SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-૩૫ ૧૦૩ ૧૪ સૂર્યપ્રજ્ઞતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ આથી એ પ્રમાણે જંબદ્વીપના ૫૦,૦૦૦ યોજનને પ્રકાશે છે તે સંભાવનાથી સવચિંતર મંડલમાં વર્તતા સૂર્યમાં તાપક્ષેત્રનું આયામ પ્રમાણ જયોતિષ કરંડક મૂલટીકામાં શ્રી પાદલિપ્ત સૂરિ વડે ૮૩,૩૩૩ યોજન અને એક યોજનનો ત્રીજો ભાગ એમ કહેલ છે. આટલી તાપોત્ર આયામ પમિાણની સંભાવના યુક્ત છે, જંબુદ્વીપમાં તાપક્ષેત્રના ૪૫,ooo યોજન માત્ર પરિમાણ સ્વીકારમાં - જે રીતે સૂર્ય બહાર નીકળે છે, તે રીતે તત્પતિબદ્ધ તાપોત્ર પણ છે. ત્યારે જો સૂર્ય સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરે છે તો સર્વથા મેરની સમીપમાં પ્રકાશ પ્રાપ્ત થતો નથી. તેથી ત્યારે પણ તે મંદિર પરિધિ પરિક્ષેપથી વિશેષ પરિમાણ આગળ કહે છે. તેથી પાદલિપ્ત સૂરિ વ્યાખ્યાન પણ સ્વીકારવા યોગ્ય જ છે. એ પ્રમાણે સર્વાભિંતર મંડલને આશ્રીને તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. હવે તે જ સવચિંતર મંડલને આશ્રીને અંધકાર સંસ્થિતિ પ્રતિપાદિત કરવાને તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે – ત્યારે સર્વાત્યંતર મંડલ ચાર કાળમાં શું સંસ્થાન જેનું છે ? અથવા કોની જેમ સંસ્થાન છે ? તે અંધકાર સંસ્થિતિ કઈ રીતે કહેલી છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું - ઉર્ધ્વમુખ કરાયેલ કલંબુત પુષ્પ સંસ્થિત અંધકાર સંસ્થિતિ કહેલી છે તેમ કહેવું ? તે અંતઃ- મેરની દિશામાં વિકંભને આશ્રીને સંકુચિત અને બહાર-લવણ સમુદ્રની દિશામાં વિસ્તૃત તથા અંતઃ મેરુની દિશામાં વૃત્ત-વૃતાર્બવલયાકાર, સર્વથા વૃત મેગત ૧૦ ભાગ વ્યાપીને તેમાં રહેલ છે. વશ - લવણ સમુદ્રની દિશામાં વિસ્તીર્ણ, આ જ સંસ્થાન કથનથી સ્પષ્ટ કરે છે - અંતઃ- અંકમુખ સંસ્થિતા અને બહાર-સ્વસ્તિકમુખ સંસ્થિત છે. આ બંને પદોની વ્યાખ્યા પૂર્વે કહેવાયેલી છે. તે અંધકાર સંસ્થિતિના તાપક્ષેત્રની સંસ્થિતિ સૈવિધ્યના વશથી બે ભેદે વ્યવસ્થિતતાથી મેરુ પર્વતના બંને પડખે પ્રત્યેકમાં એક-એકના ભાવથી જે જંબૂઢીગત બાહા છે, તે આયામ-પ્રમાણને આશ્રીને અવસ્થિત રહે છે. તે આ પ્રમાણે - ૪૫,ooo યોજન. બે બાહા વિડંબને આશ્રીને એક-એકની અંધકાની સંસ્થિતિ થાય છે. તે આ પ્રમાણે - સર્વવ્યંતર અને સર્વબાહ્ય. આ બંનેનું વ્યાખ્યાન પૂર્વવત્ જાણવું. તેમાં સર્વાવ્યંતર બાહાના વિખંભને આશ્રીતે પ્રમાણને જણાવવા કહે છે અંધકાર સંસ્થિતિની સવચિંતર જે બાહા મેર પર્વત સમીપમાં છે તે ૬૩૨૪ યોજના અને એક યોજનના ૬/૧૨ ભાગ યાવતુ પરિક્ષેપથી - પરિચય પરિક્ષેપથી કહેલી છે, તેમ કહેવું. આ જ અર્થના સ્પષ્ટ બોધ માટે પૂછે છે - તે અંધકાર સંસ્થિતિના વયોક્ત પ્રમાણ પરિક્ષેપ વિશેષ મેરુ પરિરય પરિક્ષેપ વિશેષ કયા કારણથી કહેલ છે, કંઈ ન્યૂન કે અધિક નહીં ? ભગવદ્ ! તે કહો. એવો પ્રશ્ન કરતા ભગવંત કહે છે - જે મેરુ પર્વતના પરિપ પૂર્વોકત પ્રમાણ છે, તે પરિક્ષેપને બે વડે ગુણીને, કઈ રીતે બે વડે ગુણવાનું ? તો કહે છે, આ સર્વાવ્યંતર મંડલમાં ચાર ચરતા બંને સૂર્યોમાંથી એકપણ સુર્યનો જંબૂઢીગત ચક્રવાલના જે કે તે પ્રદેશમાં જે-તે ચકવાલ ક્ષેત્રાનુસારથી ૧૦ ભાગ પ્રકાશિત હોય છે. બીજો પણ સૂર્યના ૧૦ ભાગ પ્રકાશિત કરાયા હોય છે. તે બંનેના સંયોગથી ૬/૧૦ થાય છે. તેમાં ત્રણ-ત્રણ દશાંશ ભાગોના અપાંતરાલમાં બબ્બે દશ ભાગો સનિ છે, તેથી બે વડે ગુણવું. તે બંને ૨૧૦ ભાગોમાંથી દશ ભાગને દૂર કરવા બાકી તે જ પૂર્વોક્ત કહેવું. તે આ પ્રમાણે - દશ વડે છેદીને દશ ભાગ ઘટાડતાં, આ પરિક્ષેપ વિશેષ કહેલ છે, તેમ કહેવું. આનો અર્થ આ પ્રમાણે – દશ વડે છેદીને, દશ ભાગ ઘટાડતાં યથોક્ત ઘકાર સંસ્થિતિના મેરુ પરિચય પરિક્ષેપ પરિમાણ આવે છે. તેથી જ કહ્યું છે . મેરુ પર્વત પરિચય પરિમાણ ૩૧,૬૨૩ યોજન છે. તેને બે વડે ગુણીએ, તેનાથી ૬૩,૨૪૬ની સંખ્યા આવશે. તેને દશ ભાણ વડે ભાંગતા ૬૩૨૪ - ૬ ની સંખ્યા પ્રાપ્ત થશે. તેથી આ અનંતરોત પ્રમાણ અંધકાર સંસ્થિતિનો પરિક્ષેપ વિશેષ મેરુ પરિધિ પરિક્ષેપ વિશેષ કહ્યો છે. એ પ્રમાણે તે અંધકાર સંસ્થિતિની સવસ્વિંતર બાહાના વિખંભ પરિમાણ કહ્યા. હવે સર્વ બાહ્ય બાહાના પરિમાણને કહે છે - તે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહા લવણ સમુદ્ર સમીપમાં જંબૂદ્વીપ પર્યન્તમાં છે. તે પરિક્ષેપ-જંબૂદ્વીપ પરિશ્ય પરિફોપ વડે કહેતાં ૬૩,૨૪૫ યોજન અને એક યોજનના ૬/૧૦ ભાગ છે. આ જ વાતને સ્પષ્ટ : સ્વશિષ્યોના બોધને માટે ગૌતમસ્વામી પૂછે છે – તે અંધકાર સંસ્થિતિથી તે પરિક્ષેપ વિશેષ જંબૂદ્વીપ પરિક્ષેપણ વિશેષ કયા કારણથી કહેલ છે ? ન્યૂન કે અધિક નહીં, તેમ કહેવું ? ભગવંત વર્ધમાનસ્વામીએ કહ્યું કે - જંબૂદ્વીપ પરિક્ષેપ પૂર્વોક્ત પ્રમાણ છે. તે પરિક્ષેપને બે વડે ગુણીને દશ વડે ભાગ કરીને, અહીં કારણ પૂર્વવત્ કહેવું. દશ ભાગ વડે ઘટાડતાં યથોકત અંધકાર સંસ્થિતિ જંબૂદ્વીપ પરિચય પરિક્ષેપ પ્રમાણ આવે છે. તેથી જ કહે છે કે જંબૂદ્વીપના પરિક્ષેપ પરિમાણ ૩,૧૬,૨૨૮ યોજન છે. તેને બે વડે ગુણતાં ચાય ૬,૩૨,૪૫૬. આ સંખ્યાને દશ ભાગ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા થશે ૬૩,ર૪પ અને 60 યોજન. તેથી આ આટલું અંતરોક્ત પ્રમાણ અંધકાર સંસ્થિતિ પરિક્ષેપ વિશેષ જંબૂદ્વીપ પરિશ્ય પરિક્ષેપણ વિશેષ કહેલ છે, તેમ કહેવું. એ પ્રમાણે સર્વબાહ્યાનું બહાનું વિઠંભ પરિમાણ કહ્યું હવે સામસ્યથી અંધકાર સંસ્થિતિનું આયામ પ્રમાણ કહે છે - આ આયામ પ્રમાણ તાપફોગ સંસ્થિતિગત આયામ પરિમાણવત્ વિચારવું. અહીં જ સવન્જિંતર મંડલમાં વર્તમાન એવા બે સૂર્યોના દિવસ - સનિ મુહd પ્રમાણને કહે છે - ‘તયા ' આદિ સુગમ છે. એ પ્રમાણે સર્વવ્યંતર મંડલમાં તાપક્ષેત્ર સંસ્થિતિને અને અંધકાર સંસ્થિતિને જણાવીને હવે સર્વ બાહ્ય મંડલમાં તેને જણાવતા કહે છે – જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે કયા સંસ્થાનથી
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy