SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/ર/૨૨,૨૩ ૩૫ અઠાર મુહૂad સનિ થાય છે અને બે અકસઠાંશ મુહૂર્વ અધિક ભાર મુહૂર્ત દિવસ થાય છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરાત્રમાં દક્ષિણના અંદરના ભાગથી તેના આદિ પ્રદેશમાં બાહ્ય અંતરના ત્રીજા ઉત્તરની અદ્ધ મંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા ઉત્તર દ્ધિમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અઢાર મુહૂર્ણ રાત્રિમાં ચાર-એકસઠાંશ મુહુર્ત અધિક થાય છે. નિશે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય ત્યારપછી પછીના તે-તે દેશમાં તે-તે અહ૮મંડલ સંસ્થિતિમાં સંક્રમણ કરતાં-કરતો ઉત્તરની તર ભાગથી,. તેના આદિ પ્રદેશમાં સર્વ અત્યંતર દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સવવ્યંતર દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજ છ માસ છે, આ બીજા છ માસનું પર્યવસાન છે. આ આદિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પવિસાન છે. [૩] તે ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિ કેવી કહી છે તે જણાવો ? આ જંબૂલીપ દ્વીપ બધાં દ્વીપોની મધ્યે યાવત પરિધિથી છે. જ્યારે તે સૂર્ય સવવ્યંતર ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા ભાર મુહૂd સનિ થાય છે. જેમ દક્ષિણ આમિડલમાં કહ્યું તેમ જાણવું. વિશેષ એ કે ઉત્તર સ્થિત અભ્યતા અનંતર દક્ષિણમાં સંક્રમણ કરે છે. દક્ષિણથી અત્યંતર બીજ ઉત્તરમાં સંક્રમણ કરે છે. એ પ્રમાણે એ ઉપાયથી સાવત્ સર્વ બાહ્ય દક્ષિણમાં સંક્રમણ કરે છે. સર્વ બાહ્ય દક્ષિણમાં સંક્રમણ કરીને દક્ષિણથી બાહ્ય અનંતર ઉત્તરમાં સંક્રમે છે. ઉત્તરથી બાહ્ય બીજ દક્ષિણમાં, દક્ષિણના પ્રાણી સંક્રમણ કરતો ચાવતું સવન્જિંતરમાં પૂર્વવતુ સંક્રમણ કરે છે. આ બીજા છ માસ અને છ માસનો અંત છે. - આ દિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પર્યાવસાન છે. ગાથાઓ જાણવી. • વિવેચન-૨૨,૨૩ - તા વા તે, ઈત્યાદિ. તા - ક્રમ અર્થમાં છે, પૂર્વવતુ જાણવું. - કયા પ્રકારે ભગવદ્ ! તમારા મનમાં અર્ધમંડલ વ્યવસ્થા કહેલી છે તે કહો. પૂછતા આ અભિપ્રાય છે - અહીં એકૈક સૂર્ય એકૈક અહોરાત્ર વડે એકૈક મંડલના અદ્ધને ભ્રમણ વડે પૂરે છે. પછી સંશય છે - કઈ રીતે એકૈક સૂર્યની પ્રતિ અહોરાત્રથી એકૈક અર્ધમંડલની પરિભ્રમણ વ્યવસ્થા પૂછે છે. અહીં ભગવનું પ્રત્યુતર આપતા કહે છે - તેમાં અર્ધ મંડલ વ્યવસ્થા વિચારમાં ૩૬ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ નિશ્ચિત આ બે અર્ધમંડલ સંસ્થિતિ મારા વડે કહેવાયેલ છે. તે આ રીતે - એક દક્ષિણા-દક્ષિણના દિગુભાવિ સૂર્ય વિષયક અધમંડલ સંસ્થિતિ - અર્ધમંડલ વ્યવસ્થા. બીજી ઉતરની - ઉત્તર દિગુભાવી સૂર્ય વિષયક અર્ધમંડલ સંસ્થિતિ. એ પ્રમાણે કહ્યું ત્યારે ફરી પૂછે છે - અહીં બે પણ અર્ધમંડલ સંસ્થિતિ જાણી, તેમાં આ ત્યાં સુધી હું પૂછું છું – ભગવત્ ! આપે કઈ રીતે દક્ષિણ દિગુભાવિ સૂર્ય વિષયક અર્ધમંડલ સંસ્થિતિ કહી છે તે કહો ? ભગવંતે કહ્યું - આ જંબૂદ્વીપ વાક્ય પૂર્વવત્ સ્વયં પરિપૂર્ણ વિચારી લેવું. તેમાં જ્યારે સૂર્ય સર્વવ્યંતરમંડલગત દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પૂર્વવત્ ઉત્તમકાષ્ઠા-પ્રકનેિ પ્રાપ્ત, ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. - અહીં સર્વાત્યંતર મંડલમાં પ્રવેશતા પહેલીક્ષણથી ઉદ્ધર્વમાં ધીમે ધીમે સર્વાગંતર પછીના બીજા મંડલ અભિમુખ તથા કંઈક પણ મંડલગતિથી પરિભ્રમણ કરે છે, જેના વડે અહોરાત્ર સુધી સવવ્યંતર મંડલગત ૪૮ ભાગ બીજા અને બે યોજનને અતિક્રમીને સવચિંતર અનંતર બીજા ઉત્તર અદ્ધમંડલ સીમામાં વર્તે છે. તેથી કહે છે – “તે નીકળતો એવો સૂર્ય” ઈત્યાદિ. તે સૂર્ય સવચિંતરગત પહેલી ક્ષણથી ઉર્વ ધીમે ધીમે નીકળતા અહોરાત્ર અતિક્રાંત થતા અભિનવ સંવત્સર આરંભ કરતાં નવા પ્રથમ અહોરામમાં દક્ષિણ દિભાવી અંતરથી - સવવ્યંતર મંડલગત ૐ યોજન અધિક બે યોજન પ્રમાણ અપાંતરાલરૂપથી નીકળીને સર્વત્રંતર અનંતર ઉત્તર અદ્ધમંડલની આદિ પ્રદેશને આશ્રીને અત્યંતર અનંતર - સવચિંતર મંડલ અનંતરથી ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિ સંકમીને ચાર ચરે છે. તે આદિપ્રદેશથી ઉd ધીમે ધીમે બીજા મંડલ અભિમુખ અહીં પણ તેવી રીતે ચરે છે, જેથી તે અહોરમના પર્યો તે મંડલ અને બીજા બે યોજન છોડીને દક્ષિણ દિશાવિ ત્રીજા મંડલની સીમામાં હોય છે. ત્યારપછી જ્યારે સૂર્ય સર્વાત્યંતર અનંતર બીજા ઉત્તર અધૂમંડલ સંસ્થિતિમાં સંકમીને ચાર ચરે છે ત્યારે દિવસ અઢાર મુહૂર્ત અને / ભાગ મુહૂર્ત ન્યૂન થાય છે અને જઘન્યા બાર મુહૂર્ત નત્રિમાં ૬૧ ભાગ મુહૂર્ત અધિક થાય છે. ત્યારપછી તે બીજા પણ ઉત્તર દિશાની અદ્ધ અધિક થાય છે. ત્યારપછી તે બીજા પણ ઉત્તર દિશાની અદ્ધ મંડલ સંસ્થિતિથી ઉક્ત પ્રકારે તે સૂર્ય નીકળતો અભિનવ સૂર્ય સંવત્સરના બીજા અહોરાત્રમાં ઉત્તરથી ઉત્તરદિશાવર્ત અંતરથી બીજા ઉત્તર અધમંડલગત ૪૮ ભાગ અધિક બે યોજન પ્રમાણ અપાંતરાલરૂપથી નીકળીને દક્ષિણ દિશાવર્ત ત્રીજા અદ્ધમંડલના આદિ પ્રદેશને આશ્રીને સર્વાત્યંતર મંડલને આશ્રીને ત્રીજું દક્ષિણ અધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. અહીં પણ તે રીતે ચાર ચરે છે - આદિ પ્રદેશથી ઉર્વ ધીમે ધીમે બીજા મંડલ અભિમુખ ચાર ચરે છે, જેથી તે અહોરાત્ર પર્યન્ત તે મંડલગત ૪૮૧ ભાણ યોજન અધિક બે યોજન છોડીને ચોથા ઉત્તર અર્ધમંડલની સીમામાં રહે છે.
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy