SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-૩૫ ૧૦૫ ૧૦૬ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ છે, તેને બે વડે ગુણીએ, અંધકારની વિચારણામાં તે ત્રણ વડે ગુણીએ. ત્યારપછી બંનેને અહીં પણ દશ વડે ભાંગીએ, તથા સર્વ બાહ્ય મંડલમાં સૂર્યનો ચાર ચરતા લવણસમુદ્રની મધ્યમાં ૫૦૦૦ યોજન તાપોત્ર તેના અનુરોધથી છે. અંધકાર આયામથી વધે છે, પછી ૮૩,૦૦૦ કહેલ છે. એ પ્રમાણે તાપફોગ સંસ્થિતિ પરિમાણ અને અંધકાર સંસ્થિતિ પરિમાણ કહ્યું. હવે ઉd, અધો પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગમાં જ્યાં સુધી પ્રકાશ કરતાં બે સૂર્યો છે, તેના નિરૂપણ માટે સૂત્ર કહે છે – પૂર્વવત્ જાણવું. જંબૂદ્વીપમાં કેટલા પ્રમાણ ક્ષેત્રને સૂર્ય ઉર્થમાં પ્રકાશિત કરે છે ? કેટલાં ફોટને નીયે, કેટલાં ક્ષેત્રને તીર્ણ તથા પૂર્વભાગ-પશ્ચિમ ભાગમાં પ્રકાશે છે. ભગવંતે કહ્યું - જંબૂદ્વીપમાં બે સૂર્યો, પ્રત્યેક સ્વવિમાનથી ઉંચે ૧oo યોજનને, નીચે ૧૮૦૦ યોજનને પ્રકાશિત કરે છે. આ અધોલૌકિક ગામોની અપેક્ષો જાણવું. કેમકે અધોલૌકિક ગામો સમતલ ભૂ ભાગને આશ્રીને ૧oon યોજનથી રહેલ છે. ત્યાં પણ સૂર્ય પ્રકાશ પ્રસરે છે. • x • તીખું, સ્વ વિમાનથી પૂર્વ અને પશ્ચિમમાં પ્રત્યેકને ૪૭,૨૬૩ યોજના અને ૨૧/go ભાગને પ્રકાશે છે. તાપક્ષેત્ર સંસ્થિતિ કહેલી છે તેમ હે ભગવન્કહેવું? ભગવંતે કહ્યું – તે ઉર્ધ્વમુખ કલંબુકા પુખ સંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે, તેમ સ્વશિણોને કહેવું. એમ પૂર્વોક્ત પ્રકાથી જે અત્યંતર મંડલમાં અત્યંતર મંડલગત સૂર્યમાં ધકાર સંસ્થિતિનું પ્રમાણ કહ્યું, તે બાહ્ય મંડલગતા સૂર્યમાં તાપફોગ સંસ્થિતિના પરિમાણને કહેવું. જે વળી સવવ્યંતર મંડલમાં વર્તતો સૂર્ય તાપોત્ર સંસ્થિતિના પ્રમાણને તે બાહ્ય મંડલમાં વર્તમાન સૂર્યમાં અંધકાર સંસ્થિતિના પ્રમાણને કહેવું અને તે ત્યાં સુધી • ત્યારે ઉત્તમ કાઠાપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ આદિ થાય. તે આ પ્રમાણે સૂગથી કહેવું - અંદર સંકુચિત અને બહાર વિસ્તૃત, અંદર વૃત અને બહાર પૃથુલ, અંદર એકમુખ સંસ્થિત અને બહાર સ્વસ્તિકમુખ સંસ્થિત, બંને પડખામાં તેની બંને બાહાઓ અવસ્થિત હોય છે, તે પીસ્તાળીસ-પીસ્તાળીસ હજાર યોજન આયામથી છે. તેની બે બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે • અત્યંતરિકા બાહા અને સર્વ બાહારિકા બાહા. તેમાં સર્વસ્વંતરિકા બાહા, મેરુ પર્વતની સમીપમાં ૬૩૨૪ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિક્ષેપથી કહેલા છે તેમ શિષ્યોને કહેવું. તે પરિક્ષેપવિશેષ ક્યાંથી કહેલ છે તેમ કહેવું? જે મેરુ પર્વતનો પરિક્ષેપ છે, તેને બે વડે ગુણીને, દશ વડે છેદીને, દશ ભાગથી ઘટાડીને, આ પરિક્ષેપ વિશેષ કહેલો છે તેમ કહેવું ? તે તાપોત્ર કેટલા આયામથી કહેલો કહેવો ? તા ૮૩,333 યોજન અને એક યોજનનો ત્રિભાગ કહેલો કહેવો. ત્યારે શું સંસ્થિત અંધકાર સંસ્થિતિ કહેલ કહેવી ? તે ઉર્વીમુખ કલંબુકા સંસ્થાન સંસ્થિત કહેલ કહેવી. અંદરથી સંકુચિત, બહારથી વિસ્તૃત. અંદરથી વૃત • બહારથી પૃથુલ, અંદર અંકમુખ સંસ્થિત અને બહાર સ્વસ્તિમુખ સંસ્થિત, બંને પડખે તેને બે બાહાઓ હોય છે. જે પીસ્તાલીશ-પીસ્તાળીસ હજાર યોજન આગામથી છે, બે બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે - સવચિંતરિકા બાહા અને સર્વ બાહિકિા બાહા. તેની સર્વાત્યંતરિકા બાહા મેરુ પર્વત સમીપ ૯૪૮૬ યોજના અને એક યોજનના ૧૦ ભાગ પરિક્ષેપથી કહેલી કહેવી. જે મેરુ પર્વતનો પરિક્ષેપ છે, તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને, દશથી ભાંગીને, દશ ભાગથી ઘટાડતા, આ પરિક્ષેપ વિશેષ કહેલો કહેવો. તેની સર્વ બાહિરિકા બાહા લવણસમુદ્રની સમીપે ૯૪,૮૮૮ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિક્ષેપથી કહેલ છે. આ પરિક્ષેપ વિશેષ કઈ રીતે કહેવો ? જે જંબૂહીપ હીપનો પરિક્ષેપ કહેલ છે. તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને દશ વડે ભાંગીને, દશ ભાવ ઘટાડતા આ પરિક્ષેપ વિશેષ કહેલો કહેવો. તે અંધકાર કેટલા આયામથી કહેલ છે ? તે ૮૩,૩૩૩ યોજના અને એક યોજનાનો ત્રીજો ભાગ કહેલ છે. ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહર્તની રાત્રિ થાય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ બધું જ પૂર્વોક્ત સૂત્રની વ્યાખ્યાનુસાર સ્વયં વિચાર્યું. તાપક્ષેત્ર સંસ્થિતિને વિચારતાં જે મેરુનો પરિસ્યાદિ મુનિ દીપરત્નસાગરે કરેલા પ્રાભૃત-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy