છે એટલો માર્ગ એક છાયાનુમાન પ્રમાણથી પ્રકાશ વસ્તુના જે ઉદ્દેશથી પ્રમાણ મપાય છે, તેના વડે આ આકાશદેશમાં સૂર્ય સમીપમાં પ્રકાશ્ય વસ્તુના પ્રમાણને સાક્ષાત્ પરિગ્રહીત કરવાનું શક્ય નથી. પરંતુ દેશથી અનુમાન વડે, તેથી છાયાનુમાન પ્રમાણથી એમ કહે છે અવમિત
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy