SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/-/૪૧ બહુસમરમણીય ભૂમિ ભાગથી જેટલે સૂર્ય ઉર્ધ્વ ઉચ્ચત્વથી આટલી એક દ્ધા વડે એક છાયાનુમાન પ્રમાણથી, ત્યાં તે સૂર્ય એક પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. તેમાં જેઓ એમ કહે છે કે – તે દેશે, જે દેશમાં સૂર્ય બે પોિિસ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ એમ કહે છે – તે સૂર્યની સૌથી નીચેની સૂર્ય પરિધિથી બાહ્ય અભિનિસૃષ્ટ લેશ્યા વડે તાડ્યમાણ આ રત્નપભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂમિભાગથી જેટલો સૂર્ય ઉર્ધ્વ ઉચ્ચત્વથી આટલી બે અદ્ધા વડે બે છાયા ઉન્માન-પ્રમાણથી, અહીં તે સૂર્ય બે પોિિસ છાયાને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે જાણવું યાવત્ તેમાં જેઓ એમ કહે છે = ૧૨૯ તે દેશે, જે દેશમાં સૂર્ય ૯૬-પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ એમ કહે છે કે - સૂર્યની સૌથી નીચેની સૂર્ય પરિધિથી બહાર અભિનિસૃષ્ટ લેશ્યા વડે તાડિજમાન, આ રત્નપભા પૃથ્વીના બહુમરમણીય ભૂમિ ભાગથી જેટલે સૂર્ય ઉર્ધ્વ ઉચ્ચત્વથી આટલી ૯૬-છાયાનું પ્રમાણથી માપતાં અહીં તે સૂર્ય ૯૬પૌરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. વળી અમે એમ કહીએ છીએ કે – સાતિરેક ૭૯ પોરિસિથી સૂર્ય પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. પદ્ધ પોિિસ છાયા, દિવાને કેટલા ગયા કે બાકી રહ્યા પછી ? તે ત્રિભાગ જતા કે બાકી રહેતા, તે પોરિસિ છાયા દિવસ કેટલો જતાં કે બાકી રહેતા ? તે ચતુગિ જતા કે બાકી રહેતા, તે દ્વિપદ્ધ પોરિસિ છાયા દિવસ કેટલો જતા કે રહેતા ? તે પાંચ ભાગ જતા કે બાકી રહેતા. એ પ્રમાણે આર્દ્ર પોરિસિ છોડીને પૃચ્છા અને દિવસ ભાગ છોડીને ઉત્તર થાવત્ તે અર્ધ ૬૯ પોરિસિ છાયા દિવસ કેટલે જતા કે રહેતા ? તે ૧૯૦૦ ભાગ જતા કે રહેતા. તે ૬૯ પોરિસિ છાયા દિવસ કેટલો જતાં કે બાકી રહેતા. ૨૨,૦૦૦ ભાગ જતા કે રહેતા, તે સાતિરેક ૬૯ પોિિસ છાયા દિવસના જતાં કે રહેતા ? કંઈપણ જતા કે રહેતા નહીં, તે પ્રમાણે છે. તેમાં આ પચીશ નિર્વિષ્ટા છાયા કહેલી છે, તે આ રીતે - સ્તંભછાયા, રજ્જૂછાયા, પ્રકારછાયા, પ્રાસાદછાયા, ઉદ્ગમ છાયા, ઉચ્ચત્વ છાયા, અનુલોમછાયા, આરંભિતા, સમા, પ્રતિહતા, ખીલછાયા, પક્ષછાયા, પૂર્વ ઉદગ્રા, પૂર્વકંઠ ભાવોપગત, પશ્ચિમ કંઠોગતા, છાયાનુવાદિની, કંઠાનુવાદિણી છાયા, છાયચ્છાયા, ગોલચ્છાયા. તેમાં ગોલચ્છાયા આઠ ભેદે છે ગોલછાયા, પાર્જંગોલછાયા, ગાઢલગોલ છાયા, અપ ંગાઢ લગોલ છાયા, ગોલાવલિછાયા, પાર્દ્ર ગોલાવલિ છાયા, ગોલપુંજ છાયા, અપાર્દ્રગોલપુંજ છાયા. - • વિવેચન-૪૧ : ઋતિનાા - કેટલા પ્રમાણવાળી, ભગવન્ ! આપે સૂર્ય પૌરુષી છાયાને ઉત્પન્ન કરતા કહેલ છે તેમ કહેવું ? એમ કહેતા ભગવંતે પ્રથમ લેશ્યા સ્વરૂપના વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપત્તિ છે, તેટલી કહી છે - તે પૌરુષી છાયાના વિષયમાં લેશ્યાને આશ્રીને નિશ્ચે આ પચીશ પ્રતિપત્તિઓ કહી છે – 23/9 સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તે પચીશ પરતીર્થિકોમાં એક એમ કહે છે કે પ્રતિક્ષણ સૂર્ય પૌરુષી છાયાને, આ લેશ્યાના વશથી પૌરુષી છાયા થાય છે. તેથી કારણમાં કાર્યના ઉપચારથી પૌરુષીછાયા તે લેશ્યા જાણવી. તેને ઉત્પાદન કરે છે, ઉત્પન્ન કરતા કહેલ છે, તેમ કહેવું. અર્થાત્ શું કહે છે ? પ્રતિક્ષણ અન્યા અન્યા સૂર્ય લેશ્યાને ઉત્પન્ન કરતાં કહેવા. ૧૩૦ - એ પ્રમાણે ઉક્ત પ્રકારથી, આ અનંતરોદિત આલાવાથી સૂર્યપાઠગમથી જે ઓજ સંસ્થિતિમાં પચીશ પ્રતિપત્તિઓ કહી છે, તે જ ક્રમથી અહીં પણ જાણવી. ત્યાં સુધી કે જ્યાં સુધી ચરમ પ્રતિપતિપાદક આ સૂત્ર છે - એક એમ કહે છે – તે અનુ • ઉત્સર્પિણી અવસર્પિણી જ સૂર્ય ઈત્યાદિ. મધ્યમ આલાપકો એ પ્રમાણે જાણવા– એક એ પ્રમાણે કહે છે – અનુમુહૂર્તથી જ સૂર્ય પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેવું. એ પ્રમાણે લેશ્યા વિષયા પરપ્રત્તિ જણાવીને હવે તે વિષયમાં સ્વમત કહે છે – એમ વળી એ પ્રમાણે કહીએ છીએ – સૂર્યનું ઉચ્ચત્વ અને લેશ્યાને આશ્રીને છાયા-ઉદ્દેશ છે. અર્થાત્ - જે રીતે સૂર્ય ઉચ્ચ, ઉચ્ચતરથી ઉપર જાય છે, જેમ મધ્યાહથી ઉર્ધ્વ, નીચ્ચસ્તરને અતિક્રમે છે. આ પણ લૌકિક વ્યવહારની અપેક્ષાથી કહેવાય છે. લૌકિકો જ પ્રથમથી દૂરતરવર્તી સૂર્ય ઉદયમાન અતિ નીચૈસ્તને જુએ છે. પછી નીકટના, અતિનીકટના થઈને ઉચ્ચ, ઉચ્ચસ્તર મધ્યાહ્નથી ઉર્ધ્વ અને ક્રમથી દૂર-દૂરતર થતાં નીચે-અતિ નીચે જાય, તેમ જેમ લેશ્મા સંચરે છે, તે પ્રમાણે - અતિ નીચે વર્તતો સૂર્ય બધી જ પ્રકાશ્ય વસ્તુની ઉપર કુદતી વસ્તુને દૂરથી પરિતાપિત કરે છે. તેથી પ્રકાશ્ય વસ્તુની મહા-મોટી છાયા થાય છે. ઉંચે-અતિ ઉંચે વધતાં સૂર્ય હોતા નીકટનું-અતિ નીકટનું પરિતાપે છે. તેથી પ્રકાશ્ય વસ્તુની હીન અને અતિહીન છાયા થાય છે. એ પ્રમાણે તેમ-તેમ વર્તતા સૂર્યના ઉચ્ચત્વ અને લેશ્યાને આશ્રીને છાયાનું અન્યથા થવાનો ઉદ્દેશો છે. અહીં પ્રતિક્ષણ તે-તે પુદ્ગલના ઉપચય અને તે-તે પુદ્ગલની હાનિથી જે છાયાનું અન્યત્વ તે કેવલી જ જાણે છે. તે છદ્મસ્યને ઉદ્દેશથી કહ્યું, તેથી તે છાયોદ્દેશ છે. - ૪ - તેમ તેમ વિવર્તમાન સૂર્યનું ઉચ્ચત્વ અને છાયાને હીન, અતિ હીન અને અધિક અતિ અધિક તેમ તેમ થાય, તે આશ્રીને લેશ્યા-પ્રકાશ્ય વસ્તુનું નીકટ-અતિ નીકટ અને દૂર-અતિદૂર પરિપન વડે ઉદ્દેશો જાણવો. તથા લેશ્યા-પ્રકાશ્ય વસ્તુના દૂર-અતિ દૂર અને નીકટ-અતિ નીકટ પડતી છાયાને, હીન-અતિહીન અને અધિક-અધિકતર તેમ-તેમ થતી આશ્રીને સૂર્યગત ઉચ્ચત્વના તેમ તેમ વિવર્તમાન ઉદ્દેશો જાણવા. તે શું કહે છે ? ત્રણે ઘટતાં પ્રતિક્ષણ અન્યથા-અન્યથા વિવર્તે છે. તેથી એકના કે બેના તેમ તેમ વિવર્તમાનના ઉદ્દેશ પ્રાપ્ત થવાથી બીજા પણ ઉદ્દેશથી અવગમ કરવો જોઈએ. એ પ્રમાણે લેશ્મા સ્વરૂપ કહ્યું. હવે પૌરુષી છાયાના પરિણામ વિષયમાં પરતીર્થિકની માન્યતાના સંભવને કહે છે તે પૌરુષી છાયાના પરિમાણ ચિંતાના -
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy